જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


24 August 2017

શું સરકાર કઠોળની નિકાસને મંજૂરી આપશે ?

શું સરકાર કઠોળની નિકાસને મંજૂરી આપશે ?


લેખક: અનુપ જયપુરકર
પુના, 24 ઓગસ્ટ: કેન્દ્ર સરકારે તાજેતરમાં અડદ અને મગની દાળની આયાત પર પ્રતિબંધ મુક્યો છે. આ વર્ષે માર્ચમાં સરકારે તુવેરની દાળ પર 10% નો આયાત દર લાદ્યો હતો. ખેડૂતો માટે આ સારા સમાચાર છે. તહેવારોની મોસમ શરુ થતાની સાથે જ ખેડૂતોને સ્થાનિક બજારોમાં કઠોળની સારી કિંમત મળે તેવી અપેક્ષા છે.
સૂત્રોનું કહેવું છે કે, ભારતની કઠોળના જથ્થાની સ્થિતિ આ વર્ષે ખુબજ સારી છે અને માટે જ સરકાર કદાચ ખેડૂતોને 8 વર્ષના અંતરાળ બાદ નિકાસ કરવાની મંજૂરી આપી શકે છે!.
અત્યાર સુધીની જથ્થાની સ્થિતિ
સારા વરસાદની સાથે સરકાર દ્વારા પ્રોત્સાહન મળતા દેશમાં કઠોળનું ઉત્પાદન ગયા વર્ષના 163 લાખ ટનથી વધીને આશરે 230 લાખ ટન થયું હતું. દેશનું અડદ દાળ નું ઉત્પાદન લગભગ 10 લાખ ટનથી બમણું થઇ 20 લાખ ટન થયું છે અને મગ દાળનું ઉત્પાદન 15 લાખ ટનથી વધીને લગભગ 24 લાખ ટન થયું છે. હાલ માંજ સરકાર દ્વારા જે 3 લાખ ટન આયાત મર્યાદા નક્કી કરવામાં આવી હતી તે પણ પરિપૂર્ણ થઇ છે. હવે, આપણા ખેડૂતો પાસે આશરે 10 થી 12 લાખ ટન અડદ અને મગની દાળ છે જે નિકાસ કરી શકાય છે. હવે આ સરકારની જવાબદારી છે કે તે 8 વર્ષના પ્રતિબંધ પછી કઠોળની નિકાસને મંજૂરી આપે.
સરકાર શા માટે નિકાસની મંજૂરી આપવામાં સંકોચ કરી રહી છે?
એક સમય હતો જ્યારે ભારત કઠોળ માટે આત્મનિર્ભર હતું. દેશમાં એક વર્ષમાં કઠોળનું  200 લાખ ટનથી પણ વધુ ઉત્પાદન થતું હતું જયારે સ્થાનિક માંગ 200 લાખ ટન જેટલી ન હતી. આપણે આ અતિરિક્ત જથ્થાની આપણા પાડોશી દેશોમાં નિકાસ કરતા હતા. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં આપણા કઠોળના ઉત્પાદનમાં ઉતાર આવ્યો અને તે ઘટીને પ્રતિ વર્ષ 150 લાખ ટન થયું. જેથી કરીને આપણને આયાત કરવી પડતી હતી. હવે જયારે આપણી પાસે અતિરિક્ત જથ્થો છે, નિકાસની મંજૂરી મેળવવા માટે આ અનુકૂળ પરિસ્થિતિ છે.
જો કે, સરકાર હજી પણ નિકાસને મંજૂરી આપવા માટે ખચકાટ અનુભવી રહી છે. વર્ષ 2016-17 માં દેશમાં 229.5 લાખ ટન કઠોળનું ઉત્પાદન થયું હતું. જે તાજેતરના વર્ષોમાં એક વિક્રમી આંકડો છે. પાછલા વર્ષે આપણે ફક્ત 163.5 લાખ ટન ઉત્પાદન કરી શક્યા હતાં. જયારે ભારતની વાર્ષિક માંગ આશરે 240-250 લાખ ટન છે. માટે જ સરકાર હજી પણ આયાત પર નિર્ભર છે, જો કે આ નિર્ભરતા ની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વધુમાં, સરકાર દેશની આગામી વર્ષની કઠોળની માંગને પહોંચી વળવા ચિંતિત છે. આ ખરીફ મોસમમાં, દરેક કઠોળનો વાવેતર વિસ્તાર (અડદને બાદ કરતા) નીચો રહ્યો છે. આગામી તહેવારોની મોસમ અને શાકભાજીના ઊંચા ભાવોને કારણે સ્થાનિક બજારોની માંગમાં વધારો થયો છે. સરકાર એ બાબતે ચિંતિત છે કે પુરવઠામાં અવરોધ આવતા ભાવોમાં તીવ્ર ઉછાળ અવની શક્યતા છે.
જોકે, ભાવમાં આવેલા ઉતાર ને લીધે સરકાર ચિંતિત છે, કારણ કે આ પરિસ્થિતિમાં ખેડૂતોની પ્રતિક્રિયા કેટલે અંશે તીવ્ર અને નકારાત્મક રહેશે તેનો સરકારને ડર છે. દિલ્હીમાં તુવેરની દાળની વર્તમાન છૂટક કિંમત આશરે રૂ. 71-72 પ્રતિ કિલોગ્રામ છે જે એક વર્ષ પહેલાની રૂ. 83 પ્રતિ કિલોગ્રામ ની સરખામણીએ નીચે છે. એક વર્ષ પૂર્વેથી તુવેરનું ઉત્પાદન 80 ટકાથી વધ્યું હતું. તે હિસાબે જો 2017-18 પાક વર્ષમાં તુવેરના ઉત્પાદનમાં ઘટાડો પણ આવે તો પણ કિંમતોમાં કોઈપણ પ્રકારના વધારાને અંકુશમાં રાખવા માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ રહેશે, તેમ એક ટોચ ના સરકારી અધિકારી દ્વારા જણાવાયું હતું.
અડદ અને મગની દાળનું વિવરણ
અડદની દાળ:
માંગ: 12 થી 14 લાખ ટન
ઉત્પાદન: 18 થી 20 લાખ ટન
આયાત: 2 લાખ ટન
ન્યુનતમ સમર્થન મૂલ્ય: રૂ. 5,050 પ્રતિ ક્વિંટલ
બજાર ભાવ: રૂ. 4,200 પ્રતિ ક્વિંટલ
મગની દાળ:
માંગ: 15 થી 17 લાખ ટન
ઉત્પાદન: 22 થી 24 લાખ ટન
આયાત: 1 લાખ ટન
ન્યુનતમ સમર્થન મૂલ્ય: રૂ. 4,400 પ્રતિ ક્વિંટલ
બજાર ભાવ: રૂ. 3,500 પ્રતિ ક્વિંટલ

