જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


31 May 2019

મોદી સરકાર ની ખેડૂતોને મોટી ભેટ મળી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો વ્યાપ વધારી દેશના તમામ કિસાનોને આર્થિક સહાય આપવા અંગે મંજૂરી આપી છે.


નવી દિલ્હી : મોદી સરકારની આજે પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારના પ્રથમ નિર્ણયમાં ખેડૂતોને મોટી ભેટ મળી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો વ્યાપ વધારી દેશના તમામ કિસાનોને આર્થિક સહાય આપવા અંગે મંજૂરી આપી છે. ખેડૂતોને અનુલક્ષીને બે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 
આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 12.5 કરોડ ખેડૂતો લાભ આપવામાં આવ્યો છે. જ્યારે આ યોજના હેઠળ બે હેક્ટર ધરાવતા માલીકોનો પણ નિયમ હટાવી દેવામાં આવતા તે લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકશે. આજના નિર્ણય બાદ વધુ બે કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
દર વર્ષે આ યોજના પાછળ કુલ 75,000 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો, જે યોજનાનો વ્યાપ વધારાતા હવે તે ખર્ચ વધીને 87,000 કરોડ રૂપિયા થશે.
જમીન વિનાના ખેડૂતોને પણ આ યોજનામાં લાભ મળી શકે છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુની ઉંમરના નાના અને મધ્યમ ખેડૂતોને પેન્શન આપવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે.
આ યોજનાની જાહેરાત સરકારે ગત વર્ષે તેના અંતિમ બજેટમાં કરી હતી. જેને લાગુ પણ કરી દેવામાં આવી છે અને પ્રથમ રાઉન્ડમાં 2.25 કરોડથી વધુ કિસાનોને આ યોજના હેઠળ નાણાં પુરા પડાયા છે. વાર્ષિક 3 ભાગમાં ખેડૂતોને રૂપિયા 6,000ની ચુકવણી કરવાશે. અત્યાર સુધઈ આ યોજનામાં બે હેક્ટર ધરાવતા જમીનના માલીક નાના અને મધ્યમ ખેડૂતોને જ સામેલ કરવામાં આવ્યા હતા, જેમાંથી બે હેક્ટર ધરાવતા જમીનના માલિકનો નિયમ હટાવી દેવામાં આવ્યો છે. ચૂંટણી સંકલ્પ પત્રમાં ભાજપે દેશના તમામ ખેડૂતોને આ યોજનામાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.
સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના માટે 75,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. 2015ના ખેડૂતોની વસ્તી ગણતરી અનુસાર દેશમાં લગભગ 12.6 કરોડ નાના અને મધ્યમવર્ગના ખેડૂતો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન આ યોજનાનો વ્યાપ વધારીને તમામ ખેડૂતો સુધી પહોંચાડવાનું વચન આપ્યું હતું.
કેબિનેટની પ્રથમ પ્રેસ કોન્ફરમાં પ્રકાશ તાવડેકરે જણાવ્યું હતું કે, પશુઓના આરોગ્ય, બિમારી અને તેમના સ્વાસ્થ્ય માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને કુલ 13,000 કરોડ રૂપિયા ફાળવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
તો નાના વેપારીઓ અને દુકાનદારોને પણ ધ્યાને રાખી તે લોકોને પણ આગામી ત્રણ વર્ષમાં વિવિધ સહાયક યોજનાનો લાભ મળી શકે છે.

21 May 2019

ગુજરાતના ખેડુત પુત્રએ પુત્રના 99.98 પર્સન્ટાઈલ જોઈ ચાની કીટલી-સામાન્ય ખેતી કરનાર પિતાની આંખ થઈ ભીની


