જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


28 February 2019

UPમાં બટાકાના ભાવમાં 30% અને બંગાળમાં 50%નો ઘટાડો થયો

મુંબઈ-   ઊંચા પાકની અપેક્ષાને કારણે ઉત્તર પ્રદેશમાં બટાકાના ભાવમાં ૩૦ ટકા અને પશ્ચિમ બંગાળામાં ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. સમાન સમયગાળા દરમિયાન ગયા વર્ષે બટાકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.૮૦૦ની આસપાસ જોવા મળ્યા હતા, જે આશરે ૫૦ ટકાનો ઘટાડો દર્શાવે છે. હાલમાં બટાકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.૪૦૦એ ઉપલબ્ધ છે.

26 February 2019

રાજ્યના વાતાવરણમાં પલટો, ઉડી ધૂળની ડમરીઓ પડ્યો વરસાદ, જાણો - ક્યાં કેવો માહોલ

ઠેર ઠેર વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. કેટલીક જગ્યા પર વરસાદ પણ પડી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે

રાજ્યભરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના. 35થી 40 કિમી ઝડપે પવન ફૂંકાશે.
ઠેર ઠેર વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. કેટલીક જગ્યા પર વરસાદ પણ પડી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની પણ આગાહી કરી છે.

રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં વધારે પલટો જોવા મળ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા વિસ્તારોના કેટલાક ગામોમા તો વાવાઝોડા સાથે વરસાદ પણ વરસ્યો છે. અચાનક કોમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલમાં રવી પાક વાવવામાં આવ્યો છે, જેને પગલે પાક બગડે તેવી ભીતી સર્જાઈ છે.

સાબરકાંઠા સૌપ્રથમ સાબરકાંઠા જીલ્લાની વાત કરીએ તો, અહીં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તલોદના હરસોલમાં વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. જેમાં ઘઉં અને રાયડાના પાકને મોટુ નુકશાન થાય તેવી ભીતી. ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો. તો હિમ્મતનગર શહેરમાં ધુળની ડમરીઓ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો,, રીતસર ચોમાસાની જેમ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો ચે. રવી પાકને મોટા પ્રમાણમાં નુકશાન.

અરવલ્લી જીલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. ગઢડાકંપા, ટિંટિસર, સરડોઈ, લાલપુર વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેતીના પાકને ભારે નુકશાન.
મહેસાણા

મહેસાણા જીલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. જીલ્લાના વિસનગર, બહુચરાજી, ઊંઝા સહિતના તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, સૌપ્રથમ ભારે પવન ફૂંકાયો જેમાં ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉડવા લાગી, ત્યારબાદ વાતાવરણ ચોમાસા જેવું સર્જાયું અને વરસાદ તૂટી પડ્યો. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું છે. ઉભો પાક હોવાથી વરસાદ વિલન બનીને આવ્યો છે.

24 February 2019

ખેડૂતો ના ખાતામાં 2 હજાક રૂપીયા ટ્રાન્સફર ખેડૂત યોજના લોન્ચ કરીને PM મોદીઅે કહ્યું અમે અશકય ને શકય બનાવ્‍યું છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી. જે હેઠળ દેશના એક કરોડથી વધુ નાના ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો નાખવામાં આવશે. તેની શરૂઆત પીએમ મોદીએ કાર્યક્રમમાં કરી. આ દરમિયાન પીએમ મોદીએ ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો. તેમણે મંચથી તમામ ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ કોંગ્રેસ પર આકરા  પ્રહારો કરતા કહ્યું કે ગત સરકારની ઈચ્છા ખેડૂતોને સશક્ત કરવાની નહીં પરંતુ તેમને તરસાવવાની હતી.

પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ઈતિહાસમાં નોંધાવવા જઈ રહ્યો છે. લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન, જય કિસાનનો નારો આપ્યો હતો. તે મંત્રને આટલા વર્ષ બાદ ખેડૂતોના ઘર સુધી, ખેડૂતોના ખેતરો સુધી, ખેડૂતોના ખિસ્સા સુધી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. આઝાદી બાદ ખેડૂતો સંબંધિત આ  સૌથી મોટી યોજના  આજે ઉત્તર પ્રદેશની પવિત્ર ધરતીથી મારા દેશના કરોડો ખેડૂત ભાઈઓના આશીર્વાદથી શરૂ થઈ રહી છે.

