જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


25 March 2017

વોટ્સએપ વપરાતા મિત્રો ખાસ ધ્યાન આપે

વોટ્સએપ વપરાતા મિત્રો ખાસ ધ્યાન આપે

1 - વોટ્સએપ નો ઉપીયોગ ફક્ત ઉપીયોગી મેસેજ કરવા માટે જ કરો, અમુક ફ્રી ડેટા ફ્રી મોબાઈલ, ફ્રી વાઇફાઇ, ના મેસેજ ફોરવર્ડ કરશો નહી આ જગતમાં કશુંજ ફ્રી નથી મળતું, મલ્ટીનેશનલ કંપની અને માર્કેટિંગ કંપનીઓ તમને ગાજર બતાવીને મફતમાં મેસેજ ફોરવર્ડ કરાવવાની કોશિશ કરશે, પણ તમે જાતે મૂરખના સરદાર છો એવું સાબિત કરશો નહી..


2 - આ મેસેજ બીજા ગ્રુપમાં મોકલો અને જાદુ જુઓ, આવા મેસેજ ગ્રૂપોમાં ફોરવર્ડ કરીને તમારી બુદ્ધિનું પ્રદર્શન કરશો નહીં તમારા મિત્રોને ખબર પડી જશે કે તમારા માં કેટલી બુદ્ધિ છે !

3 - ધર્મ, સમાજ કે જ્ઞાતિ ને લગતા નકારાત્મક કે ટીકાત્મક મુદ્દાઓ તેમજ તમને ખબર ના હોય એવા ઐતિહાસિક મુદ્દાઓને લગતી પોસ્ટ ફોરવર્ડ કરશો નહી કારણકે સમાજ માં વૈમનસ્ય ફેલાવવું એ ગુનો છે....

4 - બીભત્સ ફોટો, વિડિઓ કે પોર્ન સાહિત્યને લગતી પોસ્ટ ગ્રુપમાં શેઅર કરશો નહીં કારણકે આવી પોસ્ટ થી તમારું માનસિક સ્તર અને માનસિકતા છતી થાય છે, અને ગ્રુપ મેમ્બર ના પરિવારના લોકો ના હાથમાં મોબાઈલ જતો હોય, તમારા કારણે કોઈનું સાંસારિક જીવન બગડી શકે છે.....

5 - પોતાની જ્ઞાતિનું સૌને અભિમાન હોય છે, તમે પણ રાખો પણ બીજાની જ્ઞાતિને હલકી ચીતરતી પોસ્ટ ક્યારેય શેઅર કરશો નહી...

6 - સાવ નવરી બજારની જેમ વોટ્સએપ પર મથ્યા કરશો નહીં તમારા પોસ્ટિંગ થી વિનાકારણ મિત્રોને નોટિફિકેશન મળે છે, એમની રસ, રુચિ, માનસિક વિકાસ અને પસંદગી અલગ હોય શકે છે, જરૂરી નથી કે તમે જે પોસ્ટ કરો છો એ એમને ગમે જ માટે લોકોની મનમાં ગાળો ખાવાનો શોખ પાળશો નહીં ...

7 - હમણાં જ આ મેસેજ 11- કે 21- જણને મોકલો અને ચમત્કાર જુઓ, અથવા પોસ્ટ ડીલીટ કરશો તો તમારે ખરાબ પરિણામ ભોગવવા પડશે આવા વાહિયાત અને અંધશ્રદ્ધા ફેલાવતા મેસેજ ફોરવર્ડ કરશો નહીં, યાદ રાખો સંસાર કર્મને આધીન છે, જેવું કર્મ કરશો તેવું ફળ મળશે, મેસેજ ફોરવર્ડ કરવાથી બાબાજી નો ઠુંલ્લું મળે છે....

8 - વોટ્સએપ પર ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ ના ફોટો શૅર કરીને તમે તમારો અને તમારા મિત્રોના મોબાઈલ ડેટા પ્લાન ઓછા કરી રહ્યા છો, ફોટા મોકલવા કરતા શબ્દોમાં 'ગુડ મોર્નિંગ' લખો વિડિઓ કે જીઆઇએફ ફાઈલ પણ ઝડપી ડેટા વપરાવી નાખવાનું મોબાઈલ કંપનીનું કાવતરું જ છે...

