જમીન અને આબોહવા:
રેતાળ, ગોરાડું, કાળી તેમજ હલકી જમીનમાં મગફળીનો પાક થાય છે. મગફળની વૃધ્ધિ અને વિકાસ સારી રીતે થાય તે માટે જમીન પોચી, ભરભરી અને પાસાદાર બનાવવી જોઈએ. હળથી ઉંડી ખેડ કરી કરબની જરૂર મુજબ ખેડ કરવી.
જાતો ની પસંદગી:
જે તે વિસ્તાર અને પરિસ્થીીતી માટે ભલામણ થયેલ બિયારણની સુધારેલ જાત પસંદ કરવી. બિયારણ સારી ગુણવત્તા ધરાવતું, પુરતી સ્ફુરણ શકિતવાળું તંદુરસ્ત, ભેળસેળ વગરનું ખાત્રીલાયક હોવું જોઈએ. હંમેશા પ્રમાણિત બિયારણ વાવવાનો આગ્રહ રાખવો.
આડી : જીએયુ થી - ૧૦, જી જી -૧૧, સોમનાથ, જી જી - ૧ર
ઉભડી : જુનાગઢ - ૧૧, જેએલ - ર૪, જી જી - ર
અર્ધવેલડી : જી જી - ર૦
વાવણી સમય અને પદ્ધતિ :
વાવણીનો સમય : ચોમાસામાં સારો વાવણીલાયક વરસાદ થઈ ગયા પછી મગફળીનું વાવેતર કરવામાં આવે છે. સંજોગોવસાત વરસાદ મોડો થાય તો આડી જાતને બદલે ઉભડી જાતનું વાવેતર કરવું.
વાવણીનું અંતર :
આડી જાત : ૬૦ × ૧પ સે.મી.
ઉભડી જાત : ૪પ × ૧૦ સે.મી.
બીજ નો દર તથા માવજત:
બીજનું પ્રમાણ : દાણા - ૧૦૦ થી ૧ર૦ કિ.ગ્રા. / હે.
બીજ માવજત : ઉગસુક રોગના નિયંત્રણ માટે ૧ કિ.ગ્રા. દાણા દીઠ ૩ થી , ગ્રામ કેપ્ટાન, થાયરમ, મેન્કોઝેબ, એમીસાન દવાનો પટ આપી રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપવાથી ૧પ ટકા જેટલો રાસાયણીક ખાતરનો બચાવ થાય છે.
ખાતર વ્યવસ્થાપન:
ઉનાળામાં પિયતને લઈ ખાતરનો કાર્યક્ષામ ઉપયોગ થઈ શકે તે માટે હેકટરે ૧૦ ટન છાણીયું ખાતર આપવું. સામાન્ય રીતે ચોમાસુ પાક કરતાં બમણા રાસાયણિક ખાતરો ઉનાળુ મગફળીને આપવાની ભલામણ છે. રપ-પ૦-૦ ના.ફો.પો. કિ.ગ્રા. /હે આપવા. ૧૧૦ કિ.ગ્રા. ડીએપી અને ૧૧ કિ.ગ્રા. યુરિયા ખાતરો વાવતા પહેલા ચાસમાં ઓરીને આપવા. દક્ષિાણ ગુજરાતમાં ફોસ્ફરસ ઓછું એટલે ર૦ કિ.ગ્રા./હે. આપવું. આ ઉપરાંત જમીનમાં ગંધકની ઉણપ હોય તો ર૦ કિ.ગ્રા. / હે. સલ્ફર આપવું.
પિયત વ્યવસ્થાપન:
દક્ષિાણ ગુજરાતની ભારે કાળી જમીનમાં ઉનાળુ મગફળીનું વધુ ઉત્પાદન મેળવવા ૭ પિયત આપવાની ભલામણ છે.
૧. વાવણી બાદ તુર્તજ
ર. એક અઠવાડિયા બાદ
૩. ચાર અઠવાડિયા બાદ
૪. બાકીના ૪ પિયત ૧૩ થી ૧પ દિવસના અંતરે આપવા.
નિદણ વ્યવસ્થાપન:
મગફળીના પાકને ૪પ દિવસ સુધી નિંદામણ મુકત રાખવા બે આંતરખેડ તથા હાથથી નિંદામણ કરવું જરૂરી છે. જયાં મજુરોની અછત હોય ત્યાં નિંદામણ નિયંત્રણ માટે પેન્ડીમેન્થાલીન (સ્ટોમ્પ) ૧ કિ.ગ્રા./હે (૩.૩૩ લી./હે.) પ૦૦ લી. પાણીમાં ઓગાળી વાવણી બાદ તુર્તજ બિયારણના સ્ફુરણ પહેલાં જમીન પર છંટકાવ કરવો. આ ઉપરાંત ૪૦ થી પ૦ દિવસે એક આંતરખેડ અને એક હાથ નિંદામણ કરવાની ભલામણ છે.
કાપણી અને સંગ્રહ:
મગફળીની જાતો ૯૦ થી ૧ર૦ દિવસે પાકી જાય છે. દક્ષિાણ ગુજરાતની ભારે કાળી જમીનમાં મગફળી ઉખાડતાં પહેલાં એક અઠવાડિયા અગાઉ હળવું પિયત આપવાથી મગફળી ઉખાડવામાં સરળતા રહે છે અને ડોડવા જમીનમાંત તુટતા નથી.
