જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


15 May 2017

ગુજરાતમાં આ વર્ષે મેઘસવારીમાં મોડુ નહિં, ૧૫મી જૂન આસપાસ સમયસર અને ધમાકેદાર વરસાદની આશા વધી : હવામાન ખાતું

ગુજરાતમાં આ વર્ષે મેઘસવારીમાં મોડુ નહિં, ૧૫મી જૂન આસપાસ આગમન
તાપમાન વધતા સમયસર અને ધમાકેદાર વરસાદની આશા વધી



 ગુજરાતમાં આ વર્ષે મેઘસવારીમાં મોડુ નહિં, ૧૫મી જૂન આસપાસ આગમન
   રાજકોટ, તા. ૧૫ : ગુજરાતમાં ૧૫ જૂન આસપાસ મોસમના પહેલા વરસાદની વર્ષોની પરંપરા હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમા ફેરફાર થયેલ અને ચોમાસુ જૂન ઉતરાર્ધમાં બેસે છે. આ વખતે આંદોમાન નિકોબાર વિસ્તારમાં અત્યારથી ચોમાસાએ ટકોરા મારતા હવામાન શાસ્ત્રીઓના અંદાજ મુજબ ગુજરાતમાં મેઘસવારી ૧૫ જૂન આસપાસ આવી શકે છે. ચોમાસાનું આગમન કયારે અને કેવા સ્વરૂપે થશે ? તેનો ચોક્કસ અંદાજ હજુ એકાદ અઠવાડીયા પછી આવી શકે તેમ છે.
   ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં તાપમાન ૪૦ થી ૪૪ ડીગ્રી વચ્ચે રહ્યુ છે. અગાઉના વર્ષો કરતા આ વખતે ગરમી વધુ પડે છે. જો કે ઉત્તર પ્રદેશ, હરીયાણા, દિલ્હી વગેરે રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં તાપમાન નીચુ છે. વધુ તાપના કારણે વરસાદનું પ્રમાણ વધે તેવી ધારણા છે. સખત તાપ વરસાદને વહેલો ખેંચી લાવવામાં નિમિત બની શકે છે. હવામાન ખાતાએ દેશમાં સારા ચોમાસાની આગાહી કરી છે તે મુજબ ગુજરાતમાં પણ ચોમાસુ જમાવટ કરે અને ખેતી તથા પીવાના પાણીનો પ્રશ્ન ન રહેવા દયે તેવી આશા છે. અત્યારના એંધાણ મુજબ આ વખતે ગુજરાતમાં મેઘસવારી મોડી નહી પરંતુ સમયસર એટલે કે ૧૫ જૂન આસપાસ જ આવવાની શકયતા બળવાન બની છે. ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર થાય તો શરૂઆતના તબક્કે જ પાણી પ્રશ્ને મોટી રાહત થઈ શકે છે તેમજ વાવેતર માટેનો ખેડૂતોનો ઉત્સાહ વધી શકે છે.
   ચોમાસુ નજીક આવતા ખેડૂતોએ વાવણીની તૈયારી શરૂ કરી છે. સરકારે ચોમાસાના સ્વાગતની અને જરૂર પડે તો સામાનાની તૈયારી આગળ વધારી છે.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...