9 - અમુક ડોક્યુમેન્ટ મળ્યા છે, અમુક છોકરા ખોવાયા છે, અમુક ટ્રક ગૌ-માંસ લઈને નીકળી છે, અમુક જગ્યાએ એક્સીડેન્ટ થયો છે, અમુક સંસ્થા બહુ સારું સેવા કાર્ય કરે છે, કોઈ ગરીબની મદદ થશે ! આવા મેસેજ સાવ બોગસ અને ફાલતુ હોય છે, અથવા વર્ષો જુના હોય છે, માટે ગાંડાની જેમ ફટાફટ ફોરવર્ડ કરશો નહી, તમે જાતે આપેલી લિંક કે ફોન નંબર પર કોલ કરીને ખાતરી કરો પછી જ ગ્રુપમાં મેસેજ પોસ્ટ કરો.....

10- જે વિષય માટે ગ્રુપ બનાવવામાં આવ્યું હોય એને લગતા જ મેસેજ કરો, ભળતા મેસેજો કરીને તમારી ઓછી અક્કલનું પ્રદર્શન કરશો નહીં ...

11 - ગ્રુપ એડમીનએ કઈંક વિચારીને તમને એ ગ્રુપ માં એડ કર્યા હોય છે, એમને તકલીફ થાય અથવા બીજા મેમ્બર્સ ને ખરાબ લાગે એવી વાત, વિચાર કે વસ્તુ ક્યારેય ગ્રુપમાં પોસ્ટ કરશો નહીં.......

12 - ભારતમાં ઈન્ટરનેટ લો કાર્યરત છે, સરકાર, સમાજ, સંસ્થા, કે મહાપુરુષોની ટીકા કરતી પોસ્ટ પર સરકાર કે પોલીસ એક્શન લઇ શકે છે, તમારી બેવકૂફીને કારણે એડમીનને પણ સજા થઇ શકે છે, એટલું ધ્યાનમાં રાખો ....

13 - અવિચારી વાતો, સુવિચારો અને અણઘડ ધાર્મિક ફિલોસોફી ને લગતા ફોટો પોસ્ટ કરશો નહીં, તમે ગમે એટલા હોશિયાર દેખાવાનો દંભ કરો, સામે વાળા તમારા કરતા વધુ હોશિયાર જ હોય છે, અને તમારી માનસિકતા સમજી જાય છે, લોકોની નજર માં થી ઉતારી જવાની કુચેષ્ટા કરશો નહીં..

14- ગીત, ગઝલ, કવિતા કે સાહિત્ય સર્જકના નામ સાથે જ શેઅર કરો, રચયિતાને ક્રેડિટ આપવી એ આપણી ફરજ છે....

15- સુવિચારો બીજાને સારું લગાડવા જ હોય છે એવું નથી, તમારા જીવનમાં જે સુવિચાર નું આચરણ કરતા હો એવા સુવિચારો જ પોસ્ટ કરો, યાદ રાખો દુનિયા ઊંધા ચશ્મા પહેરીને નથી બેઠી, એ બધું જોતી સમજતી હોય છે.....

16- વોટ્સએપ થી કોઈનું ઘર નથી ચાલતું કામધંધા ને પ્રાધાન્ય આપો, વધુ વોટ્સએપ વાપરતા લોકો માનસિક બીમાર અને બેકાર હોવાની છાપ પડે છે, તમારી ઇમેજ તમારે ક્રિએટ કરવાની છે.....

17- ગમતા મેસેજો પર યોગ્ય પ્રતિભાવ આપો, પણ તમારી મર્યાદા કે વિવેક જાળવીને....

18- બધા મુકાભાઈ નું જીઓ નથી વાપરતા માટે જિવો અને જીવવા દો ! બસ આટલી તકેદારી રાખીને વૉટ્સઍપ નો ઉપીયોગ કરો,

ગૃપહિતમાં જારી !

કીટનાશક રસાયણોના નવા સ્વરૂપ (ફોર્મ્યુલેશન) વિશે માહીતી ( INFORMATION ABOUT CHEMICALS NEW TYPE FORMULATION )

જાણવા જેવું ખેડત મિત્રો આપ ધણા બધા પ્રકારના રાસાયણીક કીટનાશકો વપરતા હશો પરંતુ બહુ ઓછા ખેડુત મિત્રો તેમના રાસાયણીક સ્વરૂપ(ફોર્મ્યુલેશન) વિશે માહીતગાર હશે. હમણા થોડા સમય થી એક નવા સ્વરૂપના રાસાયણીક કીટનાશકો બજારમાં ઉપલબ્ધ થયા છે. તો આજે તેના વિશે થોડી માહીતી મેળવ્યે.