તેમણે કહ્યું કે અત્યાર સુધી એક કરોડ એક લાખ  ખેડૂતોના બેંક ખાતામાં આ યોજનાનો પહેલો હપ્તો ટ્રાન્સફર કરવાનો મને મોકો મળ્યો છે. આ ખેડૂતોને 2021 કરોડ રૂપિયા અત્યારે ટ્રાન્સફર કરાયા છે. અમે ખેડૂતોની નાની નાની સમસ્યાઓ પર ધ્યાન આપવાની સાથે જ પડકારોના સંપૂર્ણ નિકાકરણ પર કામ કર્યું છે. ખેડૂતો પૂરેપૂરી રીતે સક્ષમ બને, તે લક્ષ્ય સાથે અમે નીકળ્યાં છીએ.

22 February 2019

લો બોલો હવે ખેડુતો યાદ આવ્યા, ચૂંટણી પહેલા ગુજરાતના ખેડૂતોના બંને હાથમાં લાડવા


નવી દિલ્હી તા. ૨૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૪ અને ૫ માર્ચે ગુજરાતની મુલાકાતે આવે તે પહેલા ૪૦ લાખ જેટલા ખેડૂતોના ખાતામાં રૂ. ૬૦૦૦ હજાર જમા કરાવી દેવા માંગે છે. આ રકમ પીએમ કિસાન સન્માન યોજના હેઠળ જમા થશે. અગાઉ સરકારે એવી જાહેરાત કરી હતી કે, ૧૦ દિવસમાં દરેક ખેડૂતના ખાતામાં રૂ. ૨૦૦૦નો પ્રથમ હપ્તો જમા થઇ જશે.

આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું હતું કે, આ મહત્વકાંક્ષી યોજના હેઠળ જે ખેડૂત પાસે ૨ હેકટરથી પણ ઓછી કૃષિ ભૂમિ ધરાવતા હોય તેમના ખાતામાં દર વર્ષે રૂ. ૬૦૦૦ જમા કરવામાં આવશે. ૨૮મી ફેબ્રુ. પહેલા ૪૦ લાખ જેટલા ખેડૂતોના ખાતામાં રૂ. ૬૦૦૦ જમા કરવા સરકાર રૂ. ૨૫૦૦ કરોડ છુટા કરવા જઇ રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભૂમિ ધરાવતા ૩૦ લાખ ખેડૂતોના આધાર અને બેંક ખાતાના લીંકીંગનું કામ પુરૃં થઇ ગયું છે. બાકીનું કામ બે-ત્રણ દિવસમાં પુરૂ થઇ જશે. વડાપ્રધાન ડિજીટલ રીતે ગુજરાતના ખેડૂતોના ખાતામાં રકમ જમા કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૫ લાખથી વધુ ખેડૂતો (મોટા ભાગના અછતગ્રસ્ત વિસતારો)ના પાક વીમાના દાવા પણ મંજુર કરવાની તૈયારી ચાલી રહી છે. ખેડૂતોને એક સપ્તાહમાં વળતર મળી જવા ધારણા છે.

આ બંને લાભો વડાપ્રધાન ૪ અને ૫ માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવે તે પહેલા અને ચૂંટણીની તારીખો જાહેર થઇ જાય તે પહેલા ખેડૂતોના હાથમાં પહોંચી જશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જિલ્લા વહીવટી તંત્ર પાત્ર ખેડૂતોના ફોર્મ વિગતો એકઠી કરી ભરી રહ્યું છે અને તે ડીજીટલ ગુજરાત પોર્ટલમાં અપલોડ કરી રહ્યું છે.

21 February 2019

પંચમહાલના હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિવર્સીટી સ્થપાશે: ગુજરાત સરકારના લેખાનુદાનમાં ખેડૂતો માટે શું થઇ જાહેરાત? વાંચો અહેવાલ

ગુજરાતના નાણામંત્રી નિતિનભાઇ પટેલ દ્વારા મંગળવારથી લેખાનુદાન રજુ કરવાની શરૂઆત થઇ. 

