જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


21 January 2018

ભારતીય જીરૂની માંગ સમગ્ર વિશ્વમાં વર્ષદાડે નવી ઉંચાઈએ પહોંચી રહ્યુ છે. તેમજ ખેડુતોને જીરાના ભાવ પણ સારા મળી રહ્યા છે.

ભારતીય જીરૂની માંગ સમગ્ર વિશ્વમાં વર્ષદાડે નવી ઉંચાઈએ પહોંચી રહ્યુ છે. તેમજ ખેડુતોને જીરાના ભાવ પણ સારા મળી રહ્યા છે.
જીરાના પાક માટે અત્યાર સુધી વાતાવરણ અનુકુળ રહ્યુ છે. જો 15 ફેબ્રૂઆરી સુધી આવુ જ સારૂ વાતાવરણ રહેશે તો જીરાના પાકને કોઈ પ્રકારનુ નુકશાન નહી થાય અને જીરાની ગુણવતા પણ સારી રહે તેવી સંભાવના છે.

ઉંઝા કોમોડિટી એસોસીએશનના પ્રમુખ વિજય જોશીએ જણાવ્યુ હતુ કે ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની રોજની અંદજીત 50 થી 100 બોરીની આવક છે. તેમજ જુના જીરાની રોજની 2000 બોરીની આવક છે. તેમજ અંદાજે રોજની 5000 બોરીની વેચવાલી છે. અત્યારે જુના જીરાનો પ્રતિ 20 કિલોનો ભાવ રૂ.3400-3500 ચાલી રહ્યો છે. જો કે નવા જીરાની આવક ફેબ્રૂઆરીમાં શરૂ થશે. ગત વર્ષે સીઝનમાં ખેડુતોને પ્રતિ 20 કિલો જીરાના ભાવ રૂ.3000-3500 વચ્ચે મળ્યા હતા. આ વર્ષે પણ ખેડુતોને રૂ.3000 થી 3500 ભાવ મળે તેવી સંભાવના છે. જો કે દિવાળીમાં જીરાનો ભાવ રૂ.4000 પર પહોંચી ગયો હતો. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાનથી પણ જીરૂ આવે છે.

દેશની વાર્ષિક જીરાની જરૂરિયાત અંદાજે 35 લાખ બોરીની છે. તેમજ નિકાસ 20 લાખ બોરીની રહે છે. ગત વર્ષે અંદાજીત 58 લાખ બોરીનું ઉત્પાદન થયુ હતુ. આ વર્ષે વાતાવરણ એક મહિનો સારૂ રહ્યુ તો જીરાનુ ઉત્પાદન વધુ થવાની સંભાવના છે. રાજ્યમાં સ્ટોકિસ્ટો પાસે હાલમાં અંદાજીત ચાર થી પાંચ લાખ બોરીનો સ્ટોક છે.

પ્રાપ્ત માહિતિ અનુસાર ગત વર્ષે જીરાની નિકાસ અંદાજે 1,19,000 ટનની હતી. આ વર્ષે જીરાની નિકાસ 1,25,000 ટનની રહે તેવી સંભાવના છે. ભારતીય જીરૂની માંગ સમગ્ર વિશ્વમાં વર્ષદાડે નવી ઉંચાઈએ પહોંચી રહી છે. તેમજ ખેડુતોને જીરાના ભાવ પણ સારા મળી રહ્યા છે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...