ખેતીના પાકોમા નુકશાન કરતી જીવાતોના નિયંત્રણ માટે જંતુનાશક રસાયણો જુદા-જુદા સ્વરૂપે (ફોર્મ્યુલેશન) મળે છે તે પૈકી પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવા માટે મળતા પ્રવાહી રસાયણોમાં મુખ્યત્વે
ઈ.સી.-(ઈમલ્સીફાએબલ કોન્સન્ટ્રેટ), એસ.એલ.-(સોલ્યુબલ લિક્વીડ),એસ.સી.-(સોલ્યુબલ કોન્સન્ટ્રેટ), સી.એસ. (માઈક્રોઈનકેપ્સૂલટેડ પાર્ટીકલ્સ) અને ડબલ્યૂ.એસ.સી-( વોટર સોલ્યુબલ કોન્સન્ટ્રેટ) વગેરેનો સમાવેશ થાય છે. આવા જંતુનાશક રસાયણો ના વર્ગમાં એક નવા સ્વરૂપનો ઉમેરો થાય છે.
તે ઓ.ડી.(ઓઈલ ડીસ્પર્સેબલ) તરીકે ઓળખાય છે.
ખાસ કરીને ઈ.સી. સ્વરૂપે ઉપલબ્ધ કીટનાશક રસાયણમાં વપરાતા કેટલાક સોલવન્ટ ઝેરી અને જ્વનલશીલ(સળગી ઉઠે તેવા) હોય છે. તેથી તેના વિકલ્પ તરીકે બિન ઝેરી અથવા ઓછા ઝેરી તેમજ સળગી ના ઉઠે તેવા સોલવન્ટની શોધખોળ શરૂ થઈ. તેના પરિણામ સ્વરૂપે ઓડી સ્વરૂપના કીટનાશકો વિકસાવવામાં આવ્યા.
કીટનાશક રસાયણોની અસરકારકતામાં તેનુ સ્વરૂપ (ફોર્મ્યુલેશન) મહત્વનો ભાગ ભજવે છે.ઈ.સી. અને એસ.સી. સ્વરૂપે મળતા જંતુનાશક રસાયણો પાણીમાં સહેલાઈથી મિશ્ર થઈ શકે છે તેમજ આવું પ્રવાહી મિશ્રણ લાંબો સમય સુધી રાખી મુકતા પાણી, તૈલી પદાર્થ અને સક્રિય તત્વ એમ જુદા જુદા સ્તર જોવા મળતા નથી. આવા રસાયણો છંટકાવ બાદ છોડ પર સારી રીતે પ્રસરી શકે છે તેમજ છોડના કોષોમાં સહેલાઈથી અંદર પ્રવેશી શકે છે.
ઓ.ડી. સ્વરૂપે મળતા જંતુનાશક રસાયણોના બિંદુઓનું કદ એક્દમ નાનુ હોય છે. અને કિંમતમાં પણ સસ્તા હોય છે. આવા રસાયણમાં બિંદુઓ નુ કદ નાનુ હોવાથી છોડ પર સારી રીતે પ્રસરી શકે છે.
હાલમાં બીટાસાય ફ્લુથ્રીન 9 % + ઈમીડા ક્લોપ્રીડ 21 % – 300 ઓ.ડી.(વ્યાપારીક નામ- સોલોમોન), સાયજીપાયર 10 % ઓ.ડી. , સાયન્ટ્રાનીલીપ્રોલ 10.26 %(વ્યાપારીક નામ બેનીવીયા) ઓ.ડી. અને સ્પાઈરોટેટ્રામેટ 150 ઓ.ડી. (વ્યાપારીક નામ મોવેન્ટો) નામના કીટનાશક રસાયણો બજારમાં ઉપલબ્ધ છે.

