જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


28 February 2018

જાણો કઈ રીતે ૨ મહિને બીલ બનાવી વીજ કંપનીઓ ગ્રાહકો ને લુટે છે ?

આપણે એવુ લાગે છે કે વીજળીનું બીલ 1 મહિને આવે કે 2 મહિને શુ પ્રોબ્લમ ! કદાચ આપણે વિચારતા હોઈએ કે દર 2 મહિને બીલ આવે એતો સારુ કહેવાય , પણ નહિ વીજ કંપનીઓના આ ભાવ સ્લેબ ને જાણ્યા પછી તમે પણ કહેશો કે ખરેખર 2 મહિને બીલ આવે તે નુકશાની છે.
ઘણા લોકો ને ખબર હશે કે વીજ કંપની ના સ્લેબ મુજબ જેટલા યુનિટ વધારે વપરાય તેટલો વધારે ભાવ લાગે જે ભાવ નીચે આપેલા છે. તો શું આ વધારાના બીલ ની આવક મેળવવા વીજ કંપની ઓ દર 2 મહિને બીલ બનાવે છે?

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ ના પરિપત્રમાં પણ રહેણાંક, કોમર્શીયલ અને ઔધોગિક ક્ષેત્ર માટે માસિક ટેરીફ જ દર્શાવવામાં આવ્યા છે છતાં વીજ કંપનીઓ દ્વારા રહેણાંક વિસ્તારોમાં 60 દિવસે અને ઔધોગિક વિસ્તાર 30 દિવસે બીલ આપે છે.

તો જાણીએ કે કેવી રીતે વીજ કંપનીઓ ગ્રાહકોને લુટે છે

રહેણાંક વિસ્તાર ના ભાવ યુનિટ-સ્લેબ પ્રમાણે

1 થી 100 યુનિટ      = 3.૦5 રૂપિયા

101 થી 200 યુનિટ = 3.50 રૂપિયા

201 થી 400 યુનિટ  = 4.15 રૂપિયા

401 થી 500 યુનિટ = 4.25 રૂપિયા

501 થી વધારે       = 5.20 રૂપિયા

ઝોન પ્રમાણે ભાવ મા થોડો ફેરફાર હોય શકે. જાણીએ 1 મહિને અને 2 મહિને બીલ થાય તો કેટલો તફાવત રહે. મિત્રો તમને પણ અંદાજ આવી ગયો હશે, પણ નીચે આપેલા ફેરફાર જાણી તમને વિશ્વાસ પણ આવશે.

દા.ત : એક ગ્રાહક ને દર 2 મહિને 400 યુનિટ આવે છે તો તેનું બીલ 1660 રૂપિયા થાય અને મીટર ચાર્જ અલગ.

400 x 4.15 = 1660

અને 1 મહિના પ્રમાણે જોઈએ તો 200 યુનિટ થાય

200 x 3.50 = 700

એક મહિના ના 700 રૂપિયા થાય તો બે મહિના ના 1400 થાય, એ પ્રમાણે જોઈએ તો …..
તફાવત : 1660 – 1400 = 260 રૂપિયા થાય. એટલે કે ગ્રાહક વીજ કંપની ને દર 2 મહિને 260 વધારે ચુકવે છે અને મીટર ચાર્જ અલગથી ઉમેરવામાં આવે છે..

મિત્રો આ બાબત પર ઘણા ગ્રાહકો એ રજૂઆત કરી છે પણ અત્યાર સુધી કોઈપણ પગલા લેવામાં નથી આવ્યા. દરેક વ્યક્તિઓ સાથ આપશે તો કદાચ બદલાવ આવી શકે, આપણે થોડું જાગૃત થવાની જરૂર છે. આ પોસ્ટને દરેક વ્યક્તિ સાથે શેર કરો અને જણાવો કે કેટલી લુટ કરવામાં આવે છે.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ આર્ટીકલ ગમ્યું હશે,

સોજન્ય:  Trisul News

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...