23 August 2017

બે વર્ષ બાદ ગુવારનો ભાવ રૂ.4000નેવટાવી ગયો

બે વર્ષ બાદ ગુવારનો ભાવ રૂ.4000નેવટાવી ગયો

નવી દિલ્લી,  23 ઓગસ્ટ: વાયદા બજારમાં ગઇ કાલે ગુવાર સીડનો ભાવ રૂ.4000  પ્રતિ ક્લિંટલે પહોંચી ગયો હતો. દેશના સૌથી મોટા એગ્રી કોમોડિટી એક્સચેન્જનેશનલ કમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ એટલે કે એનસીડીએક્સ પર ગુવારસીડના ઓક્ટોમ્બર વાયદાનો ભાવ મંગળવારે 82 રૂપિયા વધીને 4014 રૂપિયા પ્રતિ ક્વિંટલ પહોંચી ગયા હતા.

એજ રીતે ગુવારસીડનો નવેમ્બર વાયદો 93 રૂપિયા સાથે 2.35  ટકા વધીને 4058 પર પહોચ્યો હતો.ગુવારસીડની આ સપાટી 2015 બાદ પ્રથમ વખત વટી છે,જાણકારો અનુસાર વેપારીઓ તરફથી માંગ વધવાથી ગુવારસીડના ભાવમાં તેજી આવી છે.

