જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


27 January 2018

વિશ્વમાં નાળિયેર ઉત્પાદનમાં ભારત અગ્રણી દેશ

નવી દિલ્હી: કેન્દ્રિય કૃષિ  તથા ખેડૂત કલ્યાણ મંત્રી રાધા મોહન સિંહે શનિવારે પટનામાં કેન્દ્ર સરકાર અંતર્ગત આવતા નારિયેળ વિકાસ બોર્ડના ખેડૂત પ્રશિક્ષણ કેન્દ્ર તથા ક્ષેત્રિય કાર્યાલય ભવનાના લોકાર્પણ પ્રસંગે જણાવ્યુ હતુ કે વિશ્વમાં નારિયળના ઉત્પાદન અને ઉત્પાદક્તામાં  ભારત અગ્રણી દેશ છે. વાર્ષિક નારિયેળનુ ઉત્પાદન 20.82 લાખ હેક્ટરમાંથી 2395 કરોડ નારિયેળ છે અને ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 11505 નારિયેળ છે. દેશના GDPમાં નારિયેળનુ યોગદાન અંદાજે  રૂ.27900 કરોડનુ છે.


વર્ષ 2016-17માં ભારતમાંથી રૂ.2084 કરોડના મૂલ્યની પ્રોડક્ટની નિકાસ કરવામાં આવી છે. ભારતમાં 1 કરોડ્થી વધુ લોકો પોતાની આજિવિકા ચલાવવા માટે આ પાક પર નિર્ભર છે. કૃષિ મંત્રીએ જણાવ્યુ હતુ કે નારિયેળના ઉત્પાદનમાંવધારો જોવા મળ્યો છે. વર્ષ 2013-15માં 4210.4 કરોડ કોપરાનુ ઉત્પાદન થયુ હતુ જ્યારે વર્ષ 2015-17માં 4440.5 કરોડ કોપરાનુ ઉત્પાદન થયુ. જે મોટી ઉપલબ્ધી છે.

નાળિયેર પ્રોડક્ટની નિકાસ વર્ફ્ષ 2011-14માં રૂ.3017.30 કરોડની થઈ હતી જે વધીને વર્ષ 2014-17માં રૂ.4846.36 કરોડ થઈ જે 60.62%ની વૃધ્ધિ છે. વર્ષ 2016ની શરૂઆતમાં ભારત મલેશિયા, ઈન્ડિનેશિયા અને શ્રીલંકાને કોકોનટ ઓઈલની નિકાસ કરવા લાગ્યુ છે, જ્યાંથી પહેલા આપણે આયાત કરી રહ્યા હતા. ભારતમાંથી પ્રથમ વખત વર્ષ 2016થી મોટી માત્રામાં નારિયેળની નિકાસ યુએસ અને યૂરોપમાં નિકાસ થઈ રહી છે.

બિહારમાં પણ સારી રીતે દેખરેખ રાખવાથી નારિયેળની ખેતી થઈ શકે છે. અત્યારે બિહારમાં 14,900 હેક્ટરમાં નારિયેળની ખેતી થઈ રહી છે,. પરંતુ  બોર્ડના અનુમાન પ્રમાણે અંદાજે 50 હજાર હેક્ટરમાં નારિયેળની ખેતી થઈ શકે છે.   

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...