જેમાં નાણા મંત્રીએ પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિવર્સીટી સ્થાપવાની જાહેરાત કરી. આ યુનિવર્સીટી દ્વારા ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધે એ માટે અભ્યાસક્રમ તેમજ સંશોધનની કામગીરી થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2016માં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા ઓર્ગેનિક યુનિવર્સીટીની જાહેરાત થઇ હતી. આ ઉપરાંત નાણા મંત્રી નિતિનભાઇએ પાટણ ખાતે પશુપાલન અંગેની ખાસ સિમેન લેબોરેટરી સ્થાપવાની જાહેરાત કરી. જેમાં રૂ.47 કરોડના ખર્ચે તૈયાર થનાર આ લેબોરેટરી દ્વારા કૃત્રિમ પ્રજનન થકી ગાયને વાછરડી જ જન્મે અને ભેંસને પાડી જ જન્મે એ પ્રકારે કામ થશે. આ ઉપરાંત દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવા 8 ડિસ્ટીલેશન પ્લાન્ટ સ્થપાશે. આ પ્લાન્ટ દ્વારા દરિયાના ખારા પાણીને સિંચાઇ થઇ શકે એવુ બનાવી ખેડૂતોને અપાશે.

આ ઉપરાંત સમગ્ર રાજ્ય માટે નર્મદા યોજના તેમજ સૌરાષ્ટ્ર માટે સૌની અને ઉત્તર ગુજરાત માટે સુજલામ સુફલામ યોજનાના વધારાના કામો માટે ફાળવણી કરવાની જાહેરાત નાણામંત્રી નિતિનભાઇ પટેલ દ્વારા થઇ. ઉત્તર ગુજરાતના સીપુ ડેમથી થરાદ સુધી પાઇપલાઇ નાખવાની જાહેરાત થઇ. ખેડૂતોને જીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ મળી રહે એ માટે સરકારે રૂ.500 કરોડનું ખાસ રિઝર્વ ફંડ ઉભુ કર્યુ છે એમ નિતિનભાઇએ જણાવ્યુ. છેલ્લી પશુધન ગણતરી પ્રમાણે ગુજરાતમાં પશુઓની સંખ્યામાં 15 ટકાનો વધારો નોંધાયો છે. માથાદીઠ દૂધ ઉત્પાદન વધીને 564 ગ્રામ થયુ હોવાનો દાવો નાણામંત્રીએ કર્યો. ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવા માટે રાજ્ય સરકાર ઉપર રૂ.436 કરોડનું વધારાનું ભારણ આવ્યુ. રાજ્યના 96 તાલુકાના 16 લાખથી વધુ ખેડૂતોને રૂ.1557 કરોડ રૂપિયાની ઇનપુટ સહાયનો લાભ મળ્યો હોવાનો દાવો નિતિનભાઇ પટેલે કર્યો.

19 February 2019

ખેડૂતો ની મુજવણ તાર ફેન્સીંગ સબસીડીમાં ખેડૂતો એ ગૃપમા અરજી કરવાની છે તેમા જમીન કેટલી હોવી જોઇએ તે ચોખવટ કરેલ નથી

હાલમાં આઇ ખેડૂત પોર્ટલ ઉપર ખેતરો ફરતે ફેલાયેલ છે. જેમાં ખેડૂતોએ સમૂહ બનાવ્યું છે. જો કે, આ માટે ઓછામાં ઓછું કેટલું જમીન થવી જોઈએ તે વિશે આઇ ખેડૂત પોર્ટલ ઉપર કોઈ ઉલ્લેખ નથી. આ વર્ષ 2016 માં આ યોજના જાહેર કરવામાં આવી હતી. તે સમયે ઓછામાં ઓછા 20 હેકટર જમીન માટે ખેડૂતો એકત્ર કરવામાં આવી હતી. જો કે, આ એક સાથે 20 હેક્ટર જમીન માટે ખેડૂતો સમૂહ બની મુશ્કેલીઓ હતી. આથી ઘણાં રજુઆતો પછી એ ઘટાડે છે 10 હેક્ટરની જાહેરાત. જોકે, આ મુદ્દા પર આઇ ખેડૂત પોર્ટલ ઉપર કોઈ ઉલ્લેખ નથી. આથી સરકારે સત્વવેર આઇ ખેડૂત પોર્ટલ ઉપર જ જમીનની લઘુતમ મર્યાદા વિશે માહિતી મુકવી જોઈએ.