21 March 2017

ઉનાળુ ખેડનું મહત્વ - “ખેડ એ ખાતર બરાબર છે” અને “ખેડ, ખાતર અને પાણી, અન્નને લાવે તાણી” આવી

“ખેડ એ ખાતર બરાબર છે” અને “ખેડ, ખાતર અને પાણી, અન્નને લાવે તાણી” આવી પુરાણી કહેવતો મુજબ જમીન વ્યવસ્થાની સફળ ચાવી ઉનાળુ ખેડ કહી શકાય. વૈજ્ઞાનિક સિદ્ધાંત મુજબ જમીન-પાણી-હળ-પાકનો સંબંધ સુવ્યવસ્થિત હોવો જોઈએ કારણ કે પાક ઉત્પાદનના મુખ્ય અંગ તરીકે પાકના મૂળને જમીન એ માધ્યમ પુરૂ પાડે છે, જ્યારે પાકની વૃદ્ધિ અને વિકાસ માટે પાણીના માધ્યમથી જમીનમાંથી છોડને જરૂરી પોષકતત્વોનું શોષણ કરી જમીનમાં રહેલી હવામાંથી ઓક્સિજન મૂળ વાટે લઈ છોડની દેહધાર્મિક ક્રિયાઓ નિયમિત ચાલતી રહે છે. ઉપરાંત હવામાન કાર્બનડાયોકસાઈડ, સૂર્યપ્રકાશ અને છોડમાં રહેલ કલોરોફીલ તેમજ ભેજ દ્વારા પ્રકાશસંશ્લેષણની ક્રિયાથી છોડનો સતત વિકાસ થતો રહે છે. આમ જમીન વ્યવસ્થાના મુખ્ય અંગ તરીકે ઉનાળુ ખેડ એ ખૂબજ અગત્યનું ખેડકાર્ય છે.

ઉનાળુ ખેડ

ચામાસુ, અર્ધ શિયાળુ કે શિયાળુ પાકની કાપણી પછી ઉનાળાના સમયે ખાસ કરીને આગામી ચામોસુ પાકના વાવેતર માટે જમીન તૈયાર કરવા જમીનમાં ભેજનું પ્રમાણ વરાપ અવસ્થાએ હોય ત્યારે જમીનને ખેડવી, ઢેફા ભાંગવા જમીન સમતલ કરવી, કરબ ચલાવવી વગેરે ખેડકાર્યો ખેતી ઓજારોથી જમીનને પોચી, ભરભરી તેમજ ઉલટસુલટ કરવામાં આવે છે જેથી જમીનની રચના અથવા બંધારણ સુધરે છે. નીંદણનો નાશ થાય છે અને આગલા પાકના અવશેષો, મૂળ, પાન, ડાંખળા વગેરે જમીનમાં દટાઈ જમીનમાં સેન્દ્રિય પદાર્થમાં વધારો કરે છે જેને ઉનાળાની ખેડ કરવામાં આવે છે.
ખેડ જુદા જુદા ઘણા નામોથી ઓળખાય છે. ઊંડાઈ પ્રમાણે છીછરી ખેડ, ઊંડી ખેડ જયારે સમય પ્રમાણે પ્રાથમિક ખેડ, વચલી ખેડ, આંતરખેડ, પાછલી ખેડ અને ખેડની સંખ્યા પ્રમાણે ઓછી ખેડ, અનુકુળ ખેડ, કન્વેન્શનલ ખેડ, રીડયુસ ખેડ, વધુ પડતી ખેડ વગેરે કરી શકાય છે.
પાક ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને વધુ પડતી ખેડથી થતા નુકશાન અટકાવવા જમીન વ્યવસ્થા માટે જરૂર પૂરતી ખેડ કરવી અતિ આવશ્યક છે.

આદર્શ ખેડ પદ્ધતિ

બળદથી ચાલતા ચવડાવાળા હળથી અને ટ્રેકટરથી ચાલતા ચવડા, દાંતી દ્વારા ખેડ કરવાથી અંગ્રેજી ‘વી’ આકારના બે ચાસ વચ્ચે જમીન ખેડાયા વગર રહી જાય છે. આથી ફાળવાળા હળ દ્વારા ખેડ કરવાથી ખેડાયા વગરની જમીન રહેતી નથી પરંતુ તેમાં નીકપાળા બનતા હોય જમીન સમતલ કરવાનો ખર્ચ વધી જાય છે. આથી હાલમાં ફાળવાવાળુ મલ્ટિ પ્લાઉ જે એક શેઢાથી બીજી શેઢા પાસે વળાંક વળતી વખતે હળની ફાળ ઉલટી જતી હોય પાસ પાસે ખેડાયેલ બે ચાસ વચ્ચે નીકપાળા થતા નથી અને જમીન કાટખૂણે ખેડાતી હોય બે ચાસ વચ્ચે ખેડાયા વગરની જમીન રહેતી નથી. જમીનની સપાટી પરની માટી ઉલટસુલટ થતા જમીન પરના ઘાસ, જડિયા વગેરે જમીનના નીચેના ભાગમાં દટાઈ જાય છે. નીચેની જમીન સપાટી પર આવે છે. આમ ખેતરના દરેક શેઢા સુધી ખેડ કરી સંપૂર્ણ ખેડ કરવામાં આવે છે. આવી ખેડ ઊંડા મૂળવાળા પાક માટે એકાંતર વર્ષે અને છીછરા મૂળવાળા પાક માટે દર ત્રણ વર્ષે ખેડ કરવાથી જમીનની ભૌતિક સ્થિતિ જાળવી આદર્શ ખેડ કરી શકાય છે. ઊંડી ખેડ કરી ઉનાળામાં બે માસ સૂર્યતાપમાં જમીનને તપવા દઈ કરબ ચલાવી હેકટરે ૧ર થી ૧૫ ટન સંપૂર્ણ કહોવાયેલું છાણિયુગળતિયું ખાતર પાથરી રોટાવેટરથી ખેડ કરી જમીનમાં ભેળવી દેવામાં આવે છે.

