જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


25 December 2017

એક સાચી હકીકત છે. જે દરેક ખેડૂત ના ઘરે બનતી જ હોય છે પણ અફસોસ કે કોઈને દેખાતું નથી

ખેડુત ના ઘરે જન્મ લીધો હોય. અથવા ખેડૂત ની મહેનત થી પકવેલું અનાંજ પેટ માં હોય. તો એક વાર જરુર વાચજો. અને બીજા ને વધું માં વધું શેયર કરજો......


આ કોઈ રાજકીય વાર્તા નથી એક સાચી હકીકત છે. જે દરેક ખેડૂત ના ઘરે ઘટે સે

એક ખેડુતના મનની વાત માણસ સપના જુવે સે તે જરુર પુરા થાય છે....

પણ ખેડુતના સપના ક્યારેય પુરા થતા નથી..ખુબ જ મોટા સપના અને મહેનતથી પાક તૈયાર કરેછે.પણ જયારે તૈયાર થયેલો પાક બજાર મા વેચવા જાય છે, ત્યારે ખુબ જ ખુશ થતો થતો જાય છે....

ઘરે છોકરાઑ ને કહેતો જાય છે કે આજે તમારા માટે કપડા અને મિઠાઇ લેતો આવીશ...

પત્નિ ને કહેછે કે,તારી સાડી જુની સે ને ફાટવા લાગી સે આજે ઍક નવી સાડી લેતો આવીશ....
ત્યારે પત્નિ કહે છે કે ના ના આ તો હજુ ચાલે ઍમ છે,

તમે તમારા માટે જુત્તા લેતા આવજો તુટી ગયા છે.
જયારે ખેડુત બજાર પહોચે છે ત્યારે, તેની ઍક મજબુરી હોયસે.. કે તે પોતાના માલની કિંમત પોતે નક્કી નથી કરી શકતો....

વેપારી તેના માલ ની કિંમત પોતાના હિસાબથી નક્કી કરે છે.એક સાબુના પેકેટ પર પણ એની કિંમત લખેલી હોય છે,

એક બાકસ ના બોક્ષ પર પણ તેની કિંમત લખેલી હોય છે,પણ ખેડુત પોતાના માલની કિંમત પોતે કરી શકતો નથી.

તો પણ માલ તો વેચાઇ જાય છે.પણ ભાવ તેના ધાર્યા પ્રમાણે નથી મળતો,માલનુ વજન મળી ગયા પછી જ્યારે રુપિયા મળે છે..

ત્યારે વિચાર કરે છે કે,આમાથી દવા વાળાને આપવાના છે,ખાતર વાળાને આપવાના છે,અને મજુરને પણ આપવાના છે,અને હા વિજળીનુ બિલ પણ ભરવાનુ છે .

બધો હિસાબ કર્યા પછી કશુ જ બચતુ નથી..તે લાચાર બનીને ઘરે આવતો રહે છે.છોકરાઑ તેના ઘર આગણે રાહ જોઇને ઉભા હોય છે...

બાપુજી__બાપુજી કરતા બાળકો તેને વળગી પડે છે,અને પુસે છે કે અમારા નવા કપડા લાવ્યા....?

ત્યારે ખેડુત કહે સે.. કે, બેટા બજાર મા સારા કપડા જ ન હતા, દુકાનવાળો કહેતો હતો કે આ વખતે દિવાળી પર સારા કપડા આવશે,

ઍટલે લય લૈશુ...પણ ખેડુત ની પત્નિ સમજી જાય છે.કે માલનો સારો ભાવ મળ્યો નથી,તે છોકરાઑને કહે છે.કે જાવ હવે તમે રમવા જતા રહો...

ખેડુત તેની પત્નિ ને કહે છે કે, અરે હા તારી સાડી પણ નથી લાવી શકયો.

પત્નિ પણ સમજદાર હોય છે... તે કહે છે કે, કાઇ વાધો નહિ ફરી ક્યારેક લય લૈશુ..પણ તમે તમારા જુત્તા લેતા આવ્યા હોયતો..? ખેડુત કહે છે.અરે એતો હુ ભૉલી જ ગયો...

પત્ની પણ પતિ સાથે વરસોથી રહે છે.ખેડુતનો નિરાશ ચહેરો જોઇને અને વાત કરવાના અંદાજ પરથી તેની પરેશાની સમજી જાય છે,તો પણ ખેડુતને દિલાશો આપે છે.