આઇ ખેડૂત પોર્ટલની કામગીરી વધુ પારદર્શક બનાવવાની જરૂર છે . દર વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતો વિવિધ પ્રકારની સબસીડી માટે અરજી કરે છે . જોકે , સરકારનો લક્ષ્યાંક ઓછો હોય છે . આથી ઘણાં ખેડૂતોને નિરાશ થવું પડે છે . આ સાથે જે ખેડૂતોની અરજી મંજુર થાય છે તેઓને પણ સબસીડી ક્યારે મળશે એ બાબતે ચોક્કસાઇ પૂર્વક જણાવાતુ નથી .
x

15 February 2019

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની પ્રાથમિક માહિતી...

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની પ્રાથમિક માહિતી...
1) 2 હેકટર (5 એકર) થી નાના ખેડૂતને દર વર્ષે 6000/- રું. પ્રમાણે વર્ષના 4 મહિને 2 હજારનો એક હપ્તો એમ ત્રણ હપ્તાથી કુલ વાર્ષિક 6000/- મળશે...

2) સંયુક્ત ખાતામાં 2  હેકટર કરતા વધુ જમીન હોય પરંતુ 18 વર્ષથી ઉપરના નામો*વચ્ચે સરખા ભાગે વહેંચતા દરેક ખાતેદારને 2 હેકટર કરતા ઓછી જમીન આવતી હોય તો તે દરેક ખાતેદારને અલગ અલગ 6000/- રૂ ની વાર્ષિક સહાય મળશે...
 (*પતિ - પત્ની અને સગીર બાળકો ને એક જ કુટુંબ માં વ્યાખ્યાયિત કરેલ હોઈ 6000/- જ મળશે,તેમને અલગ અલગ નહિ મળે ) 

  3)ધારો કે એક 7.5 હેકટર જમીન વાળા ખાતામાં દાદા- દાદી, માતા- પિતા, તથા ત્રણ પુખ્ત ભાઈ- બહેન અને એક સગીર પુત્ર એમ 8 નામ હોય તેવા કિસ્સામાં...
    ૧)દાદા- દાદીનું એક કુટુંબ ગણી 6000/-
    ૨)માતા-પિતા ,સગીર પુત્રનું એક કુટુંબ ગણી તેને 6000/- 
    ૩) ત્રણે ય પુખ્ત ભાઈ- બહેન ના અલગ અલગ ત્રણ કુટુંબ ગણી 6000×3 =18000/-                                              એટલે કે એક જ ખાતામાં 5 પરિવાર હોય જમીન 7.5 હેકટર હોઈ દરેક પરિવારના ભાગે 1.5 હેકટર જમીન આવતી હોઈ આ પાંચે ય પરિવારને  6000×5 =30000/- રુ ની સહાય એક જ સંયુક્ત ખાતું હોય તો પણ આ યોજના અન્વયે મળવા પાત્ર છે.

   4)બે હેકટર કરતા ઓછી જમીન હોય અને સંયુક્ત ખાતામાં ઉપર જણાવ્યા પ્રમાણે એક કરતાં વધારે કુટુંબનો સમાવેશ થયેલ હોય તો પણ અલગ અલગ બધા કુટુંબને 6000/- પ્રમાણે સહાય મળવા પાત્ર છે...

    5)એક કે વધુ ખાતાથી, એક કે વધુ ગામો માંથી 2 હેકટર કરતા વધુ જમીન થતી હોય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી..વર્ગ-3 કે ઉપલી કક્ષાના અધિકારી - કર્મચારી , 10000/- થી વધુ પેન્સન મેળવતા હોય, આવકવેરો ભરતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી...

લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ..
1)બેન્ક પાસબુકની ઝેરોક્સ(ખાતામાના તમામ નામોના)
2)આધારકાર્ડની ઝેરોક્સ(ખાતામાંના તમામ નામોના)
3)એકરારનામું 

પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં અરજી કરવા માટે તમારા ગામના તલાટિ મંત્રી નો સંપ્રક કરો

13 February 2019

તાર ફેન્સીંગ સબસીડી ચાલુ મેળવવા માટે આગામી 12/03/19 સુધી અરજી સ્વિકાર્ય

ખેતરની ફરતે તાર ફેન્સીંગ અંગેની સરકારી સબસીડી મેળવવા માટે આઇ - ખેડૂત પોર્ટલ ઉપર આગામી તા . 12 માર્ચ સુધી ઓનલાઇન અરજી થઇ શકશે .

જેમાં તાર ફેન્સીંગના પ્રતિ રનીંગ મીટર દીઠ રૂ . 300 અથવા ખરેખર થનાર ખર્ચમાંથી જે ઓછુ હશે એની 50 ટકા રકમ સબસીડી તરીકે ચુકવાશે . આ સબસીડી બે તબ્બકામાં મળશે . જેમાં પ્રથમ તબક્કામાં 25 ટકા અને બાકીની 75 ટકા સહાય બીજા તબક્કામાં મળશે . સંયુક્ત તપાસ ટીમની ચકાસણી અને થર્ડ પાર્ટી દ્વારા જી . પી . એસ . સિસ્ટમથી ઈન્સપેકશન રીપોર્ટ મળ્યા બાદ જ સહાય ચુકવાશે . આ સહાય મેળવવા માટે ખેડૂતોએ સંગઠીત થવું પડશે અને સામૂહિક ધોરણે ક્લસ્ટર માટે અરજી કરવાની થશે . સબસીડીની ચુકવણી પણ અરજદારો દ્વારા નિયુક્ત કરવામાં આવેલ જુથ લીડરના ખાતામાં જ થશે

નવી યોજના હેઠળ તૈયાર થતી તારની વાડ ઉંચી હોવાથી રોઝ એને કુદી નહિ શકે તેમજ આ વાડની નીચેના ભાગે જાળી હોવાથી ભૂંડ પણ એમાંથી પસાર નહિ થઇ શકે . આ યોજના હેઠળ ૫૦ ટકા રકમ સરકાર અને ૫૦ ટકા રકમ ખેડૂતોએ ભોગવવાની થશે . જયારે આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ વધુમાં વધુ જમીન માટે ભેગા થઈને સંયુક્ત રીતે અરજી કરવાની રેહશે . આ રીતે સમૂહમાં એકસાથે ઘણી જમીનમાં વાડ બનશે તો એનો કુલ ખર્ચ પણ ઘટી જશે .

વધુ માહીતી માટે I- Khedut પોર્ટલ પર અરજી કરવા માટે અહી ક્લિક કરશો


9 February 2019

હેકરને તમાચો: હેક થયેલું આપણુ ખેડૂત ફેસબુક પેજ 10 દિવસમાં facebook Company એ Husen Panchasiya ને પાછું આપ્યું

“શું તમે ખેડૂત છો ?” નામનું હેક થયેલું FB પેજ ૧૦ દિવસમાં હેકર્સ પાસેથી હુશેન પંચાસીયાને પરત કરાવતું ફેસબુક

મોરબી જીલ્લા ના વાંકાનેરના પંચાસિયા ગામના હુસેન પંચાસીયાનું “શુ તમે ખેડૂત છો ?” નામનું એફબી પેજ બનાવ્યું હતુ. જે થોડા દિવસો પહેલા હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું. આ પેઝ પરત મેળવવા હુસેનભાઈએ તમામ દિશામાં સતત પ્રયત્નો કર્યા અને તેમને દરેક દિશામાંથી મિત્રોનો સહકાર મળ્યો. આખરે ફેસબુકે માન્યું કે “શું તમે ખેડુત છો ?” એ પેજ હેક થયું છે અને તેમના મૂળ એડમીન હુશેન પંચાસીયા છે.

