આયાત-નિકાસ : ખેડૂતોને ભેખડે ભરાવતી કૃષિ નીતિ
એક એવું સેક્ટર છે જેમાં એક હાથે તાળી પડતી નથી. કુદરતી ચક્ર જ એવું છે કે, કૃષિ ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વન દેશે પણ આયાત-નિકાસની પરંપરાને નિભાવવી પડે છે. પાકના ભાવના વધારા-ઘટાડામાં આયાત-નિકાસના આંક મહત્ત્વનું પરિબળ છે. ભારત કૃષિક્ષેત્રની આયાત-નિકાસમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માર ખાઈ રહ્યું છે. કેન્દ્રીય વાણીજ્યમંત્રી કૃષિમાં આયાત સામે નિકાસનો આંક સતત ઘટી રહ્યો હોવાનો સ્વીકાર કરી રહ્યાં છે પણ હવે ધીમેધીમે સ્ટેબલ થશે એવો બચાવ પણ કરી રહ્યા છે. દેશમાંથી વર્ષે ૨૦૧૫-૧૬માં કૃષિની નિકાસમાં ૧૫ ટકાનો ઘટાડો થતાં આંક ૨૬૨.૩૦ અબજ ડોલરે પહોંચ્યો છે. ભારતે કૃષિના ૧૨ સેક્ટરમાં પ્રગતિ અને ૧૫ સેક્ટરમાં નેગેટિવ ગ્રોથ મેળવ્યો છે. વિશ્વના ૧૫ દેશોમાં ભારતની નિકાસમાં ઘટાડો થયો છે કારણકે સરકાર કૃષિની આયાત-નિકાસમાં ધ્યાન આપવાને બદલે મોંઘવારી સંભાળવામાં વ્યસ્ત બની આડેધડ નિર્ણયો લઈ રહી છે. અમેરિકા, સંયુક્ત આરબ અમિરાત, ચીન, બ્રિટન, સિંગાપુર, જર્મની, બેલ્જિયમ અને ફ્રાંસ જેવા મહત્ત્વનાં દેશોમાં ભારતનો વેપાર ઘટયો છે. ભારતે નવા બજારો શોધવા છતાં નિકાસમાં ઘટાડો થયો એ વાસ્તવિકતા છે.
દૂધ સેક્ટરમાં પણ વર્ષ ૨૦૧૩-૧૪માં ૫૪૭.૪૦ મિલિયન ડોલર વેપાર સામે વર્ષ ૨૦૧૫-૧૬માં માત્ર ૧૧૫.૦૭ મિલિયન ડોલર વેપાર રહી ગયો છે. ભારતની નિકાસનીતિમાં દૂરંદેશીનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. કઠોળની આયાતમાં સરકાર એક મજાકનું પાત્ર બનીને ઊભરી રહી છે. સરકાર કઠોળના ભાવ ન વધે માટે ૯૦ હજાર ટનનો બફરસ્ટોક કરવા માગે છે. જે માટે આયાત થઈ રહી છે. ખેડૂતોને હાલમાં ટેકાથી પણ નીચા ભાવ કઠોળના મળી રહ્યાં હોવા સામે સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાને બદલે વિદેશમાં કઠોળની આયાત માટેના સોદા કરી રહી છે. મોઝાબિંકમાં કઠોળની ખેતી કરાવનાર સરકાર બ્રાઝિલમાં પણ આ જ ધારાધોરણો અનુસાર ખેતી કરાવવા માગે છે. બ્રાઝિલમાં કઠોળની ખેતી પાછળ ખર્ચ કરનાર સરકાર આ વર્ષે ખેડૂતોને કઠોળના ટેકાના ભાવથી વધુ ભાવ અપાવે તે તાતી જરૂરિયાત છે. મગનો ભાવ ટેકાથી પણ નીચો ગયો છે. કઠોળના ભાવ વધે તુરંત જ સરકારનું ટેન્ડર તૈયાર થઈ જાય છે. મકાઈની આયાત માટે ત્રણ ત્રણ વાર ટેન્ડરો ભરવા કંપનીઓ આગળ આવી નથી. ગત વર્ષે ડુંગળીની આયાત બાદ કોઇ ખરીદદારો મળ્યા ન હતા. આ વર્ષે ડુંગળીના ભાવ ધડામ દઈને નીચે પટકાતાં સરકારે નિકાસશુલ્કમાં રાહત આપવાની સાથે ૫ ટકાની છૂટછાટ પણ આપી છે.
વિશ્વભરમાં ઘઉંના ભાવ છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી નીચા છે પણ ભારતમાં સૌથી ઊંચા હોવાનું મુખ્ય કારણ ઘઉંની આયાત પર ૨૫ ટકા ડયૂટી છે. વિશ્વબજારમાંથી સસ્તા ઘઉં ભારત આવી શકે તેવી સ્થિતિ નથી, સરકાર ઘઉંનું ઉત્પાદન ૯૪૦ લાખ ટન થયું હોવાનું અશક્ય રટણ લગાવી રહી છે. સરકાર હાલમાં છૂટછાટ આપે તો ઘઉંના ઊંચા ઉત્પાદનનો પરપોટો ફૂટવાનો ડર છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ડયૂટી છતાં ટ્રેડરોએ ૮.૫ લાખ ટન ઘઉંની આયાત માટે બીડ કરી છે. જે નવ વર્ષમાં સૌથી વધુ છે. દેશમાં હાલમાં ઘઉંના પુરવઠાની સ્થિતિ તંગ હોવા છતાં પણ સરકાર આયાત ડયૂટી જાળવી રાખવાના મૂડમાં છે. દેશનાં ગોડાઉનોમાં ૨૭૦ લાખ ટન ઘઉંનો સ્ટોક પડયો છે. આ વર્ષે ઘઉંની આયાત રેકોર્ડબ્રેક થાય તેવી સંભાવના છે, છેલ્લે વર્ષ ૨૦૦૬માં ૬૦ લાખ ટન ઘઉંની આયાત કરતાં વૈશ્વિક ભાવમાં ૫૦ ટકાનો વધારો થયો હતો.
