એક સમયે ભારતીય મરી-મસાલા અને તેજાનાઓ મેળવવા અને તેનો વેપાર કરવા માટે વિશ્વના કઈ-કેટલાય દેશોમાંથી સાહસિકો આપણી ભૂમિને શોધવા માટે દરિયો ખેડીને આવતા હતા. યુરોપ અને આરબ વિસ્તારના કેટલાય દેશો વચ્ચે તો ભારતીય મસાલા માટે રીતસરના યુદ્ધો ખેલાયા હોવાની ઘટનાઓ ઈતિહાસના પાનાં પર મોજૂદ છે.
મધ્યયુગીન રાજાશાહી તેમજ અંગ્રેજ હકુમતના સમયગાળામાં ભારત ભૂમિમાં ઉપજેલ વિવિધ ખેતપેદાશોનો સ્વાદ અને સોડમ જગતભરમાં ફેલાઈ હતી. પરંતુ આઝાદી બાદ પૂરતા પ્રમાણમાં ધ્યાન ન આપી શકવાને કારણે આપણી નિકાસનો આંકડો ઘણો નીચો આવ્યો. જો કે એ વાત અલગ છે કે તત્કાલીન સમયે ખેડૂતોના ભાગે તો માત્ર મહેનત કરવાનું જ આવતું હતું. કેમકે ફળ કોઈ બીજા લોકો જ ખાઈ જતા હતા.
જોકે સ્વાસ્થ્ય રસિકો અને સ્વાદ રસિકોના દિલમાં ભારતીય મસાલા માટેની દીવાનગી આજે પણ ઓછી થઈ નથી. અને માટે જ આજે વાત કરવી છે બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકા વિસ્તારના ગામડાઓના ખેડૂતોના એક સંગઠન વિષે કે જેના સભ્ય ખેડૂતો દ્વારા પકાવેલ જીરુંની નિકાસ થઇ રહી છે. આપને જાણીને નવાઈ લાગશે કે ગુણવત્તા માટે વિશ્વભરમાં જાણીતો દેશ જાપાન આપણા ખેડૂતો પાસેથી જીરુંની સીધી આયાત કરી રહ્યો છે.
ખેડૂતોની ઉન્નતિમાં યોગદાન આપવા માટે જાણીતી સંસ્થા ‘ઇફકો કિસાન સંચાર લિ.ના સક્રિય સહયોગ દ્વારા ઉપરોક્ત વિસ્તારના ખેડૂતોએ રાજેશ્વર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડ નામથી એક ખેડૂત ઉત્પાદક સંગઠન (એફ.પી.ઓ.)ની સ્થાપના કરી. ઇફકો અને નાબાર્ડના અધિકારીઓ તેમજ કૃષિ નિષ્ણાંતોના માર્ગદર્શનમાં કામ થતું ગયું અને ખેડૂતોએ રચાયો સફળતાનો ઈતિહાસ.
ફક્ત ખેડૂતો દ્વારા જ સંચાલિત આ એફ.પી.ઓ.માં વાવ વિસ્તારના ૩૨૦ ખેડૂત ખાતેદાર સભ્યો જોડાયેલા છે. તેઓ પોતાના ખેતરમાં વાવેલ વસ્તુઓનું જાતે ગ્રેડિંગ, પ્રોસેસિંગ, પેકિંગ કરીને સામુહિક માર્કેટિંગ કરે છે. ચાલુ વર્ષે આ એફ.પી.ઓ.ના સભ્ય ખેડૂતોએ નિકાસના વૈશ્વિક ધારાધોરણ અને ગ્લોબલ ગેપ સર્ટીફીકેશન પ્રોગ્રામના આંતરરાષ્ટ્રીય નીતિ-નિયમો મુજબ પોતાના ખેતરોમાં જીરું વાવ્યું છે. જે આગામી માર્ચ માસ સુધીમાં નિકાસ માટે તૈયાર થશે.