ખેડની ઉપયોગીતા

આદર્શ ખેડ યોગ્ય સમયે કરવાથી જમીનની છિદ્રાળુતા વધે છે, ભેજશોષક અને ભેજ સંગ્રાહકશક્તિ વધે છે અને છિદ્રાળુતાનું પ્રમાણ વધવાથી જમીનમાં હવાની અવરજવર સારી થાય છે. આથી છોડના મૂળને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતા મૂળ પોતાની વૃદ્ધિ સારા પ્રમાણમાં કરી શકે છે. છોડ તેના મૂળ દ્વારા જમીનમાંથી ભેજ, પોષકતત્વોનું પુરતા પ્રમાણમાં શોષણ કરી શકે છે અને છોડની દેહધાર્મિક ક્રિયા માટે જમીનમાંથી ઓક્સિજન પણ મેળવી શકે છે. આથી પાકની વૃદ્ધિ અને વિકાસ ઝડપથી થાય છે. ખેડથી જમીન ઉલટસુલટ થતા જમીનના અંદરના ભાગમાં રહેલા કીટકોના ઈંડા, ઈયળ અને કોશેટા જમીનની ઉપરની ખુલ્લી સપાટી પર આવતા સૂર્યતાપથી અને પક્ષીઓ દ્વારા ખાઈ જવાથી નાશ પામે છે.

ખેડનું પ્રમાણ

જમીન તૈયાર કરવા ખેડ કેટલી કરવી એ આગળનો પાક, જમીનનો પ્રકાર, આગામી ઋતુમાં લેવાનો પાક અને ખેડકાર્યના સમય ઉપર આધાર રાખે છે. અગાઉના પાક ઊંડા મૂળવાળા જેમકે કપાસ, દિવેલા, શેરડી વગેરે હોય તો ઊંડી ખેડ, જયારે છિછરા મૂળવાળા જેમકે મગફળી, બાજરી, ચણા, મગ, જીરૂ, સૂર્યમુખી વગેરે હોય તો છીછરી ખેડ કરવી. જમીન ભારે તેમજ મધ્યમ કાળી હોય તો ઊંડી ખેડ, જયારે રેતાળ અને હલકા પ્રકારની હોય તો છીછરી ખેડ કરવી જરૂરી છે. આગામી ઋતુમાં લેવાનો પાક ઊંડા મૂળવાળા હોય તો ઊંડી ખેડ, જયારે છીછરા મૂળવાળો હોય તો છીછરી ખેડ કરવી જોઈએ. શિયાળુ પાકની કાપણી અને ચામાસુ પાકના વાવેતર વચ્ચેનો સમય ખૂબ જ વધારે હોય તેથી ઊંડી ખેડ કરવી જોઈએ.