પુત્રના 99.98 પર્સન્ટાઈલ જોઈ ચાની કીટલી-સામાન્ય ખેતી કરનાર પિતાની આંખ થઈ ભીની   સફળતા માત્ર મહેનત કરનારને જ મળે છે. આ વાત વધુ એકવાર રાજકોટન એક ખેડૂત પુત્રએ સાબિત કરી બતાવી છે. અથાગ મહેનતના પરિણામે ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રિન્સ ભરતભાઇ બારડ નામના આ વિદ્યાર્થીએ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ મેળવી માતા-પિતા અને શાળાનું નામ રોશન કરી બતાવ્યું છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :સફળતા માત્ર મહેનત કરનારને જ મળે છે. આ વાત વધુ એકવાર રાજકોટન એક ખેડૂત પુત્રએ સાબિત કરી બતાવી છે. અથાગ મહેનતના પરિણામે ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રિન્સ ભરતભાઇ બારડ નામના આ વિદ્યાર્થીએ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ મેળવી માતા-પિતા અને શાળાનું નામ રોશન કરી બતાવ્યું છે.
પુત્રની આ સફળતાથી ખૂબ ખુશખુશાલ બનેલા પ્રિન્સના પિતા ભરતભાઈએ જણાવ્યું હતું કે, તેઓ અબુંજા સિમેન્ટ ફેક્ટરી નજીક નાનકડી ખેતી ધરાવે છે. સાથે જ પાન અને ચાની કેબીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પુત્ર પ્રિન્સને ભણવાનો શોખ હોવાથી પોતે કરકસર કરીને ધોરણ-9 થી જ તેને રાજકોટ મોકલ્યો હતો. અને કોઈપણ રીતે તેની જરૂરિયાત પૂરી કરવાના પ્રયાસ કર્યા 

માતા-પિતાની આર્થિક પરિસ્થિતિથી સારી પેઠે વાકેફ પ્રિન્સ પણ ભણવા માટે બાકી બધું ભૂલીને મહેનતમાં લાગી ગયો હતો. પ્રિન્સને તેની આ મહેનતનું ફળ મળ્યું છે. અને તેણે બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે. જો કે તે આટલેથી જ અટકવા માંગતો નથી. ધોરણ 12 માં સાયન્સ રાખીને ડોક્ટર અથવા એન્જીનીયર બનવાનું પોતાનું સ્વપ્ન હોવાનું તેણે જણાવ્યું હતું.

14 May 2019

આજ ના બજાર ભાવ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ રાજકોટ તારીખ: 15/05/19 જણસી રિપોર્ટ અહીં જાણો….

કપાસ બીટી - 1075.00 , 1215.00

ઘઉં લોકવન - 361.00 , 425.00 
ઘઉં ટુકડા - 383.00 , 458.00 
જુવાર - સફેદ - 555.00 , 630.00 
જુવાર - પીળી - 389.00 , 462.00 
બાજરી - 385.00 , 454.00 
મકાઇ - 379.00 , 429.00 
તુવેર - 950.00 , 1167.00 
ચણા - પીળા - 803.00 , 932.00
 અળદ - 905.00 , 1104.00 
મગ - 1100.00 , 1424.00 
વાલ - દેશી - 890.00 , 1360.00 
વાલ - પાપળી - 1225.00 , 1625.00 
ચોળી - 1360.00 , 1790.00 
મઠ - 1080.00 , 1460.00 
કડથી - 840.00 , 1060.00 
સીંગદાણા - 1200.00 , 1250.00 
મગફળી - જીણી - 850.00 , 1000.00 
મગફળી જાડી - 820.00 , 1032.00 
તલી - 2000.00 , 2303.00 
એરન્ડા - 1040.00 , 1091.00 
સુવા - 1000.00 , 1200.00 
સોયાબીન - 700.00 , 734.00 
સીંગફાડા - 840.00 , 1096.00 
તલ કાળા - 2401.00 , 3315.00 
લસણ - 531.00 , 1125.00
 ધાણા - 1030.00 , 1481.00 
મરચા - 800.00 , 1800.00 
વરીયાળી - 1150.00 , 1300.00 
જીરૂ - 2850.00 , 3225.00 
રાય - 670.00 , 706.00 
મેથી - 600.00 , 900.00 
ઇસબગુલ - 1500.00 , 1800.00 
રાયડો - 580.00 , 670.00 
ગુવારનું - બી - 798.00 , 815.00 

