જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


20 February 2018

કૃષિ ક્ષેત્રના જોખમોને પહોંચી વળવા ૧૧૦૧ કરોડની જોગવાઇ ટ્રેકટરની ખરીદીમાં સહાય - ઓજારો ખરીદવા પણ મદદ

ગાંધીનગર તા. ર૦ આજે બજેટમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે જણાવેલ છે કે ખેડૂતોને પુરતી વિજળી, પાણી અને ખાતર જેવી પ્રાથમિક સુવીધાઓ ઉપરાંત વીમાનું રક્ષણ મળવાથી ગુજરાતની ખેતી અને ખેડૂતો સમૃધ્ધ બન્યા છે. રાજય સરકારે ખેડૂતોને પાકોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે અનેકવિધ આયોજનો કર્યા છે. રાજયના ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીની નીતિ હેઠળ મગફળી અને કપાસ જેવા વિવિધ પાકોમાં સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત ટામેટા અને બટાકાના ભાવ નીચા જાય તેવા કિસ્સામાં ખેડૂતોના હિતમાં વાહતુક સબસીડી અને ડુંગળીના પાકમાં ઉત્પાદન સહાય આપવામાં આવે છે, જે સરકારના ખેડૂતલક્ષી અભિગમને પુરવાર કરે છે.


પાક વિમા નિધિ સહિત પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના, ખેડૂત અકસ્માત વીમો, ભાવ સ્થિરીકરણ વગેરે કૃષિ ક્ષેત્રના જોખમોને પહોંચી વળવા અમારી સરકાર દ્વારા રૂ. ૧૧૦૧ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવેલ છે.
ખેડૂતોની પ્રગતિ અને કલ્યાણ અમારી પ્રાથમિકતા હોઇ, ખેડૂતોને ઝીરો ટકાના વ્યાજે પાક ધિરાણ મળે તે માટે જોગવાઇ રૂ. પ૦૦ કરોઙ
પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓ અંતર્ગત રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત રૂ. ૩૯પ કરોડની જોગવાઇ.
કૃષિ યાંત્રીકીકરણ માટે કુલ રૂ. ર૩પ કરોડની જોગવાઇ, જે અંતર્ગત ર૯,૦૦૦ ખેડૂતોને ટ્રેકટરની ખરીદીમાં અને ૩ર,૦૦૦ ખેડૂતોને કૃષિ યાંત્રીકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવામાં આવશે.
અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતિ અને નાના-સીમાંત ખેડૂતોને હેન્ડ ટૂલ્સ કીટમાં સહાય આપવા રૂ. ર૧ કરોડની જોગવાઇ.
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉં, ચોખા, કઠોળ, બરછટ અનાજ અને કપાસ તથા શેરડી જેવા વાણીજીયક પાકોના ઉત્પાદનમાં વૃધ્ધિ માટે કુલ રૂ. ૭ર કરોડની જોગવાઇ.
તેલીબીયા પાકોનું ઉત્પાદન વધારવા નેશનલ મીશન ઓન ઓઇલસીડ એન્ડ ઓઇલપામ યોજના અંતર્ગત કુલ રૂ. ૪૧ કરોડની જોગવાઇ.
 પ્રધાન મંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ રૂ. ૮પ કરોડની જોગવાઇ, જે અંતર્ગત અંદાજીત ૧૪,ર૦૦ ખેત તલાવડી બનાવવમાં આવશે.
ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતીઓનું માર્ગદર્શન આપવા કૃષિ મહોત્સવ ર૦૧૮ ના  આયોજન માટે રૂ. ૩૦ કરોડની જોગવાઇ.
ખેડૂતોને સમયસર અને પુરતા જથ્થામાં રાસાયણિક ખાતર પુરૂ પાડવા માટે રૂ. ર૮.પ૦ કરોડની જોગવાઇ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...