જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


5 March 2019

ઘઉં પાકી ગયા તો’ય નથી મળ્યો મગફળીનો ‘ટેકો’ ખરીદીનાં અઢી મહિના બાદ પણ 4.47 લાખ મેટ્રિક ટન મગફળીનું 2238 કરોડનું પેમેન્ટ અટકી પડયું

ગાંધીનગર તા.5 ખેડૂતોની આવક વધારવાના ઇરાદાથી લોકસભાની ચૂંટણી પૂર્વે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરનાર ગુજરાત સરકારે ગુજરાતના 20થી 25 ટકા ખેડૂતોને હજી સુધી પેમેન્ટ કર્યા જ નથી. ખેડૂતો તેમના પેમેન્ટ તેમના ખાતામાં જમા આવવાની બેથી અઢી મહિનાથી રાહ જોઈ રહ્યા છે.

ગુજરાત સરકારે રૂ.2238 કરોડની કિંમતની અંદાજે 4,47,000 મેટ્રિકટન મગફળીની 2018-19ના વર્ષ દરમિયાન કરી હતી. ક્વિન્ટલદીઠ રૃા. 4890ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતોને ક્વિન્ટલે રૃા.110નું બોનસ આપવાની જાહેરાત કરવામાં  આવી હતી. આ ભાવે ડિસેમ્બર કે તેની પહેલી માલ વેચનારાઓને પણ તેમના નાણાં તેમના ખાતામાં જમા મળ્યા નથી. ગુજરાત સરકારની જાહેરાતોમાં માલ વેચ્યા પછી સાતથી 15 દિવસમાં ખેડૂતોને તેમના નાણાં પરત મળી જવાની જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ આજે મગફળી વેચ્યાના બેથી અઢી મહિના વીતી ગયા હોવા છતાંય ખેડૂતોના બેન્કના ખાતામાં પૈસા જમા આવ્યા જ નથી. વિસાવદરના ખેડૂતોને પણ પૈસા મળ્યા ન હોવાની ફરિયાદ થઈ રહી છે.

દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના ખેડૂતોમાંથી ખાસ્સા ખેડૂતોને આજદિન સુધી તેમના પૈસા મળ્યા નથી. તેવી જ રીતે વંથલી તાલુકાના ખેડૂતો પણ પૈસા મળવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. અમરેલી જિલ્લામાં બાબરા અને લાઠીના ખેડૂતો પણ પૈસા ન આવતા અકળાઈ ઊઠયા હોવાનું સ્થાનિક વિધાનસભ્યોનું કહેવું છે. 25% કોમોડિટીની ટેકાનાં ભાવે ખરીદી

બીજું, સરકાર સામાન્ય રીતે ટેકાના ભાવે જે કોઈ કોમોડિટીની ખરીદી કરે છે તે કુલ ઉત્પાદનના 25 ટકા જેટલી જ કોમોડિટી ખરીદે છે. તેને પરિણામે બાકીના 25 ટકા ખેડૂતોને અન્યાય થતો હોવાની લાગણી જન્મે છે. આ સ્થિતિમાં એક જ વસ્તુના એક ખેડૂતને વધુ મળે છે અને બીજા ખેડૂતને ઓછા મળે છે. આ સ્થિતિનો એક સંભવિત ઉકેલ સરકાર જે ટેકાના ભાવ નક્કી કરે તે ભાવથી નીચા ભાવે માલ ખાનગી વેપારીઓને પણ ખરીદવાની છૂટ ન આપવામાં આવે તો તમામ ખેડૂતને એક સરખો લાભ મળી શકે છે.

સોર્સ - http://gujaratmirror.in/

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...