જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


17 September 2017

ગુજરાત સરકારની ખેતીના યાંત્રિકી કરણ માટેની સહાય ની યોજનાઓ

ગુજરાત સરકારનો કૃષિ અને સહકાર વિભાગ ખેતીના યાંત્રિકી કરણ માટે ખેડુતોને વિવિધ પ્રકારની સહાય આપે છે.

ખેતીવાડી ખાતાનો મુખ્ય ઉદેશ્ય ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્‍ધતિઓની સમજ અને ટ્રેનિંગ આપી, જુદી જુદી યોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્‍પાદકતા અને ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો હાંસલ કરવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે.

ખાતા દ્વારા ખેડુતોને ખેતીના યાંત્રિકીકરણ માટે અપાતી ટ્રેકટરની સહાયની વિગતો નીચે મુજબ છે.

નોંધ આ ફોટા પર ક્લિક કરો ઓનલાઇન કરજી તેમજ તમામ માહીતી મળશે

નોંધ ઘટકો ની ઓનલાઇન અરજી કરવા માટે આ ફોટા પર ક્લિક કરશ
 અરજી કરવા માટે આ ફોટા પર ક્લિક કરવી


ઘટકનું નામ:- ટ્રેકટર

સહાયનું ધોરણ-AGR-50

૧. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે,

૨. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૬૦,૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે.

રિમાર્ક્સ-

ટ્રેક્ટર માટે ખેતીવાડી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદકના એમ્પેનલ થયેલ ટ્રેક્ટર મોડેલ તેમના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.

ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં)-10.

અરજી કરો-તા 18/07/2017થી 31/12/2017 સુધી.

આ અંગે વધુ માહીતી માટે આપ ગ્રામકક્ષાએ ગ્રામ સેવક,તાલુકાકક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી),તાલુકા અમલીકરણ અધિકારીનો સંપર્ક કરી શકો છો.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...