ઉપરાંત,હાજર બજારમાં માંગ વધતા વાયદા બજારમાં ભાવને સપોર્ટ મળ્યો છે.  ગમ ગુવારની માંગમાં મજબુતીથી બીકાનેરના ગુવાર ટ્રેડર પુખરાજ ચોપડાનું કહેવું છે કે, રાજસ્થાનમાં ગુવારના ઉત્પાદક ક્ષેત્રમાં આ વર્ષે વરસાદ ઓછો થયો છે જેને કારણે ભાવમાં તેજી જોવા મળે છે.

-ઘ ઇકોનોમિક ટાઇમ્સ

17 August 2017

આગાહી ! 19 ઓગષ્ટથી ફરી થશે વરસાદ શરૂ

રાજ્યમા પડી શકે છે વરસાદ. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 19 ઓગસ્ટથી રાજ્યમાં ફરી વરસાદ શરૂ થઇ શકશે. બંગાળની ખાડી પરથી આવનારી સિસ્ટમથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ અમલી બનશે. આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવા વરસાદની શકયતા છે. જયાં સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે


ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં રાજયમાં સીઝનનો કુલ 84 ટકા વરસાદ વરસી ગયો છે. ત્યારે ફરી એક વાર મધ્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી તા. 20 અને 21 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે ની સંભાવનાઓ છે

6 August 2017

ખેતી માટે અસરકારક જમીન સુધારક - જીપ્સમ ( Gypsum)

ખેતી માટે અસરકારક જમીન સુધારક – જીપ્સમ (Gypsum)


જીપ્સમને (Gypsum) ગુજરાતી ભાષામાં ચિરોડી કહે છે. જીપ્સમનું રાસાયણિક બંધારણ કેલ્શિયમ સલ્ફટ (CaSo4) છે. જીપ્સમ એ દ્વિતીય ખનીજ સ્વરૂપે કુદરતી રીતે બહુ મોટા જથ્થામાં ઉપલબ્ધ છે. તેની ખાણો રાજસ્થાન, ગુજરાત, હિમાલય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને તામિલનાડુમાં આવેલી છે. ભારતમાં જીપ્સમના કુલ જથ્થાનો ૯૦ ટકા ભાગ રાજસ્થાનમાં આવેલ છે. ખાણમાંથી ઉપલબ્ધ જીપ્સમ ઉપરાંત ઓદ્યોગિક આડ પેદાશમાં મળતા જીપ્સમનો મોટો જથ્થો ફોસ્ફોરેિક એસિડ બનાવતા ઉપલબ્ધ થાય છે. તેને ફોસ્ફો જીપ્સમ કહે છે. દર એક ટન ફોસ્ફોરેિક એસિડ પેદા થતા પ.પ ટન જેટલો ફોસ્ફો જીપ્સમ આડ પેદાશરૂપે મળે છે જે પાઉડરના રૂપમાં હોય છે. સમગ્ર દેશમાં અંદાજે ૨૦૦ લાખ ટન કરતા વધારે ફોસ્ફો જીપ્સમ આડપેદાશ રૂપે મળે છે. ફોસ્ફો જીપ્સમ ખેતી માટે કેવી રીતે ખૂબ ઉપયોગી છે જેની માહિતી નિચે મુજબ છે.