એક લીમીટેડ કંપની તરીકે કામ કરતા આ રાજેશ્વર એફ.પી.ઓ. પાસે પોતાનું સંપૂર્ણ પ્રોસેસિંગ યુનિટ પણ છે કે જ્યાં ગ્રેડિંગ અને પેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે. જેના ચેરમેન માવજીભાઈ પટેલ જણાવે છે કે ‘ત્રણ મહિના બાદ અમારી જમીનમાં તૈયાર થનાર જીરુંમાંથી ૨૫૦ ટન જેટલું જીરું જાપાનમાં નિકાસ કરવામાં આવશે. જાપાનીઝ રસોડાના વઘારમાં સોડમ ઉમેરવાની આ ઘટનાનું એક ગુજરાતી તરીકે અમારા સૌ ખેડૂત સભ્યોને ગૌરવ છે.’
વધુમાં માવજીભાઈ જણાવે છે કે ‘અમારા એફ.પી.ઓ. દ્વારા નિકાસનો આ સફળ પ્રયોગ રાજ્ય અને દેશના ખેડૂતો માટે નમુનારૂપ બનશે તેમાં કોઈ શંકા નથી. સાથે જ અન્ય ખેડૂતભાઈઓને કહેવાનું કે જો અમારી રાજેશ્વર એફ.પી.ઓ. આવી સફળતા મેળવી શકતા હોય તો આપણા અન્ય ખેડૂતભાઈઓ પણ ચોક્કસ સફળ થઇ શકે છે. જરૂર છે માત્ર થોડા આયોજન સાથે ભેગા મળીને અને નિયમોના ચુસ્ત પાલન સહીત, દ્રઢ ઈચ્છાશક્તિ વડે કામ કરવાની.’
રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની જેવી કંપનીની સ્થાપના માટે જરૂરી પ્રક્રિયા કે તેની કાર્ય પદ્ધતિ વિશે વધુ જાણવા કે માટે માવજીભાઈનો (મો.૮૦૦૦૮ ૩૫૮૮૫) સંપર્ક કરવો. અથવા તો તમારી નજીકમાં આવેલ નાબાર્ડ, ઇફકો કિસાન, રિલાયન્સ ફાઉન્ડેશન, આગાખાન રૂરલ સપોર્ટ, ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ જેવી સંસ્થાઓની મુલાકાત લઈને માહિતી મેળવવી. આ સંસ્થાઓનો એફ.પી.ઓ. બનાવવા માટે માર્ગદર્શનની સાથે નાણાંકીય સહાય પણ કરે છે.
મધ્યયુગીન રાજાશાહી તેમજ અંગ્રેજ હકુમતના સમયગાળામાં ભારત ભૂમિમાં ઉપજેલ વિવિધ ખેતપેદાશોનો સ્વાદ અને સોડમ જગતભરમાં ફેલાઈ હતી. પરંતુ આઝાદી બાદ પૂરતા પ્રમાણમાં ધ્યાન ન આપી શકવાને કારણે આપણી નિકાસનો આંકડો ઘણો નીચો આવ્યો. જો કે એ વાત અલગ છે કે તત્કાલીન સમયે ખેડૂતોના ભાગે તો માત્ર મહેનત કરવાનું જ આવતું હતું. કેમકે ફળ કોઈ બીજા લોકો જ ખાઈ જતા હતા.
જોકે સ્વાસ્થ્ય રસિકો અને સ્વાદ રસિકોના દિલમાં ભારતીય મસાલા માટેની દીવાનગી આજે પણ ઓછી થઈ નથી. અને માટે જ આજે વાત કરવી છે બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકા વિસ્તારના ગામડાઓના ખેડૂતોના એક સંગઠન વિષે કે જેના સભ્ય ખેડૂતો દ્વારા પકાવેલ જીરુંની નિકાસ થઇ રહી છે. આપને જાણીને નવાઈ લાગશે કે ગુણવત્તા માટે વિશ્વભરમાં જાણીતો દેશ જાપાન આપણા ખેડૂતો પાસેથી જીરુંની સીધી આયાત કરી રહ્યો છે.
