જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


8 May 2019

સફળ વાર્તા - ખેડુતોની આવક બમણી કરવા નો ઉપાય એટલે કેસર કેરી મહોત્સવ દ્વારા ખેડુતોનુ સીધું વેચાણ


વર્તમાન સમયમાં ખેતી ખર્ચાળ અને નુકસાનીનો ધંધો બની ગયો છે. જ્યારે પણ ખેડુત સાથે બે વાત કરીએ એટલે એક જ મુદ્દો હોય છે ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ નથી. ખેડુતને પોષણક્ષમ ભાવ આપવા એ સરકાર માટે આજે એક મોટો પડકાર છે. અનેક પ્રયાસ છતા ખેડુતને પૂરતું વળતર મળ્યું નથી. કપાસ, મગફળી અને ડુંગળીના ભાવ માટે આપણે ભૂતકાળમાં ઘણા આંદોલન જોયા છે. છતા પણ આજે પણ ખેડુતની સ્થિતિ એની એ જ રહી છે. વેપારી,વચેટીયા, સંગ્રહખોરો, અને કાળાબજારીયાએ ખેડુતના હાલ બેહાલ કરી નાખ્યા છે. ખેડુત સીધા ગ્રાહકને માલ વેચે તેવી કોઈ વ્યવષ્થા નથી. સંગ્રહખોરો ખેડુતો પાસેથી સસ્તાભાવે માલ લઈ પછી તેજ માલનો ભાવ વધારી તગડો નફો કમાય છે. ખેડુત જ્યારે બજારમાં પોતાનો માલ વેચવા જાય છે ત્યારે પુરતા ભાવ મળતા જ નથી. સરકાર ટેકાના ભાવ જાહેર કરે તો તેમાં ભ્રષ્ટાચાર ખદબડતો દેખાય છે. ખાતર, બીયારણ, દવા અને મજુરીના બીલ ચૂકવવા રૂપિયા વ્યાજે લેવા પડે છે. ખેતી આજે આમદની અઠ્ઠાની ખર્ચા રૂપૈયા જેવી થઈ ગઈ છે. યુવાનો ખેતીથી દુર ભાગી રહયા છે.બીજી બાજુ ખેતી એક ઉદ્યોગ બની ગ્રામ્ય વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. ખેડુત એક ઉદ્યોગ સાહસિક બનશે તો જ ખેતી ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાય !

સંસ્થાનું નામ – ગીર કૃષિ વસંત પ્રોડ્યુસર કંપની લીમીટેડ, ગીર ગઢડા,  જીલ્લો – ગીર સોમનાથ.
મોબાઇલ નંબર – ૯૯૭૮૮૨૨૫૩૩, ઈમેલ – gkvpcl26@gmail.com

