નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી. જે હેઠળ દેશના એક કરોડથી વધુ નાના ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો નાખવામાં આવશે. તેની શરૂઆત પીએમ મોદીએ કાર્યક્રમમાં કરી. આ દરમિયાન પીએમ મોદીએ ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો. તેમણે મંચથી તમામ ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ગત સરકારની ઈચ્છા ખેડૂતોને સશક્ત કરવાની નહીં પરંતુ તેમને તરસાવવાની હતી.
પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ઈતિહાસમાં નોંધાવવા જઈ રહ્યો છે. લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન, જય કિસાનનો નારો આપ્યો હતો. તે મંત્રને આટલા વર્ષ બાદ ખેડૂતોના ઘર સુધી, ખેડૂતોના ખેતરો સુધી, ખેડૂતોના ખિસ્સા સુધી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. આઝાદી બાદ ખેડૂતો સંબંધિત આ સૌથી મોટી યોજના આજે ઉત્તર પ્રદેશની પવિત્ર ધરતીથી મારા દેશના કરોડો ખેડૂત ભાઈઓના આશીર્વાદથી શરૂ થઈ રહી છે.
તેમણે કહ્યું કે અત્યાર સુધી એક કરોડ એક લાખ ખેડૂતોના બેંક ખાતામાં આ યોજનાનો પહેલો હપ્તો ટ્રાન્સફર કરવાનો મને મોકો મળ્યો છે. આ ખેડૂતોને 2021 કરોડ રૂપિયા અત્યારે ટ્રાન્સફર કરાયા છે. અમે ખેડૂતોની નાની નાની સમસ્યાઓ પર ધ્યાન આપવાની સાથે જ પડકારોના સંપૂર્ણ નિકાકરણ પર કામ કર્યું છે. ખેડૂતો પૂરેપૂરી રીતે સક્ષમ બને, તે લક્ષ્ય સાથે અમે નીકળ્યાં છીએ.
પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ઈતિહાસમાં નોંધાવવા જઈ રહ્યો છે. લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન, જય કિસાનનો નારો આપ્યો હતો. તે મંત્રને આટલા વર્ષ બાદ ખેડૂતોના ઘર સુધી, ખેડૂતોના ખેતરો સુધી, ખેડૂતોના ખિસ્સા સુધી પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. આઝાદી બાદ ખેડૂતો સંબંધિત આ સૌથી મોટી યોજના આજે ઉત્તર પ્રદેશની પવિત્ર ધરતીથી મારા દેશના કરોડો ખેડૂત ભાઈઓના આશીર્વાદથી શરૂ થઈ રહી છે.
તેમણે કહ્યું કે અત્યાર સુધી એક કરોડ એક લાખ ખેડૂતોના બેંક ખાતામાં આ યોજનાનો પહેલો હપ્તો ટ્રાન્સફર કરવાનો મને મોકો મળ્યો છે. આ ખેડૂતોને 2021 કરોડ રૂપિયા અત્યારે ટ્રાન્સફર કરાયા છે. અમે ખેડૂતોની નાની નાની સમસ્યાઓ પર ધ્યાન આપવાની સાથે જ પડકારોના સંપૂર્ણ નિકાકરણ પર કામ કર્યું છે. ખેડૂતો પૂરેપૂરી રીતે સક્ષમ બને, તે લક્ષ્ય સાથે અમે નીકળ્યાં છીએ.