ખેડૂતોની ઉન્નતિમાં યોગદાન આપવા માટે જાણીતી સંસ્થા ‘ઇફકો કિસાન સંચાર લિ.ના સક્રિય સહયોગ દ્વારા ઉપરોક્ત વિસ્તારના ખેડૂતોએ રાજેશ્વર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડ નામથી એક ખેડૂત ઉત્પાદક સંગઠન (એફ.પી.ઓ.)ની સ્થાપના કરી. ઇફકો અને નાબાર્ડના અધિકારીઓ તેમજ કૃષિ નિષ્ણાંતોના માર્ગદર્શનમાં કામ થતું ગયું અને ખેડૂતોએ રચાયો સફળતાનો ઈતિહાસ.
ફક્ત ખેડૂતો દ્વારા જ સંચાલિત આ એફ.પી.ઓ.માં વાવ વિસ્તારના ૩૨૦ ખેડૂત ખાતેદાર સભ્યો જોડાયેલા છે. તેઓ પોતાના ખેતરમાં વાવેલ વસ્તુઓનું જાતે ગ્રેડિંગ, પ્રોસેસિંગ, પેકિંગ કરીને સામુહિક માર્કેટિંગ કરે છે. ચાલુ વર્ષે આ એફ.પી.ઓ.ના સભ્ય ખેડૂતોએ નિકાસના વૈશ્વિક ધારાધોરણ અને ગ્લોબલ ગેપ સર્ટીફીકેશન પ્રોગ્રામના આંતરરાષ્ટ્રીય નીતિ-નિયમો મુજબ પોતાના ખેતરોમાં જીરું વાવ્યું છે. જે આગામી માર્ચ માસ સુધીમાં નિકાસ માટે તૈયાર થશે.
એક લીમીટેડ કંપની તરીકે કામ કરતા આ રાજેશ્વર એફ.પી.ઓ. પાસે પોતાનું સંપૂર્ણ પ્રોસેસિંગ યુનિટ પણ છે કે જ્યાં ગ્રેડિંગ અને પેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે. જેના ચેરમેન માવજીભાઈ પટેલ જણાવે છે કે ‘ત્રણ મહિના બાદ અમારી જમીનમાં તૈયાર થનાર જીરુંમાંથી ૨૫૦ ટન જેટલું જીરું જાપાનમાં નિકાસ કરવામાં આવશે. જાપાનીઝ રસોડાના વઘારમાં સોડમ ઉમેરવાની આ ઘટનાનું એક ગુજરાતી તરીકે અમારા સૌ ખેડૂત સભ્યોને ગૌરવ છે.’
વધુમાં માવજીભાઈ જણાવે છે કે ‘અમારા એફ.પી.ઓ. દ્વારા નિકાસનો આ સફળ પ્રયોગ રાજ્ય અને દેશના ખેડૂતો માટે નમુનારૂપ બનશે તેમાં કોઈ શંકા નથી. સાથે જ અન્ય ખેડૂતભાઈઓને કહેવાનું કે જો અમારી રાજેશ્વર એફ.પી.ઓ. આવી સફળતા મેળવી શકતા હોય તો આપણા અન્ય ખેડૂતભાઈઓ પણ ચોક્કસ સફળ થઇ શકે છે. જરૂર છે માત્ર થોડા આયોજન સાથે ભેગા મળીને અને નિયમોના ચુસ્ત પાલન સહીત, દ્રઢ ઈચ્છાશક્તિ વડે કામ કરવાની.’
રાજેશ્વર ફાર્મર પ્રોડ્યુસર કંપની જેવી કંપનીની સ્થાપના માટે જરૂરી પ્રક્રિયા કે તેની કાર્ય પદ્ધતિ વિશે વધુ જાણવા કે માટે માવજીભાઈનો (મો.૮૦૦૦૮ ૩૫૮૮૫) સંપર્ક કરવો. અથવા તો તમારી નજીકમાં આવેલ નાબાર્ડ, ઇફકો કિસાન, રિલાયન્સ ફાઉન્ડેશન, આગાખાન રૂરલ સપોર્ટ, ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ જેવી સંસ્થાઓની મુલાકાત લઈને માહિતી મેળવવી. આ સંસ્થાઓનો એફ.પી.ઓ. બનાવવા માટે માર્ગદર્શનની સાથે નાણાંકીય સહાય પણ કરે છે.