રેતાળ, ગોરાડું, કાળી તેમજ હલકી જમીનમાં મગફળીનો પાક થાય છે. મગફળની વૃધ્ધિ અને વિકાસ સારી રીતે થાય તે માટે જમીન પોચી, ભરભરી અને પાસાદાર બનાવવી જોઈએ. હળથી ઉંડી ખેડ કરી કરબની જરૂર મુજબ ખેડ કરવી.
જાતો ની પસંદગી:
જે તે વિસ્તાર અને પરિસ્થીીતી માટે ભલામણ થયેલ બિયારણની સુધારેલ જાત પસંદ કરવી. બિયારણ સારી ગુણવત્તા ધરાવતું, પુરતી સ્ફુરણ શકિતવાળું તંદુરસ્ત, ભેળસેળ વગરનું ખાત્રીલાયક હોવું જોઈએ. હંમેશા પ્રમાણિત બિયારણ વાવવાનો આગ્રહ રાખવો.
આડી : જીએયુ થી - ૧૦, જી જી -૧૧, સોમનાથ, જી જી - ૧ર
ઉભડી : જુનાગઢ - ૧૧, જેએલ - ર૪, જી જી - ર
અર્ધવેલડી : જી જી - ર૦
વાવણી સમય અને પદ્ધતિ :
વાવણીનો સમય : ચોમાસામાં સારો વાવણીલાયક વરસાદ થઈ ગયા પછી મગફળીનું વાવેતર કરવામાં આવે છે. સંજોગોવસાત વરસાદ મોડો થાય તો આડી જાતને બદલે ઉભડી જાતનું વાવેતર કરવું.
વાવણીનું અંતર :
આડી જાત : ૬૦ × ૧પ સે.મી.
ઉભડી જાત : ૪પ × ૧૦ સે.મી.
બીજ નો દર તથા માવજત:
બીજનું પ્રમાણ : દાણા - ૧૦૦ થી ૧ર૦ કિ.ગ્રા. / હે.
બીજ માવજત : ઉગસુક રોગના નિયંત્રણ માટે ૧ કિ.ગ્રા. દાણા દીઠ ૩ થી , ગ્રામ કેપ્ટાન, થાયરમ, મેન્કોઝેબ, એમીસાન દવાનો પટ આપી રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપવાથી ૧પ ટકા જેટલો રાસાયણીક ખાતરનો બચાવ થાય છે.
ખાતર વ્યવસ્થાપન:
ઉનાળામાં પિયતને લઈ ખાતરનો કાર્યક્ષામ ઉપયોગ થઈ શકે તે માટે હેકટરે ૧૦ ટન છાણીયું ખાતર આપવું. સામાન્ય રીતે ચોમાસુ પાક કરતાં બમણા રાસાયણિક ખાતરો ઉનાળુ મગફળીને આપવાની ભલામણ છે. રપ-પ૦-૦ ના.ફો.પો. કિ.ગ્રા. /હે આપવા. ૧૧૦ કિ.ગ્રા. ડીએપી અને ૧૧ કિ.ગ્રા. યુરિયા ખાતરો વાવતા પહેલા ચાસમાં ઓરીને આપવા. દક્ષિાણ ગુજરાતમાં ફોસ્ફરસ ઓછું એટલે ર૦ કિ.ગ્રા./હે. આપવું. આ ઉપરાંત જમીનમાં ગંધકની ઉણપ હોય તો ર૦ કિ.ગ્રા. / હે. સલ્ફર આપવું.
પિયત વ્યવસ્થાપન:
દક્ષિાણ ગુજરાતની ભારે કાળી જમીનમાં ઉનાળુ મગફળીનું વધુ ઉત્પાદન મેળવવા ૭ પિયત આપવાની ભલામણ છે.
૧. વાવણી બાદ તુર્તજ
ર. એક અઠવાડિયા બાદ
૩. ચાર અઠવાડિયા બાદ
૪. બાકીના ૪ પિયત ૧૩ થી ૧પ દિવસના અંતરે આપવા.
નિદણ વ્યવસ્થાપન:
મગફળીના પાકને ૪પ દિવસ સુધી નિંદામણ મુકત રાખવા બે આંતરખેડ તથા હાથથી નિંદામણ કરવું જરૂરી છે. જયાં મજુરોની અછત હોય ત્યાં નિંદામણ નિયંત્રણ માટે પેન્ડીમેન્થાલીન (સ્ટોમ્પ) ૧ કિ.ગ્રા./હે (૩.૩૩ લી./હે.) પ૦૦ લી. પાણીમાં ઓગાળી વાવણી બાદ તુર્તજ બિયારણના સ્ફુરણ પહેલાં જમીન પર છંટકાવ કરવો. આ ઉપરાંત ૪૦ થી પ૦ દિવસે એક આંતરખેડ અને એક હાથ નિંદામણ કરવાની ભલામણ છે.
કાપણી અને સંગ્રહ:
મગફળીની જાતો ૯૦ થી ૧ર૦ દિવસે પાકી જાય છે. દક્ષિાણ ગુજરાતની ભારે કાળી જમીનમાં મગફળી ઉખાડતાં પહેલાં એક અઠવાડિયા અગાઉ હળવું પિયત આપવાથી મગફળી ઉખાડવામાં સરળતા રહે છે અને ડોડવા જમીનમાંત તુટતા નથી.