પાક ઉત્પાદકતા વધારવા ખેડનું મહત્ત્વ

ખેડથી જમીનના મોટા રજકણો નાના રજકણોમાં રૂપાન્તર થતા છોડના મૂળ વધારે જમીનની રજકણોની સપાટીના સંપર્કમાં આવતા વધુ પ્રમાણમાં પોષકતત્વોનું શોષણ કરી શકે છે.
છિદ્રાવકાશનું પ્રમાણ વધતા જમીનમાં હવાની અવરજવર વધે છે તેથી છોડના મૂળ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન લઈ શકે છે.
જમીન પોચી અને ભરભરી બનતા વરસાદનું પાણી જમીનમં ઉતરતા જમીનનું ધોવાણ ઘટે છે, જમીનની ભેજશોષણ શક્તિ અને ભેજસંગ્રાહક શક્તિમાં વધારો થાય છે.
યોગ્ય પ્રમાણમાં ખેડ થતા જમીનની સપાટી પરના નીંદણનો નાશ થાય છે. જે મુખ્ય પાક સાથે હવા, જગ્યા, પ્રકાશ, જમીનમાં ભેજ અને પોષક તત્વોના શોષણમાં હરિફાઈ કરતા નથી. આથી મુખ્ય પાકની વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છે.
જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો થતા જમીનમાં રહેલ ઉપયોગી સૂક્ષ્મજીવાણુઓની ક્રિયાશીલતામાં વધારો થાય છે. જમીનનું જીવંત જળવાઈ રહે છે.
ઉપરોક્ત દરેક ફાયદાઓના સંકલિત પ્રયાસથી પાકની ઉત્પાદકતા વધે છે.

વધુ પડતી ખેડના ગેરફાયદાઓ

વધુ પડતી ખેડથી જમીનમાં હવાનું પ્રમાણ વધે છે જેથી જમીનમાં રહેલા સેન્દ્રિય પદાર્થનું ઉપચયન વધારે થાય છે. આથી જમીનની ઘનતા ૧.૫પ ગ્રામ પ્રતિ ઘન સે.મી. કરતા વધારે હોય તો સારા પાક ઉત્પાદ માટે યોગ્ય નથી.
વધારે પડતી ખેડ કરવાથી જમીનના કણોનું કદ નાનું થતુ જાય છે. જેમ જેમ રજકણોનું કદ નાનું થતુ જાય તેમ તેમ જમીનમાં પેટાતળમાં એકઠા થઈ સખત પડ બનતુ જાય છે. સખત પડ બનવાથી જમીનની નિતારશક્તિ વધે છે અને મૂળનો વિકાસ ઘટે છે.
સેન્દ્રિય પદાર્થનું ઉપચયન થવાથી જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ ઘટે છે. આથી જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ક્રિયાઓ ધીમી પડે છે અને જમીનની ઉત્પાદકતા ઘટે છે.
વધુ પડતી ખેડથી જમીનના ઉપરના પડમાં રજકણો છૂટા પડે છે જેથી પવન અને પાણીથી જમીનનું ધોવાણ ૬૫ થી ૭૦ ટકા જેટલું થાય છે.
વધુ પડતી ખેડ કરવાથી બળદના એકમ, યંત્રના એકમ માનવીના એકમમાં વધારો થતા ખેતી ખર્ચમાં વધારો થાય છે અને એકદંરે ચોખ્ખો નફો ઘટે છે.
ઉનાળામાં જમીનમાં વરાપ અવસ્થાએ યોગ્ય પ્રમાણ અને પદ્ધતિથી જરૂર પૂરથી જ ખેડ કરવામાં આવે તો જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો કરી એકમ વિસ્તારમાંથી ઓછા ખેડકાર્યના ખર્ચથી વધારેમાં વધારે ચોખ્ખો નફો મેળવી શકાય છે.

સંદ્ર્ભ: આણંદ ક્રુષિ યુનિવર્સિટી
ખેતી ની પાઠશાળા ફેસબુક પર થી કોપી - પેસ્ટ

16 March 2017

જમીન માપણી અને અંતર વિશે આંકડાકીય માહીતી

જમીન માપણી અને અંતર વિશે આંકડાકીય માહીતી


૧ ચો.વાર = ૯ ચો.ફુટ

૧ ચો.વાર = 0.૮૩૬૧ ચો.મી

૧ ચો.ફુટ = ૦.૦૯૨૯ ચો.મી

૧ એકર = ૪૦ ગુંઠા

૧ એકર = ૪૦૪૬.૮૫ ચો.મી

૧ એકર = ૦.૪૦૪૬ હેકટર

૧ હેકટર = ૨.૪૭૧૧ એકર

૧ હેકટર = ૧૦૦૦૦ ચો.મી

૧ હેકટર = ૧.૧૯૬૦ ચો.વાર

૧ ગુંઠા = ૧૦૧.૧૭૧૩ ચો.મી

૧ ગુંઠા =  ૧૨૧ ચો.વાર

૧ ગુંઠા =   ૧૦૮૯ ચો.ફુટ

૧ વિઘા = ૨૩૭૮ ચો.મી

૧ વિઘા = ૨૮૪૩.૫ ચો.વાર

૧ વિઘા = ૨૫૫૯૧ .૫૦ ચો.ફુટ

૧ કિ.મી = ૧૦૦૦ મી

૧ કિ.મી = ૦.૬૨૧૪ (૧માઇલ )