બટાટા - 120.00 , 240.00 
ટમેટા - 350.00 , 550.00 
સુરણ - 260.00 , 360.00 
કોથમરી - 530.00 , 820.00 
મુળા - 260.00 , 410.00 
રીંગણા - 120.00 , 260.00 
કોબીજ - 100.00 , 200.00 
ફુલાવર - 230.00 , 350.00 
ભીંડો - 350.00 , 550.00 
ગુવાર - 660.00 , 950.00 
ચોળા સીંગ - 500.00 , 700.00 
ગીલોડા - 330.00 , 410.00 
દૂધી - 150.00 , 320.00 
કારેલા - 450.00 , 650.00 
સરગવો - 340.00 , 530.00 
તુરીયા - 350.00 , 660.00 
પરવર - 340.00 , 550.00 
કાકડી - 250.00 , 400.00 
ગાજર - 230.00 , 420.00 
વટાણા - 860.00 , 1150.00 
બીટ - 160.00 , 280.00 
ગલકા - 350.00 , 450.00 
મેથી - 600.00 , 800.00 
ડુંગળી લીલી - 420.00 , 730.00 
આદુ - 1350.00 , 1550.00 
મરચા - લીલા - 430.00 , 730.00 
મકાઇ - લીલી - 150.00 , 250.00 
ગુંદા - 330.00 , 530.00 
લીંબુ - 1250.00 , 1600.00 
સાકરટેટી - 230.00 , 420.00 
તરબુચ - 250.00 , 350.00 

ચોમાસુ ચાર જૂને કેરળના દરિયા કાંઠે ટકરાશે, સામાન્યથી ઓછા વરસાદની શક્યતા દેશની એક ખાનગી હવામાન એજન્સીનું પૂર્વાનુમાન

ઓછા વરસાદને પગલે ઊંચું કૃષિ ઉત્પાદન અને ઊંચો આર્થિક વિકાસ હાંસલ કરવો પડકારજનક બની રહેશે

પૂર્વ, પૂર્વોત્તર અને મધ્ય ભારતમાં ઓછો વરસાદ જ્યારે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ચિંતા ઓછી  
૨૦૧૯માં દેશના ચારેય ક્ષેત્રોમાં ચોમાસુ નબળુ રહેશે 

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ૪ જૂને કેરળના દરિયા કાંઠે ટકરાશે. ચોમાસુ ૨૨ મેના રોજ અંડમાન અને નિકોબાર પહોંચશે. ખાનગી હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર આ વર્ષે સામાન્યથી ઓછો ૯૩ ટકા વરસાદ પડવાનો અંદાજ છે. 
જો કે ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ૯૬ ટકા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે અલ નીનોની અસર ખૂબ જ ઓછી જોવા મળશે. 
ચોમાસુ આગળ વધવાની સાથે અલ નીનોની અસર ઓછી થવા લાગશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ૭૦ ટકા વરસાદ ચોમાસાની ઋતુમાં જ પડે છે. એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રના કૃષિ સેક્ટરનો વિકાસ આ સીઝન પર જ આધારિત છે. 
સામાન્ય રીતે વરસાદની શરૃઆત કેરળમાં એક જૂનની આસપાસ થઇ જાય છે અને જુલાઇના મધ્ય સુધી ચોમાસુ સમગ્ર દેશને આવરી લેશે. સામાન્યથી ઓછા વરસાદની શક્યતાને પગલે ૨.૬ ટ્રિલિયન ડોલરના ભારતીય અર્થતંત્રની ઉંચું કૃષિ ઉત્પાદન અને ઉંચો આર્થિક વિકાસ હાંસલ કરવો પડકારજનક બની રહેશે.
દેશની એક માત્ર ખાનગી હવામાન એજન્સીના એમડી જતીન સિંહે જણાવ્યું છે કે ૨૦૧૯માં દેશના ચારેય ક્ષેત્રોમાં ચોમાસુ નબળુ રહેશે. પૂર્વ, પૂર્વોત્તર અને મધ્ય ભારતમાં ઓછા વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ચિંતા ઓછી છે. આ અગાઉ પણ ત્રણ એપ્રિલે આ જ હવામાન એજન્સીએ ૯૩ ટકા વરસાદ પડવાની શક્યતા દર્શાવી હતી. વરસાદ સામાન્યથી ઓછું રહેવાની શક્યતા ૫૫ ટકા છે.

10 May 2019

ખેડૂતો સાવધાન : બિયારણ, ખાતર અને જંતુનાશક દવામાં નકલીથી છેતરશો નહિ

તાજેતરમાં જ રાજકોટ, ગોંડલ જેતપુર સહિતના વિસ્તારોમાં 50 કિલ્લો ખાતરની બોરીમાંથી 250 ગ્રામથી લઈને 900 ગ્રામ ખાતર ઓછું આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે ત્યારે મચેલા ખળભળાટ વચ્ચે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે જિલ્લાના ખેડૂતોને નકલી ખાતર, નકલી બિયારણ અને ઓછી ગુણવત્તા યુક્ત જંતુનાશક દવાઓની ખરીદી બાબતે જાગૃત તેમજ સજાગ રહેવા જણાવ્યું છે. સાથો સાથ ધરતીપુત્રોના સર્વાંગી હિત માટે ખેતીવાડી નિયામક તેમજ ડ્રગ શાખાને આગોતરી તપાસ કરવા અનુરોધ કર્યો છે.