  • કેલ્શિયમ અને ગંધક તત્વોની ઉણપમાં અગત્યના ખાતર તરીકે ભારે માટીયાળ જમીનમાં પાકને અનુરૂપ ભૌતિક પરિસ્થિતિ જાળવવામાં જમીન સ્થાપક (સોઈલ કન્ડીશનર) તરીકે ઉપયોગી છે.
  • ભાસ્મિક, ખારી-ભાસ્મિક જમીનો તેમજ પિયતના પાણીની સુધારણા માટે અગત્યના રાસાયણિક જમીન સુધારક તરીકે ઉપયોગી છે.
  • જીપ્સમથી જમીનનો બાંધો સુધરે છે. જીપ્સમમાં સૂક્ષ્મ તત્વો જેવા કે લોહ, મેંગેનીઝ, જસત અને તાંબા જેવા સૂક્ષ્મ તત્વો પણ અલ્પ પ્રમાણમાં હોવાથી છોડનો વિકાસ કરવામાં મદદરૂપ બને છે. દેશના વિવિધ પ્રદેશોમાં થયેલ સંશોધનના પરિણામો સૂચવે છે કે ગંધકના સ્ત્રોત તરીકે તેમજ જમીન સુધારક તરીકે જીપ્સમ એક ઉત્તમ પદાર્થ છે.
  • જમીનનો બાંધો (પ્રત) સુધરતા હવાની અવરજવર તેમજ પાણીની નિતાર શક્તિ વધે છે અને વોટર લોગિંગને અટકાવે છે.
  • માટીયાળ કઠણ જમીનને પોચી બનાવીને સખત ઢેફાં પડતા અટકાવે છે.
  • જમીનમાં પાણી શોષવાની શક્તિમાં વધારો કરે છે. જમીનનો આમલતાનો આાંક (pH) ઘટાડે છે.
  • જમીનનું ધોવાણ અટકાવવામાં મદદરૂપ થાય છે.
  • બિયારણને ઉગવામાં મદદરૂપ બને છે. પાણીની સંગ્રહશક્તિ વધવાથી પાણીની અછત વખતે છોડના મૂળ ઊંડ જઈને પાણી શોષીને છોડને ખૂબ રાહત મળે છે.
  • જીપ્સમના ઉપયોગથી નબળી ગુણવત્તા ધરાવતા પાણીને પિયત તરીકે વાપરવાની શક્યતામાં વધારો કરે છે.
  • મેગનેશિયમની તેમજ એલ્યુમિનિયમની ટોક્ષિસિટીમાં ઘટાડો કરે છે.
  • જીપ્સમના વપરાશથી પાણીના વહી જવામાં અને જમીનના ધોવાણને અટકાવે છે.
  • જીપ્સમના વપરાશથી માટીયાળ જમીન પાણીથી બહુ ફુલતી નથી તેમજ પાણી સુકાય ત્યારે જમીનમાં તિરાડો પડતી નથી.
  • જીપ્સમના વપરાશથી સાધારણ ભીની જમીનમાં સહેલાઈથી ખેડ કરી શકાય છે.
  • જીપ્સમની સાથે સેન્દ્રિય ખાતર વાપરવાથી ખૂબ જ ફાયદો થાય છે.
  • જીપ્સમના વપરાશથી હેવી મેટલ ટોક્ષિસિટીમાં ઘટાડો થાય છે.
  • જીપ્સમના વપરાશથી રાસાયણિક ખાતરમાંનું નાઈટ્રોજન તત્વને હવામાં ઉડી જતું અટકાવે છે.
  • જીપ્સમના વપરાશથી ફળની ગુણવત્તામાં વધારો થાય છે અને છોડને થતા અમુક રોગોને અટકાવવામાં મદદરૂપ થાય છે.
  • કંદમૂળ વાળા પાકો જેવા કે બટાટા, ગાજર, લસણ અને બીટના પાકોમાં ચીકણી માટી ચોંટી જતી નથી તેથી તેની કાપણી સહેલાઈથી કરી શકાય છે.
  • જીપ્સમથી જમીન પોચી થવાથી અળસિયા સહેલાઈથી અવરજવર કરી શકે છે તેથી હવા અને પાણીના અવરજવરના કારણે છોડના મૂળનો સારો વિકાસ થવાથી છોડની વૃદ્ધિ સારી થાય છે.
  • જીપ્સમનો ખાતર તરીકે તેમજ ખારી-ભાસ્મિક જમીનમાં ઉપયાગ કરી શકાય છે.
નોંધ : જમીન અને પાણીના પૃથક્કરણના આધારે લામણ કર્યા મુજબ જીપ્સમ વાપરવું ખૂબ જ જરૂરી છે.

2 August 2017

સોઇલ હેલ્થ કાર્ડ યોજના વીશે ની માહીતી

સોઇલ હેલ્થ કાર્ડ યોજના

આ કાર્યક્રમ હેઠળ, સરકાર ખેડૂતોને તેમની જમીનની ગુણવત્તાનો અભ્યાસ કરી સારા પાક મેળવી શકે તે માટે જમીનનું આરોગ્ય કાર્ડ એટલે કે સોઇલ હેલ્થ કાર્ડ આપવાનો ઉદ્દેશ ધરાવે. ભારતભરમાં 14 કરોડ ખેડૂતોને આ કાર્ડ આપવનો ઉદ્દેશ છે. આ કાર્ડ એક મુદ્રિત રિપોર્ટ છે. ખેડૂતોને તેના ખેતર અથવા જમીન હોલ્ડિંગ માટે ત્રણ વર્ષમાં એક વાર આપવામાં આવશે.