અને પોતાની ભિજાયેલી આખોને સાડી ના છેડાથી લુછતા લુછતા રસોડા મા ચાલી જાય છે.પછી બીજા દિવશે

સવારે આખો પરિવાર નવા સપના નવી આશાઑ સાથે ફરીથી નવા પાકની કામગીરી મા લાગી જાય છે.

આ કહાની બધા જ નાના મોટા ખેડુતો ને લાગુ પડે છે.
હુ ઍમ નથી કહેતો કે દર વખતે પાકનો સારો ભાવ નથી મળતો...

જયારે પણ ભાવ વધે ત્યારે મિડીયા વાળા કેમેરા લૈ ને બજાર મા પહોચી જાય છે,

અને ઍકની ઍક જાહેરાત દશ વાર બતાવે છે.કેમેરા ના સામે શહેરની બહેનો હાથ મા બાસ્કેટ લૈ ને પોતાનો મેક અપ સરખો કરતી કરતી કહે સે...કે, શાકભાજી ના ભાવ બહુ વધી ગયા છે,

અમારા રસોડાનુ બજેટ બગાડી નાયખુ છે.પણ હુ ઍમ કહુ છુ કે ક્યારે તો પોતાનુ બાસ્કેટ ખુણા મા મુકી ને કોઇક ખેતરમાં જઈને કોઇ ખેડુત ની હાલત તો જુઓ...

તે કઇ રીતે પાક ને પાણી આપે છે...25 લીટરની દવા ભરેલી ટાકી પોતાના ખભે ભરાવીને કેવી રીતે દવાનો છંટકાવ કરે છે....

20 કિલો નુ તગારુ ઉચકીને કેવી રીતે આખા ખેતરમાં ફરી ફરીને પાક ને ખાતર આપે છે...

પાવર કાપ મા પણ પાવર આવવાની રાહ જોત જોતા આખી રાતના ઉજાગરા કરે છે...

આવા ધગધગતા ઉનાળામાં મથાનો પરસેવો પગની પાની સુધી પહોચી જાય છે...?

જહેરીલા જાનવરોનો ડર હોવા છતા પણ ઉઘાડા પગે ખેતરોમા રખડવુ પડે છે..?

જે દિવશે તમે આ વાસ્તવિક તા પોતાની આખો થી જોઇ લેશો ,તે દિવશ થી રસોડામા પડેલા.

શાકભાજી, ઘઉ, ચોખા, દાળ, ફળ, મસાલા, દૂધ.. વગેરે બધુ જ સસ્તુ લાગવા માંડશે. ત્યારે તો તમે કોઇ ખેડુતનુ દુખ સમજી શકશો.....!!

આમતો સરકાર ખેડૂતો વિશે ઘણું બધું વિચારતી હોય છે ઘણીબધી સ્કીમો હોય છે અને ઘણા બધા લાભ હોય છે પણ અફસોસ કે વચ્ચેના વચેટિયાઓ તેનો લાભ ઉઠાવી લેતા હોય છે અને આ સ્કીમનો લાભ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળતો નથી.

ખેડૂતને તરીકે કામ કરતાં જોયો હોય તો તમને ખ્યાલ હશે કે તેને કોઈ પણ ઋતુમાં કામ કરતાં જોયો હશે એ પછી ભલેને શિયાળો ઉનાળો ચોમાસું હોય ત્યારે લોકો ઘરની બહાર ન નીકળી શકે એવી જ શબ્દ ઋતુમાં અથવા એવા વાતાવરણમાં ત્યારે તે ખેડુત પોતાના ખેતરમાં મહેનત કરતો હોય છે...

જય જવાન .જય કિશાન ખેડૂત ના દીકરા હોય તો શેર કરજો

4 December 2017

મધરાત સુધીમાં ઓખી દ.ગુજરાતના કાંઠે ત્રાટકશે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈએલર્ટ આપી દેવાયું છે.

સુરતના કિનારે ઓખીનું લેન્ડ ફોલઃ તંત્ર એલર્ટઃ એનડીઆરએફની ટીમો તૈનાતઃ વલસાડથી લઇને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સુધીના કાંઠે ૭૦ કિમીની ઝડપે પવન ફુંકાશે સુરતમાં તમામ કર્મચારીઓની રજા રદ્દઃ સ્ટેન્ડ ટુઃ ૧૫-૧૭ કિ.મી.ની સ્પીડથી વાવાઝોડુ આગળ વધે છે ગુજરાતના ૯ જિલ્લામાં ૨ થી ૪ ઇંચ વરસાદ પડવાની સંભાવના ગઇકાલે મુંબઇમાં ડિસેમ્બર મહિનાનો દાયકાનો સૌથી વધુ વરસાદ પડયાઃ શાળા - કોલેજો બંધ