પાછલા પાંચ દિવસથી ખાતર કૌભાંડ બહાર આવતા ધરતીપુત્રોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી શહેર તેમજ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ખેડૂતોના હિત બાબતે મેદાનમાં આવ્યું છે. જિલ્લાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ આ અંગે એક પ્રેસનોટ જારી કરીને ખેડૂતોને આ બાબતે સજાગ રહેવા જણાવ્યું છે. સાથો સાથ ખેતીવાડી અધિકારી તેમજ ડ્રગ વિભાગને પણ મોરબી જિલ્લાની બજારોમાં આ પ્રકારની છેતરપીંડીનો ભોગ કોઈ ખેડૂત ન બને એ માટે ચેકીંગ કરવાની તાકીદ કરી છે. ઉલ્લેખનીય છે કે નકલી બિયારણ, નકલી ખાતર અને હલકી ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય ત્યારે વીમા કંપનીઓ પણ પાક વિમાનું વળતર ચુકવવામાં ઠાગાઠૈયાં કરતી હોય છે ત્યારે પુરી સિઝનની ખેડૂતની મહેનત પર પાણી ફરી વળે છે. વરસો વરસ અમુક લેભાગુ વેપારીઓને કારણે ખેડૂત માટે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કશું બચતુ નથી ત્યારે આ વર્ષે હવે ચોમાસુ નજીક છે અને ખેતરો વાવણી માટે ત્યાર થઈ રહ્યા છે એવા સમયે સરકારી તંત્ર આગોતરું આયોજન કરી બજારમાં તપાસ કરી ખેડૂતોને છેતરાતા બચાવે તેવી માંગ સહિતની રજુઆત ગ્રાહક સુરક્ષા મંડળે ઉચ્ચકક્ષાએ કરી છે.

9 May 2019

આજ ના બજાર ભાવ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ રાજકોટ તારીખ: 10/05/19 ના જણસી રિપોર્ટ અહીં જાણો….

કપાસ બીટી - 1080.00 , 1228.00 
ઘઉં લોકવન - 361.00 , 414.00 
ઘઉં ટુકડા - 368.00 , 442.00 
જુવાર - સફેદ - 562.00 , 629.00 
જુવાર - પીળી - 369.00 , 432.00 
બાજરી - 389.00 , 445.00 
મકાઇ - 340.00 , 390.00 
તુવેર - 925.00 , 1095.00 
ચણા - પીળા - 799.00 , 921.00 
અળદ - 920.00 , 989.00
 મગ - 1200.00 , 1335.00 
વાલ - દેશી - 1080.00 , 1430.00 
વાલ - પાપળી - 1120.00 , 1670.00 
ચોળી - 1240.00 , 1890.00 
મઠ - 980.00 , 1470.00 
કડથી - 825.00 , 1045.00 
સીંગદાણા - 1200.00 , 1350.00 
મગફળી - જીણી - 850.00 , 1020.00 
મગફળી જાડી - 815.00 , 970.00 
તલી - 2066.00 , 2350.00 
એરન્ડા - 1040.00 , 1090.00 
સુવા - 900.00 , 1175.00 
સીંગફાડા - 850.00 , 1150.00 
તલ કાળા - 2600.00 , 3325.00 
લસણ - 545.00 , 1200.00 
ધાણા - 1125.00 , 1625.00 
મરચા - 800.00 , 2000.00 
વરીળી - 1175.00 , 1350.00 
જીરૂ - 2770.00 , 3200.00 
રાય - 600.00 , 734.00 
મેથી - 570.00 , 920.00
 ઇસબગુલ - 1575.00 , 1790.00 
રાયડો - 585.00 , 679.00 
રજકાનું - બી - 1800.00 , 2000.00 
ગુવારનું - બી - 700.00 , 816.00 