૧ કિ.મી = ૩૩૩૩ ફુટ

૧ માઇલ = ૧.૬૦૯ કિ.મી

૧ ચો.કિ.મી = ૧૦૦૦૦૦૦ ચો.હેકટર

૧ ચો.કિ.મી = ૧૦૦ હેકટર

૧ વાસા = ૧૨૮૦ ચો.ફુટ

 ૨૦ વાસા = ૧ વિઘો

 ૧ વાસા = ૧૪૨.૨૨ ચો.વાર

 ૧ વાસા = ૧૧૯ ચો.મી

12 March 2017

હર્ષવર્ધનસિંહ જાડેજા, યુવાખેડૂત દાડમની યુરોપમાં નિકાસ કરી 65 લાખની કમાણી કરી

વાંકાનેર: યુવા ખેડૂત ઢસરડા કરવાને બદલે ઓછી મહેનત , ઓછા પાણી અને ઓછી જમીનમાં બાગાયતી ખેતી કરી મબલખ ઉત્પાદન અને સામે તેનું બમ્પર ઉત્પાદન પણ મેળવી રહ્યો છે. સાથોસાથ દિનપ્રતિદિન તેની ખેતીમાં પણ વૈજ્ઞાનિક ઢબ અપનાવી નવી રાહ પકડી આગળ વધી રહ્યો છે. વાંકાનેરના હર્ષવર્ધનસિંહ જાડેજાએ દાડમની ખેતી કરી યુરોપમાં દાડમ નિકાસ કરીને 65 લાખની કમાણી કરી છે.
પંથકના ખેડૂતો કપાસની સામે ફળફૂલ અને શાકભાજી તરફ વળ્યા

વાંકાનેર પંથકમાં પણ છેલ્લા થોડા સમયથી ખેડૂતો મુખ્ય જણસ એવી કપાસની ખેતી સામે શાકભાજી-ફળ-ફૂલ કે અન્ય રોકડિયા પાકની ખેતી કરી પોતાની આર્થિક સધ્ધરતા તો વધારી રહ્યો છે સાથોસાથ સમાજમાં કંઈક અલાયદું કરીને સામાજિક દરજ્જો પણ વધારી રહ્યો છે. શાકભાજીની સાથે દાડમ-ડ્રેગન જેવા ફળોને વાવી યોગ્ય નિયમન કરી.
ઓછા પાણી અને સાધનો વચ્ચે નવી રાહ 

દેશ અને વિદેશમાં પણ પોતાની જણસ મેળવી પોતાની જણસનું બજાર અને આર્થિક સ્તર વધારી રહ્યો છે. ખરેખર ઓછા પાણી અને ટાંચા સાધનો વાળા ખેડૂતો યોગ્ય સમજ અને રાહ મેળવી રસ્તો અપનાવવો જરૂરી અને સારો પણ છે.

80 વીઘામાં બાગાયતી ખેતી

80  વીઘામાં બાગાયતી ખેતી કરી દાડમનો 150 ટન ઉત્પાદન મેળવ્યું જેમાંથી 65 ટન જથ્થો સારા ભાવ સાથે યુરોપમાં પણ મોકલ્યા જેનાથી 65 લાખની મબલખ આવક પણ થઈ.
પંથકના ખેડૂતો કપાસની સામે ફળફૂલ અને શાકભાજી તરફ વળ્યા

વાંકાનેર પંથકમાં પણ છેલ્લા થોડા સમયથી ખેડૂતો મુખ્ય જણસ એવી કપાસની ખેતી સામે શાકભાજી-ફળ-ફૂલ કે અન્ય રોકડિયા પાકની ખેતી કરી પોતાની આર્થિક સધ્ધરતા તો વધારી રહ્યો છે સાથોસાથ સમાજમાં કંઈક અલાયદું કરીને સામાજિક દરજ્જો પણ વધારી રહ્યો છે. શાકભાજીની સાથે દાડમ-ડ્રેગન જેવા ફળોને વાવી યોગ્ય નિયમન કરી.
ઓછા પાણી અને સાધનો વચ્ચે નવી રાહ 

દેશ અને વિદેશમાં પણ પોતાની જણસ મેળવી પોતાની જણસનું બજાર અને આર્થિક સ્તર વધારી રહ્યો છે. ખરેખર ઓછા પાણી અને ટાંચા સાધનો વાળા ખેડૂતો યોગ્ય સમજ અને રાહ મેળવી રસ્તો અપનાવવો જરૂરી અને સારો પણ છે.