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના હુસેન સિપાઈ સમગ્ર તાલુકામાં હુસેન પંચાસીયા તરીકે ઓળખાય છે. તેઓ ખેડૂતોને માહિતી આપતું “શું તમે ખેડુત છો?” નામનું પેજ ચલાવે છે. આ પેઝને સવા બે લાખથી વધુ લોકોએ લાઈક કર્યું છે. કૃષિ પેજમાં ગુજરાતમાં આ પેજ સૌથી મોટું છે. આવડી મોટી લાઈકની સંખ્યા જોઈને હેકર્સ દ્વારા આ પેજ હેક કરવામાં આવ્યું હતું. પરિણામે સોશિયલ મીડિયામાં નેટના નટ ગણાતા બન્ને ભાઈઓને હેકર લાલચમાં ફસાવવામાં સફળ થયો હતો. પરિણામે હુસેન સિપાઈનું સવા બે લાખથી વધુ લાઇક ધરાવતું પેજ હેક થઈ ગયું અને તેમનો કંટ્રોલ હુસેન પંચાસીયાના હાથમાંથી જતો રહ્યો.

હેકર શરૂઆતના સાત દિવસ શાંત રહ્યો બાદમાં એડમીન બનીને બે દિવસથી તેમણે વિડીયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ ત્રીજા દિવસે ફેસબુકે સ્વીકારી લીધું કે ‘શું તમે ખેડૂત છો?” એ પેજ કોઈ હેકર દ્વારા હેક કરવામાં આવ્યું છે અને તેમના ખરેખર મૂળ એડમીન હુશેન પંચાસીયા છે. તેમના માટે એફ બીએ માગેલા પુરાવા અને માહિતી હુસેન પંચાસીયાએ આપી ત્યારે ફેસબુકે હેકર પાસેથી એ પેજ લઈને તેમના એડમીન તરીકે મૂળ મલિક એવા હુસેન પંચાસીયાને ફરીથી પ્રસ્થાપિત કરતા હેકરના હાથ હેઠા પડ્યા છે.

આ માટે હુસેન પંચાસીયાએ તમામ દિશાએ જબરદસ્ત લડત કરવી પડી હતી. જેમાં તેમને દરેક તબક્કે તેમના મિત્રોનો ખૂબ સારો સહકાર મળ્યો. સૌ પ્રથમ પોલીસ ફરિયાદ કરવાથી શરૂઆત કરી અને એ ફરિયાદ છેક ફેસબુક સુધી પહોંચાડવામાં અને જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં, ચર્ચાઓ અને માહિતીની આપ-લે કરવામાં, જે મિત્રો એ સહકાર આપ્યો તેમાં ઈલમુદિન બાદી, અયુબ માથાકિઆ (કપ્તાન), હરદેવસિંહ ઝાલા(મોરબી અપડેટ), ઉસ્માનગની શેરસીયા, તોફીક ભાલારા, શકીલ ઠાસરીયા, વી.એન. શેરસીયા અને છેક મધ્યપ્રદેશથી અલ્તાફખાનનો ખૂબ સારો સહકાર મળ્યો. પરિણામે છેલ્લા દસ દિવસથી ચિંતામાં રહેતા હુસેન પંચાસીયાની હેકર્સ સામે જીત થઈ.

હુસેન પંચાસીયાએ આ સમય દરમ્યાન સાથ સહકાર આપનાર અને ફોનથી કે મેસેજથી પૂછપરછ કરનાર તમામ મિત્રોનો આભાર માન્યો છે. મારી પાસે સૌથી મોટી મૂડી મારા મિત્રોની છે તેમ વધુમાં કહ્યું હતું. હવે “શું તમે ખેડૂત છો?” તો આ પેજ ને લાઈક કરો, જોઈએ ફેસબુકમાં કેટલા ખેડુત છેની ટેગ લાઈન ધરાવતું આ પેજ ફરી પાછું હુશેન પંચાસિયાના સંચાલન હેઠળ અને ગુજરાતના ખેડૂતોના સેવામાં આવી ગયું છે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...