બટાટા - 110.00 , 220.00 
ડુંગળી સુકી - 65.00 , 175.00 
ટમેટા - 240.00 , 420.00 
કોથમરી - 500.00 , 750.00 
મુળા - 250.00 , 400.00 
રીંગણા - 100.00 , 240.00
 કોબીજ - 110.00 , 220.00 
ફુલાવર - 200.00 , 300.00 
ભીંડો - 350.00 , 500.00 
ગુવાર - 600.00 , 800.00 
ચોળા સીંગ - 500.00 , 700.00 
દૂધી - 180.00 , 350.00
 કારેલા - 450.00 , 600.00 
સરગવો - 380.00 , 450.00 
તુરીયા - 400.00 , 700.00 
પરવર - 350.00 , 550.00 
કાકડી - 250.00 , 400.00 
ગાજર - 260.00 , 380.00 
વટાણા - 700.00 , 900.00
 બીટ - 130.00 , 240.00 
ગલકા - 250.00 , 450.00 
મેથી - 400.00 , 600.00 
ડુંગળી લીલી - 350.00 , 550.00
 આદુ - 1300.00 , 1500.00 
મરચા - લીલા - 500.00 , 700.00 
મકાઇ - લીલી - 190.00 , 280.00 
ગુંદા - 300.00 , 500.00 
લીંબુ - 1100.00 , 1600.00 
સાકરટેટી - 250.00 , 400.00 
તરબુચ - 240.00 , 360.00

8 May 2019

સફળ વાર્તા - ખેડુતોની આવક બમણી કરવા નો ઉપાય એટલે કેસર કેરી મહોત્સવ દ્વારા ખેડુતોનુ સીધું વેચાણ


વર્તમાન સમયમાં ખેતી ખર્ચાળ અને નુકસાનીનો ધંધો બની ગયો છે. જ્યારે પણ ખેડુત સાથે બે વાત કરીએ એટલે એક જ મુદ્દો હોય છે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ નથી. ખેડુતને પોષણક્ષમ ભાવ આપવા એ સરકાર માટે આજે એક મોટો પડકાર છે. અનેક પ્રયાસ છતા ખેડુતને પૂરતું વળતર મળ્યું નથી. કપાસ, મગફળી અને ડુંગળીના ભાવ માટે આપણે ભૂતકાળમાં ઘણા આંદોલન જોયા છે. છતા પણ આજે પણ ખેડુતની સ્થિતિ એની એ જ રહી છે. વેપારી,વચેટીયા, સંગ્રહખોરો, અને કાળાબજારીયાએ ખેડુતના હાલ બેહાલ કરી નાખ્યા છે. ખેડુત સીધા ગ્રાહકને માલ વેચે તેવી કોઈ વ્યવષ્થા નથી. સંગ્રહખોરો ખેડુતો પાસેથી સસ્તાભાવે માલ લઈ પછી તેજ માલનો ભાવ વધારી તગડો નફો કમાય છે. ખેડુત જ્યારે બજારમાં પોતાનો માલ વેચવા જાય છે ત્યારે પુરતા ભાવ મળતા જ નથી. સરકાર ટેકાના ભાવ જાહેર કરે તો તેમાં ભ્રષ્ટાચાર ખદબડતો દેખાય છે. ખાતર, બીયારણ, દવા અને મજુરીના બીલ ચૂકવવા રૂપિયા વ્યાજે લેવા પડે છે. ખેતી આજે આમદની અઠ્ઠાની ખર્ચા રૂપૈયા જેવી થઈ ગઈ છે. યુવાનો ખેતીથી દુર ભાગી રહયા છે.બીજી બાજુ ખેતી એક ઉદ્યોગ બની ગ્રામ્ય વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. ખેડુત એક ઉદ્યોગ સાહસિક બનશે તો જ ખેતી ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાય !

સંસ્થાનું નામ – ગીર કૃષિ વસંત પ્રોડ્યુસર કંપની લીમીટેડ, ગીર ગઢડા,  જીલ્લો – ગીર સોમનાથ.
મોબાઇલ નંબર – ૯૯૭૮૮૨૨૫૩૩, ઈમેલ – gkvpcl26@gmail.com

