જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


14 May 2019

ચોમાસુ ચાર જૂને કેરળના દરિયા કાંઠે ટકરાશે, સામાન્યથી ઓછા વરસાદની શક્યતા દેશની એક ખાનગી હવામાન એજન્સીનું પૂર્વાનુમાન

ઓછા વરસાદને પગલે ઊંચું કૃષિ ઉત્પાદન અને ઊંચો આર્થિક વિકાસ હાંસલ કરવો પડકારજનક બની રહેશે

પૂર્વ, પૂર્વોત્તર અને મધ્ય ભારતમાં ઓછો વરસાદ જ્યારે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ચિંતા ઓછી  
૨૦૧૯માં દેશના ચારેય ક્ષેત્રોમાં ચોમાસુ નબળુ રહેશે 

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ૪ જૂને કેરળના દરિયા કાંઠે ટકરાશે. ચોમાસુ ૨૨ મેના રોજ અંડમાન અને નિકોબાર પહોંચશે. ખાનગી હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર આ વર્ષે સામાન્યથી ઓછો ૯૩ ટકા વરસાદ પડવાનો અંદાજ છે. 
જો કે ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ૯૬ ટકા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હતી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે અલ નીનોની અસર ખૂબ જ ઓછી જોવા મળશે. 
ચોમાસુ આગળ વધવાની સાથે અલ નીનોની અસર ઓછી થવા લાગશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ૭૦ ટકા વરસાદ ચોમાસાની ઋતુમાં જ પડે છે. એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રના કૃષિ સેક્ટરનો વિકાસ આ સીઝન પર જ આધારિત છે. 
સામાન્ય રીતે વરસાદની શરૃઆત કેરળમાં એક જૂનની આસપાસ થઇ જાય છે અને જુલાઇના મધ્ય સુધી ચોમાસુ સમગ્ર દેશને આવરી લેશે. સામાન્યથી ઓછા વરસાદની શક્યતાને પગલે ૨.૬ ટ્રિલિયન ડોલરના ભારતીય અર્થતંત્રની ઉંચું કૃષિ ઉત્પાદન અને ઉંચો આર્થિક વિકાસ હાંસલ કરવો પડકારજનક બની રહેશે.
દેશની એક માત્ર ખાનગી હવામાન એજન્સીના એમડી જતીન સિંહે જણાવ્યું છે કે ૨૦૧૯માં દેશના ચારેય ક્ષેત્રોમાં ચોમાસુ નબળુ રહેશે. પૂર્વ, પૂર્વોત્તર અને મધ્ય ભારતમાં ઓછા વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ચિંતા ઓછી છે. આ અગાઉ પણ ત્રણ એપ્રિલે આ જ હવામાન એજન્સીએ ૯૩ ટકા વરસાદ પડવાની શક્યતા દર્શાવી હતી. વરસાદ સામાન્યથી ઓછું રહેવાની શક્યતા ૫૫ ટકા છે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...