   નવી દિલ્હી તા. ૫ : ગુજરાતના દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈએલર્ટ આપી દેવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મધરાત સુધીમાં ઓખી સુરતના દરિયા કિનારે ત્રાટકી શકે છે. ચક્રવાત સોમવારે સાંજે ગુજરાતના દરિયા કિનારાથી ૭૭૦ કિમી દૂર હતું જે પ્રતિ કલાક ૧૫-૧૭ કિમીની ઝડપે સુરત તરફ વધી રહ્યું છે. જેના કારણે સોમવાર સવારથી જ પોરબંદર, ભાવનગર, રાજકોટ, આણંદ અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે અને મોડી સાંજથી છૂટોછવાયો વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે.
   ૫૦ લાખ જેટલી વસ્તી ધરાવતા સુરતમાં NDRFની ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસને અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ પૂર્ણરૂપે તૈયાર છે અને ડિઝાસ્ટર પ્લાન વર્કિંગ કરી દેવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. વિજ કંપનીઓને ચક્રવાત દરમિયાન પાવર બંધ કરવા અને ત્યારબાદ ફરી પૂર્વવત કામગીરી શરૂ કરવા માટે કહી દેવામાં આવ્યું છે. ઇલેકિટ્રસિટીના ખુલ્લા જંકશન બોકસને બંધ કરી દેવામાં આવ્યા છે અને હાઈરાઇઝ ટાવર લાઇટને ૬ ડિસેમ્બર સુધી નીચે કરી દેવામાં આવી છે. શહેરના ૭૮૦૦ સ્ટ્રોમ વોટર ડ્રેન કિલન કરી દેવામાં આવ્યા છે. તેમજ જો ઝાડ પડવાના કેસમાં રસ્તો કિલયર કરવા માટે ૬૦ કટિંગ મશિન સાથે ૬૦ લોકો ધરાવતી એક એવી કુલ ૧૫ ટીમ સ્ટેન્ડબાયમાં તૈયાર રાખવામાં આવી છે.'
   મુંબઈમાં સોમવારે ઓખી વાવાઝોડાના કારણે ડિસેમ્બર મહિનામાં દશકાનો સૌથી વધુ વરસાદ નોધવામાં આવ્યો હતો. જેના પગલે મંગળવારે રાજય સરકાર દ્વારા સ્કુલ અને કોલેજોમાં તકેદારીના ભાગે રજા ઘોષિત કરવામાં આવી છે. જોકે મુંબઈ યુનિવર્સિટીએ જાહેર કર્યું હતું કે યુનિવર્સિટીઝની એકઝામ તેના શેડ્યુલ પ્રમાણે જ લેવામાં આવશે.
   દ.ગુજરાતમાં નવસારી-વલસાડ અને સૌરાષ્ટ્રમાં અમરેલી-ભાવનગર ખાતે NDRFના વધુ ચાર ટીમો તહેનાત કરવામાં આવી છે. પ્રિન્સિપલ રેવન્યુ સેક્રેટરી પંકજ કુમારે કહ્યું કે, 'દ. ગુજરાતના વલસાડથી લઈને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સુધીના દરિયાકાંઠે વાવાઝોડાના કારણે ૭૦ કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે.' તેમણે વધુમાં કહ્યું કે, 'ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, ભરુચ, ડાંગ, તાપી, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર આ નવ જીલ્લામાં ૭૦-૧૦૦ mm જેટલો હળવોથી ભારે વરસાદની શકયતા જોવાઈ રહી છે.' વાવાઝોડાના કારણે અમે દરિયાકાંઠાના વિસ્તારમાં સામાન્ય નુકસાનની ભીતી સેવી રહ્યા છે. જોકે દરેક જાતની આપત્તિ સામે લડવા માટે તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે.

ઓખી ઇફેક્ટ : રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થી ખેતીના શિયાળુ પાકોને નૂકશાન


રાજ્યમાં કમોસમી વરસાદના ૫ગલે ખેતીના શિયાળુ ૫ાકોને ૫ણ ભારે નૂકશાની જવાની ભીતિ પેદા થઇ છે. ઘઉં, જીરુ, બાજરી સહિતના ખેતરમાં વવાયેલા પાકો ઉ૫ર વરસાદની માઠી અસર ૫ડશે.




છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારો માટે ચિંતાનો વિષય બનેલા ઓખી વાવાઝોડાની અસર તળે ગઇકાલે રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદી ઝા૫ટા વરસ્યા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી લઇને છેક અમદાવાદ સુઘી તેની અસર જોવા મળી છે. તેમજ અમદાવાદમાં ૫ણ હળવા વરસાદી છાંટા વરસી રહ્યા છે. આ ઉ૫રાંત સુરત, નવસારી અને વડોદરા જેવા શહેરોમાં ૫ણ કમોસમી વરસાદનો માહોલ સર્જાયો છે.
આ વાવાઝોડું આજે રાત્રે સુરત નજીકના સમુદ્ર કિનારા પરથી ડીપ ડીપ્રેશન તરીકે પસાર થયું હતું. હવામાન વિભાગે અગાઉથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરી હતી. ઓખી વાવાઝોડાના આગમનની અસર ગત રાતથી જ જોવા મળી છે. અને આજે દિવસભર તેની અસર રહેશે. આજે મધરાતે વાવાઝોડું ત્રાટક્યા પછી પણ તા. 6 સુધી તેની અસર ચાલુ રહેશે. આ બન્ને દિવસો દરમ્યાન દરિયો તોફાની બની રહેશે. જો કે માછીમારોને ગઇકાલથી ચેતવણી આપી દેવામાં આવી છે અને બધાને માછીમારીએ જતા રોકી દેવાયા છે. આ વાવાઝોડાના આગમન પૂર્વે ગુજરાતભરમાં આકાશ વાદળોથી ઘેરાઇ ગયું હતું અને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી વગેરે શહેરોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અમદાવાદમાં ગત રાતથી વરસાદ શરૂ થયો છે.
સુરતમાં શાળાઓમાં રજાનો આદેશ : 63 જેટલા ગામડાઓનું સ્થળાંતર
સંભવિત ઓખી વાવાઝોડાને લઈ સુરતમાં તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. શહેરભરની શાળાઓને પરિસ્થિતિ જણાય તો રજા અથવા બંધ પાળવા જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ આપ્યો છે. કુલ 63 જેટલા ગામોમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRF ની 4 ટિમ અને SDRF ની 2 ટીમ સુરતમાં સ્ટેન્ડબાય રખાઇ છે. તારીખ દસમી સુધી સરકારી કર્મચારીઓની રજા પણ રદ કરાઈ છે. લોકોને ઘરોની બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે. 6 તારીખ ની મધરાત્રી સુધીમાં ઓખી વાવાઝોડુ ત્રાટકી શકે છે.  વાવાઝોડા ને લઈ વૃક્ષો, વિજપોલ, જર્જરિત ઇમારત જેવી જગ્યાઓથી દૂર રહેવાની લોકોને અપીલ કરાઇ છે.
વડોદરામાં બેવડી ઋતુનો અનુભવ કરતા લોકો
વડોદરામાં પણ ઓખી વાવાઝોડાની અસર દેખાવવાની શરૂ થઈ છે. વાવાઝોડાને લઈને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોએ બહાર જવાનું ટાળ્યુ હતુ. લોકોએ ઠંડીની સાથે વરસાદના કારણે બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો.

ગુજરાત તરફ ફંટાયું ઓખી વાવાઝોડું, 4-5 ડીસેમ્બર દરમ્યાન હળવા થી મધ્યમ વરસાદ ની શક્યતા છે

ઓખી વાવાઝોડાના કારણે તા. ૪ થી ૫  ડીસેમ્બર
દરમ્યાન હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

• ખેડૂત ભાઈઓએ કપાસની વીણી તૈયાર હોય તો વીણી લેવો.

• જીરું, ઘઉં, ધાણા, ચણા, લસણ, ડુંગળી અને શાકભાજી પાકોને પિયત આપવાનું
મુલતવી  રાખવું.

• જીરુંના પાકમાં મેન્કોઝેબ દવા ૨૭ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને
તત્કાલ છાંટવી જેથી કાળી ચરમી/કાળીયા રોગનો ઉપદ્રવ થાય નહિ. વરસાદ પછી પણ
આજ દવાનો ફરીને છંટકાવ  કરવો.

• ખેતરમાં રહેલ તૈયાર માલ ઢાંકી દેવો અથવા સલામત સ્થળે રાખી દેવો.

• વરસાદનું વધારાનું પાણી ખેતરમાં ભરાય રહે નહિ તે માટે તેના નિકાલની
વ્યવસ્થા કરવી.

• ફળપાકોમાં પાકા ફળો ઉતારી બજારમાં મોકલી દેવા.

• પશુઓને સલામત સ્થળે રાખવા.
એમ. એફ. ભોરણીયા સાહેબ ની ભલામણ
(કે વી કે નાનાકાંધાસર)

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...