જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


15 March 2018

ચાર વર્ષમાં કૃષિની આયાતમાં સતત વધારો નિકાસમાં ઘટાડોઃ કૃષિ વિકાસદર પણ ઘટ્યો

રાજકોટ, તા.૧૫ : સરકારની કૃષિક્ષેત્રની આયાત અને નિકાસની નીતિથી વૈશ્વિક કૃષિ વેપારની અસંતુલનતા બહાર આવી છે. છેલ્લા ચાર વર્ષમાં દેશમાં કૃષિક્ષેત્રની આયાતમાં સતત વધારો થઇ રહયો છે. જયારે નિકાસમાં દ્યટાડો જોવાઈ રહયો છે.



દેશમાંથી કૃષિસંલગ્ન નિકાસ છેલ્લાં ચાર વર્ષમાં ૧૯ ટકા ઘટી છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ૩૯.૬ અબજ ડોલરનો વેપાર થયો હતો. જે વર્ષ ૨૦૧૬-૧૭માં ઘટીને ૩૨ અબજ ડોલર રહી ગયો છે. આ સમયગાળામાં કૃષિ સંબંધિત વસ્તુઓની આયાતમાં ૬૬ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૪.૬ અબજ ડોલરથી વધીને વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૪.૨ અબજ ડોલરે પહોંચી ગઈ છે. કૃષિક્ષેત્રની નિકાસમાં વધારો થાય તો કૃષિવિકાસને ચાર ચાંદ લાગે પણ આયાત-નિકાસમાં આયોજનોને અભાવે કૃષિ વિકાસદર દ્યટીને ૨.૧ ટકા રહે તેવી સંભાવના છે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...