ખેડુત કઈ રીતે પોતાની પેદાશના પુરતા ભાવ લે તેનું ઉત્તમ ઉદાહરણ હોય તો તે છે ગીર સોમનાથ જીલ્લાની ખેડુતો દ્વારા નિર્માણ થયેલ ગીર કૃષિ વસંત પ્રોડ્યુસર કંપની લીમીટેડ. કંપની સાથે જોડાયેલ ખેડુતો કેસર કેરી મહોત્સવના આયોજન થકી ખેડુતો દ્વારા પોતાની ખેતીની ઉપજ સીધા જ બજારમાં વેચીને બમણી આવક કમાઈ રહ્યા છે. કેસર કેરી મહોત્સવનું આયોજન કરી ખેડુતો પોતાનુ ઉત્પાદન સીધા ગ્રાહકનેદિલ્લી, અમદાવાદ અને ગાંધીનગર ખાતે વેચે છે. કેસર કેરી મહોત્સવને મળેલ સફળતાને જણાવતા કંપનીના ડાયરેક્ટર રાજેશ પાઘડળ કહે છે કે આવા દરેક ખેત પેદાશોના મહોત્સવનું આયોજન કરવાથી ખેડુતની આવક જરૂર બમણી થશે. સરકાર પણ ખેડૂતની આવક બમણી કરવા પ્રયત્નશીલ છે ત્યારે ખેડુતની આવક બમણી કરવા માટે ખેતી સાથે સંકળાયેલ તમામ લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ છે. આજે આ સંગઠન સંગઠીત ખેતી, સમૃધ્ધ ખેડૂત ના સિદ્ધાંતને અનુસરી ખેડુતની આવકને બમણી કરવાના પ્રયાસને સાર્થક કરી રહ્યા છે. ગીર વિસ્તાર ’કેસર કેરી’ અને ‘કેસરી સિંહ’ એમ બે નામથી દેશ વિદેશમાં જાણીતો બન્યો છે. કેસર કેરીનું ઉત્પાદન કરતાં ખેડુતો સામાન્ય રીતે પોતાનું ઉત્પાદન APMC માર્કેટ યાર્ડમાં વેચતા. પુરતા ભાવ ન મળતા અનેક ખેડુતોએ કેરીનાં આંબા કાપી નાખ્યા છે. તેઓના જણાવ્યા પ્રમાણે કેરીનું ઉત્પાદન વર્ષમાં એક વાર આવે અને પુરતા ભાવ પણ મળતા નથી. આવા સમયે પ્રોડ્યુસર કંપની ખેડુતો માટે ‘સુખનો સુરજ ઊગ્યો’ હોય તેમ દેખાય રહ્યું છે. રામપરા ગીરના અશ્વિનભાઇ સાંગાણીના જણાવ્યા પ્રમાણે આજે તેઓ પોતાનું કેરીનું 10 કીલોનું બોક્સ સારા એવા ભાવ થી બજારમાં સીધા ગ્રાહકને વેચે છે તથા સારી ગુણવત્તાની કેરી ગ્રાહકને સીધા ખેડુત પાસેથી મળે છે. ગીર ગઢડાના ખેડુતશ્રી પરષોતમભાઈ હિરપરા કહે છે કે કેસર કેરી મહોત્સવના આયોજન થકી આજે તેઓ આર્થીક રીતે પગભર થયા છે. સામાજિક જવાબદારીના ભાગ રૂપે કંપની ખેડુતો અને ગ્રાહકોને કેશલેસ નાણાકીય વ્યવહારો કરતાં થાય તે માટે POS મશીન અને Paytm વોલેટ જેવા આધુનિક તકનીકીનો પણ ઉપયોગ કરે છે. આ પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ આત્મા અને નાબાર્ડના સહયોગ થકી નર્માણ થયેલ છે. ખેતી ક્ષેત્રે સહકારી ધોરણ સદંતર નિષ્ફળ રહ્યુ છે. સરકારશ્રીના અનેક પ્રયાસ છતાં પણ અનેક સહકારી મંડળી ખોટ ખાઈને ધંધો કરી રહી છે. અત્યારે ગામડામાં એક પ્રકારની ક્રાંતિ ચાલી રહી છે જેમાં ખેડુતો કંપની સ્થાપી રહ્યા છે અને એક નવા જ અભિગમ સાથે બજાર સાથે જોડાઈ રહ્યા છે. ભારત સરકાર પણ નવી યોજનાઓ લાવી આજે FPO ને નવો રાહ દેખાડી રહી છે આમ ભારતીય ખેડુતો કોર્પોરેટ ક્ષેત્ર સાથે ખરા અર્થમાં જોડાય રહ્યા છે. પ્રોડ્યુસર કંપનીના કોર્પોરેટ માળખાને રાજકારણ કે રાજ્ય સરકારના પ્રભાવની કોઈ અસર થતી નથી. આત્માના અધિકારીના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં આવી પ્રોડ્યુસર કંપની બજારમાં જરૂર પ્રભાવ પાડશે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...