80 વીઘામાં બાગાયતી ખેતી

80  વીઘામાં બાગાયતી ખેતી કરી દાડમનો 150 ટન ઉત્પાદન મેળવ્યું જેમાંથી 65 ટન જથ્થો સારા ભાવ સાથે યુરોપમાં પણ મોકલ્યા જેનાથી 65 લાખની મબલખ આવક પણ થઈ.
- હર્ષવર્ધનસિંહ જાડેજા, યુવાખેડૂત
દાડમની ખેતીમાં રોગઅને નિયંત્રણની જાણકારી જરૂરી

ખેતીમાં વાવણી થી માંડીને ક્યારે કયો રોગ આવે અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના જાણકાર ગણી પટેલ ના જણાવ્યા મુજબ બાગાયતી કન્સેપ્ટ હાલના સમયમાં ખેતી માટે ખુબજ ઉપયોગી અને જરૂરિયાતનો પણ છે, ખેતીની જમીનને પણ ઘણો બધો ફાયદો થાય છે.
- ગનીભાઈ પટેલ, ખેતી વિશેષજ્ઞ
આગળની સ્લાઈડ્સ દાડમની ખેતીની અન્ય તસવીરો... (તસવીરો: હિંમાશું વરિયા, વાંકાનેર)
દાડમની ખેતીમાં રોગઅને નિયંત્રણની જાણકારી જરૂરી

ખેતીમાં વાવણી થી માંડીને ક્યારે કયો રોગ આવે અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના જાણકાર ગણી પટેલ ના જણાવ્યા મુજબ બાગાયતી કન્સેપ્ટ હાલના સમયમાં ખેતી માટે ખુબજ ઉપયોગી અને જરૂરિયાતનો પણ છે, ખેતીની જમીનને પણ ઘણો બધો ફાયદો થાય છે.
- ગનીભાઈ પટેલ, ખેતી વિશેષજ્ઞ 
(તસવીરો: હિંમાશું વરિયા, વાંકાનેર)

9 March 2017

જમીન માપણી અને અંતર વિશે આંકડાકીય માહીતી


જમીન માપણી અને અંતર 






૧ ચો.વાર = ૯ ચો.ફુટ

૧ ચો.વાર = 0.૮૩૬૧ ચો.મી


૧ ચો.ફુટ = ૦.૦૯૨૯ ચો.મી 

૧ એકર = ૪૦ ગુંઠા

૧ એકર = ૪૦૪૬.૮૫ ચો.મી

૧ એકર = ૦.૪૦૪૬ હેકટર

૧ હેકટર = ૨.૪૭૧૧ એકર

૧ હેકટર = ૧૦૦૦૦ ચો.મી

૧ હેકટર = ૧.૧૯૬૦ ચો.વાર

૧ ગુંઠા = ૧૦૧.૧૭૧૩ ચો.મી

૧ ગુંઠા =  ૧૨૧ ચો.વાર

૧ ગુંઠા =   ૧૦૮૯ ચો.ફુટ

૧ વિઘા = ૨૩૭૮ ચો.મી

૧ વિઘા = ૨૮૪૩.૫ ચો.વાર

૧ વિઘા = ૨૫૫૯૧ .૫૦ ચો.ફુટ

૧ કિ.મી = ૧૦૦૦મી

૧ કિ.મી = ૦.૬૨૧૪ (૧માઇલ )

૧ કિ.મી = ૩૩૩૩ ફુટ

૧ માઇલ = ૧.૬૦૯ કિ.મી

૧ ચો.કિ.મી = ૧૦૦૦૦૦૦ ચો.હેકટર

૧ ચો.કિ.મી = ૧૦૦ હેકટર

૧ વાસા = ૧૨૮૦ ચો.ફુટ

 ૨૦ વાસા = ૧ વિઘો

 ૧ વાસા = ૧૪૨.૨૨ ચો.વાર

 ૧ વાસા = ૧૧૯ ચો.મી

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...