ખેડુત કઈ રીતે પોતાની પેદાશના પુરતા ભાવ લે તેનું ઉત્તમ ઉદાહરણ હોય તો તે છે ગીર સોમનાથ જીલ્લાની ખેડુતો દ્વારા નિર્માણ થયેલ ગીર કૃષિ વસંત પ્રોડ્યુસર કંપની લીમીટેડ. કંપની સાથે જોડાયેલ ખેડુતો કેસર કેરી મહોત્સવના આયોજન થકી ખેડુતો દ્વારા પોતાની ખેતીની ઉપજ સીધા જ બજારમાં વેચીને બમણી આવક કમાઈ રહ્યા છે. કેસર કેરી મહોત્સવનું આયોજન કરી ખેડુતો પોતાનુ ઉત્પાદન સીધા ગ્રાહકનેદિલ્લી, અમદાવાદ અને ગાંધીનગર ખાતે વેચે છે. કેસર કેરી મહોત્સવને મળેલ સફળતાને જણાવતા કંપનીના ડાયરેક્ટર રાજેશ પાઘડળ કહે છે કે આવા દરેક ખેત પેદાશોના મહોત્સવનું આયોજન કરવાથી ખેડુતની આવક જરૂર બમણી થશે. સરકાર પણ ખેડૂતની આવક બમણી કરવા પ્રયત્નશીલ છે ત્યારે ખેડુતની આવક બમણી કરવા માટે ખેતી સાથે સંકળાયેલ તમામ લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ છે. આજે આ સંગઠન સંગઠીત ખેતી, સમૃધ્ધ ખેડૂત ના સિદ્ધાંતને અનુસરી ખેડુતની આવકને બમણી કરવાના પ્રયાસને સાર્થક કરી રહ્યા છે. ગીર વિસ્તાર ’કેસર કેરી’ અને ‘કેસરી સિંહ’ એમ બે નામથી દેશ વિદેશમાં જાણીતો બન્યો છે. કેસર કેરીનું ઉત્પાદન કરતાં ખેડુતો સામાન્ય રીતે પોતાનું ઉત્પાદન APMC માર્કેટ યાર્ડમાં વેચતા. પુરતા ભાવ ન મળતા અનેક ખેડુતોએ કેરીનાં આંબા કાપી નાખ્યા છે. તેઓના જણાવ્યા પ્રમાણે કેરીનું ઉત્પાદન વર્ષમાં એક વાર આવે અને પુરતા ભાવ પણ મળતા નથી. આવા સમયે પ્રોડ્યુસર કંપની ખેડુતો માટે ‘સુખનો સુરજ ઊગ્યો’ હોય તેમ દેખાય રહ્યું છે. રામપરા ગીરના અશ્વિનભાઇ સાંગાણીના જણાવ્યા પ્રમાણે આજે તેઓ પોતાનું કેરીનું 10 કીલોનું બોક્સ સારા એવા ભાવ થી બજારમાં સીધા ગ્રાહકને વેચે છે તથા સારી ગુણવત્તાની કેરી ગ્રાહકને સીધા ખેડુત પાસેથી મળે છે. ગીર ગઢડાના ખેડુતશ્રી પરષોતમભાઈ હિરપરા કહે છે કે કેસર કેરી મહોત્સવના આયોજન થકી આજે તેઓ આર્થીક રીતે પગભર થયા છે. સામાજિક જવાબદારીના ભાગ રૂપે કંપની ખેડુતો અને ગ્રાહકોને કેશલેસ નાણાકીય વ્યવહારો કરતાં થાય તે માટે POS મશીન અને Paytm વોલેટ જેવા આધુનિક તકનીકીનો પણ ઉપયોગ કરે છે. આ પ્રોડ્યુસર કંપનીનું નિર્માણ આત્મા અને નાબાર્ડના સહયોગ થકી નર્માણ થયેલ છે. ખેતી ક્ષેત્રે સહકારી ધોરણ સદંતર નિષ્ફળ રહ્યુ છે. સરકારશ્રીના અનેક પ્રયાસ છતાં પણ અનેક સહકારી મંડળી ખોટ ખાઈને ધંધો કરી રહી છે. અત્યારે ગામડામાં એક પ્રકારની ક્રાંતિ ચાલી રહી છે જેમાં ખેડુતો કંપની સ્થાપી રહ્યા છે અને એક નવા જ અભિગમ સાથે બજાર સાથે જોડાઈ રહ્યા છે. ભારત સરકાર પણ નવી યોજનાઓ લાવી આજે FPO ને નવો રાહ દેખાડી રહી છે આમ ભારતીય ખેડુતો કોર્પોરેટ ક્ષેત્ર સાથે ખરા અર્થમાં જોડાય રહ્યા છે. પ્રોડ્યુસર કંપનીના કોર્પોરેટ માળખાને રાજકારણ કે રાજ્ય સરકારના પ્રભાવની કોઈ અસર થતી નથી. આત્માના અધિકારીના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં આવી પ્રોડ્યુસર કંપની બજારમાં જરૂર પ્રભાવ પાડશે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...