માટી હેલ્થ કાર્ડ(સોઇલ હેલ્થ કાર્ડ) શું છે?
માટી હેલ્થ કાર્ડમાં માટીની ગુણવત્તાનું સંપૂર્ણ મૂલ્યાંકન છે.
આ કાર્ડમાં નીચેના વિશેની માહિતી શામેલ છે:
1. કાર્યાત્મક લક્ષણો
2. પાણી અને પોષક તત્વો
3. જૈવિક ગુણધર્મો
આની સાથે સુધારાત્મક પગલાં વિશે પણ માહીતી હશે જે સારી ઉપજ લેવા માટે ખેડૂતોએ અપનાવવા જોઇએ.
આ કાર્ડ ખેડૂતોને કેવી રીતે મદદ કરે છે?
1. ખેડૂતોને એક સારો સંશોધિત અહેવાલ મળશે, જેનો ઉપયોગ માટીની ગુણવત્તા સુધારવા માટે  નિષ્ણાતો દ્વારા ઉકેલો આપવા માટે કરવામાં આવશે.
2. નિયમિત મોનીટરીંગથી ખેડૂતોને લાંબા ગાળાનો માટી(જમીન) હેલ્થ રેકોર્ડ મેળવવા માટે મદદ મળશે.
3. સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને દરેક પ્રકારની જમીનમાં જરૂરી પોષક તત્ત્વો અને ખાતરોની ઉણપ અને તેની જરૂરિયાત વિશેની ભલામણ કરવામાં મદદ કરશે, જે પાક ઉપજ વધારવામાં મદદ કરી શકે છે.
પ્રક્રિયા
દેશની કેટલીક માન્યતાપ્રાપ્ત માટી પરીક્ષણ પ્રયોગશાળાઓ માટીના નમૂનાની ચકાસણી કરી રહી છે. નિષ્ણાતો દ્વારા આ પરીક્ષણોના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેમના સૂચનો અને ભલામણો જમીન આરોગ્ય કાર્ડ્સ(સોઇલ હેલ્થ કાર્ડ)માં દર્શાવવામાં આવે છે.
વેબ પોર્ટલ પર વધુ માહિતી
કૃષિ વિભાગ દ્વારા માટી હેલ્થ કાર્ડ પોર્ટલ શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને આ પોર્ટલ: www.soilhealth.dac.gov.in પર માટીના નમૂના અને પ્રયોગશાળાના  પરીક્ષણ અહેવાલોની વિગતો રજીસ્ટર કરવાની જરૂર છે.
એકવાર આ પોર્ટલ પર રજિસ્ટર થયા પછી ખેડૂત નીચે આપેલ કાર્ય(વિગતો) કરી શકે છે:
1. માટી નમૂનાઓનું નોંધણી
2. માટી પરીક્ષણ લેબ દ્વારા આપવામાં આવેલ પરીક્ષણ પરિણામો
3. ખાતર અને પોષક તત્ત્વોની ભલામણો
4. સોઇલ હેલ્થ કાર્ડ બનાવવું
નમૂના દીઠ ચૂકવણી(ચાર્જ) શું છે?
ખેડૂતો માટે આ નિ:શુલ્ક છે. રાજ્ય સરકારોને માટીના નમૂના દીઠ રૂ.190 આપવામાં આવે છે. આમાં માટીના નમૂનાનું સંગ્રહ, તેના પરીક્ષણ, ખેડૂતને માટી સ્વાસ્થ્ય કાર્ડનું આપવાથી વિતરણનો સમાવેશ થાય છે.
તમે માટી હેલ્થ કાર્ડ બનાવવા માટે તમારા સ્થાનિક કૃષિ અધિકારી અથવા જિલ્લા કૃષિ અધિકારીનો સંપર્ક કરી શકો છો.

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...