મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકાના પાજ ગામના લોકોએ મચ્છુ નદી પર બ્રીજ બનાવવા માટે અનેક વખત સરકારને રજૂઆત કરી હતી. સરકારે નાના ગામના લોકોની અરજ ન સાંભળતા ગ્રામજનોએ જાતે જ વિશાળ બ્રીજ બનાવી દેશમાં નવો રાહ ચીંધ્યો છે.
વાંકાનેરથી 12 કિમી દૂર આવેલા પાજ ગામમાં મુસ્લિમો, કોળી અને માલધારીઓ વસવાટ કરે છે. 1200ની વસ્તી ધરાવતા આ ગામના લોકોને વાંકાનેર જવા માટે મચ્છુ નદી ઓળંગવી પડતી હતી. પરંતુ ચોમાસામાંએ રસ્તો જ બંધ થઈ જતો હતો. બીજો રસ્તો 30 કિમી ફરીને જતો હતો. પરંતુ તે રસ્તો પણ અત્યંત જોખમી હતો. ગત વર્ષે વધુ વરસાદના કારણે આ ગામ 12 દિવસ સુધી સંપર્ક વિહોણુ થઈ ગયું હતું. જેનાં કારણે ગામના વિદ્યાર્થીઓ શાળાએ નહોતા જઇ શકતા કે દર્દીઓને સારવાર પણ ન મળી શકતી.
આ ગામમાં મચ્છુ નદી પર બ્રીજ બનાવવા માટે ગ્રામજનોએ તાલુકા પંચાયતથી લઈને મુખ્યમંત્રી સુધી અનેક વખત રજૂઆતો કરી હતી. પરંતુ સરકારે કોઈ જ ધ્યાન આપ્યું ન હતું. વારંવારની રજુઆત બાદ પણ કશું જ ન થતા ગ્રામજનોએ જાત મહેનત જિન્દા બાદ સૂત્ર મુજબ નિર્ણય લીધો. ગત 5 ડિસેમ્બર ગામના બધા લોકો એકઠા થયા. ગ્રામજનોએ પોતાના જ ખર્ચે બ્રીજ બનાવવાનું નક્કી કર્યું. પરંતુ 84 મીટર લાંબો બ્રીજ બનાવવા માટે પોણો કરોડથી વધુનો ખર્ચ થતો હતો. તેથી ગામના દરેક કુટુંબે યથાશક્તિ ફાળો આપ્યો. પરંતુ ગામમાં ગરીબો વધુ હોવાથી એકઠી થયેલી રકમ ખૂબ ઓછી હતી. તેથી તેમણે સમાજના આગેવાનો પાસે દાનની માંગણી કરી અને 12 ડિસેમ્બરે બ્રિજનું ખાત મુહૂર્ત કર્યું. ગામના દરેક લોકો વિનામૂલ્યે મજૂરી કામમાં જોડાયા જે લોકો પાસે ટ્રેકટર હતા તેમણે ડિઝલના પણ પૈસા લીધા વિના પોતાના ટ્રેક્ટર કામગીરીમાં આપી દીધા હતા અને માત્ર 7 મહિનામાં 84 મીટર લંબાઈનો 20 ફુટ પહોળો બ્રીજ બનાવી લીધો. આ બ્રિજની ઊંચાઈ 24 ફુટ છે. જે આ બ્રિજ બનાવવા માટે 9700 બેગ સિમેન્ટ, 42 ટન લોખંડ, 1650 ટન કપચી, 1240 ટન રેતીનો ઉપયોગ થયો છે અને 86.25 લાખના ખર્ચે આ બ્રિજ બનાવ્યો છે. આગામી 24 તારીખે મોરબીના કલેક્ટર દ્વારા આ બ્રિજ નુ ઉદ્ઘાટન કરવામાં આવશે પણ સંપૂર્ણ ગ્રામજનોના ખર્ચે બનેલો હોય એવો કદાચ દેશનો પ્રથમ બ્રીજ બની રહેશે.
"પાજ લોક બ્રીજ બિન રાજકીય બ્રીજ"
પાજ ગ્રામ લોક સમિતિ નિર્મિત......
સ્વ. ખર્ચે બનાવેલ દેશના ઐતિહાસિક બ્રિજનું કામ પુર્ણ થય ગયેલ છે આ બ્રિજમાં ગામજનો તેમજ સમાજના દાતાઓ તથા વેપારી ભાઈઓનો સહકાર આપવા બદલ દિલ થી આભાર વ્યક્ત કરીએ છીએ ...
આ બ્રિજનું લોકાર્પણ 24/07/2018 ના રોજ સવારે 9:00 કલાકે રાખેલ છે
"પાજ લોક બ્રીજ બિન રાજકીય બ્રીજ"
પાજ ગ્રામ લોક સમિતિ નિર્મિત......
સ્વ. ખર્ચે બનાવેલ દેશના ઐતિહાસિક બ્રિજનું કામ પુર્ણ થય ગયેલ છે આ બ્રિજમાં ગામજનો તેમજ સમાજના દાતાઓ તથા વેપારી ભાઈઓનો સહકાર આપવા બદલ દિલ થી આભાર વ્યક્ત કરીએ છીએ ...
આ બ્રિજનું લોકાર્પણ 24/07/2018 ના રોજ સવારે 9:00 કલાકે રાખેલ છે