મગફળી અને તેલીબિયાં પાકોની સિઝન નજીક આવી રહી છે ત્યારે આયાતમિલો ખાદ્યતેલની આયાતડયૂટી વધારવા માટે બુમરાણ પાડી રહી છે. મર્યાદિત માત્રમાં ખાદ્યતેલની આયાત કરવાની માગ કરાઈ રહી છે. ભારતમાં આ વર્ષે પણ ૧૫૦ લાખ ટન ખાદ્યતેલની આયાત થાય તેવી સંભાવના છે. ખેડૂતોને બોનસ આપી કઠોળનું વાવેતર વધારવા પ્રોત્સાહન આપતાં વાવેતર વિસ્તાર ૧૪૨ લાખ હેક્ટરે પહોંચી ગયો છે. હવે કઠોળના ભાવ ખેડૂતોને ટેકાથી પણ ઊંચા મળે તે જોવાની જવાબદારી સરકારની છે. સરકારે ગત વર્ષે કઠોળની ખરીદી પાછળ ૨૫ હજાર કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચી કાઢયું છે. તેલીબિયાં પાછળ પણ રૂ. ૭૦ હજાર કરોડથી વધુનો ભારત ખર્ચ કરે છે. કૃષિક્ષેત્રના નિકાસ આંકમાં સતત ઘટાડો અને આયાત આંક વધી રહ્યો છે. નિકાસઆંકમાં વધારો થશે તો જ કૃષિક્ષેત્રની પ્રગતિ શક્ય છે. આ વર્ષે આશા રાખીએ કે તેલીબિયાં, કઠોળના ઊંચા ઉત્પાદન બાદ સરકારની આયાત-નિકાસ નીતિમાં સુધારો નહીં થાય તો ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવશે.
એક એવું સેક્ટર છે જેમાં એક હાથે તાળી પડતી નથી. કુદરતી ચક્ર જ એવું છે કે, કૃષિ ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વન દેશે પણ આયાત-નિકાસની પરંપરાને નિભાવવી પડે છે. પાકના ભાવના વધારા-ઘટાડામાં આયાત-નિકાસના આંક મહત્ત્વનું પરિબળ છે. ભારત કૃષિક્ષેત્રની આયાત-નિકાસમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માર ખાઈ રહ્યું છે. કેન્દ્રીય વાણીજ્યમંત્રી કૃષિમાં આયાત સામે નિકાસનો આંક સતત ઘટી રહ્યો હોવાનો સ્વીકાર કરી રહ્યાં છે પણ હવે ધીમેધીમે સ્ટેબલ થશે એવો બચાવ પણ કરી રહ્યા છે. દેશમાંથી વર્ષે ૨૦૧૫-૧૬માં કૃષિની નિકાસમાં ૧૫ ટકાનો ઘટાડો થતાં આંક ૨૬૨.૩૦ અબજ ડોલરે પહોંચ્યો છે. ભારતે કૃષિના ૧૨ સેક્ટરમાં પ્રગતિ અને ૧૫ સેક્ટરમાં નેગેટિવ ગ્રોથ મેળવ્યો છે. વિશ્વના ૧૫ દેશોમાં ભારતની નિકાસમાં ઘટાડો થયો છે કારણકે સરકાર કૃષિની આયાત-નિકાસમાં ધ્યાન આપવાને બદલે મોંઘવારી સંભાળવામાં વ્યસ્ત બની આડેધડ નિર્ણયો લઈ રહી છે. અમેરિકા, સંયુક્ત આરબ અમિરાત, ચીન, બ્રિટન, સિંગાપુર, જર્મની, બેલ્જિયમ અને ફ્રાંસ જેવા મહત્ત્વનાં દેશોમાં ભારતનો વેપાર ઘટયો છે. ભારતે નવા બજારો શોધવા છતાં નિકાસમાં ઘટાડો થયો એ વાસ્તવિકતા છે.
દૂધ સેક્ટરમાં પણ વર્ષ ૨૦૧૩-૧૪માં ૫૪૭.૪૦ મિલિયન ડોલર વેપાર સામે વર્ષ ૨૦૧૫-૧૬માં માત્ર ૧૧૫.૦૭ મિલિયન ડોલર વેપાર રહી ગયો છે. ભારતની નિકાસનીતિમાં દૂરંદેશીનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે. કઠોળની આયાતમાં સરકાર એક મજાકનું પાત્ર બનીને ઊભરી રહી છે. સરકાર કઠોળના ભાવ ન વધે માટે ૯૦ હજાર ટનનો બફરસ્ટોક કરવા માગે છે. જે માટે આયાત થઈ રહી છે. ખેડૂતોને હાલમાં ટેકાથી પણ નીચા ભાવ કઠોળના મળી રહ્યાં હોવા સામે સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાને બદલે વિદેશમાં કઠોળની આયાત માટેના સોદા કરી રહી છે. મોઝાબિંકમાં કઠોળની ખેતી કરાવનાર સરકાર બ્રાઝિલમાં પણ આ જ ધારાધોરણો અનુસાર ખેતી કરાવવા માગે છે. બ્રાઝિલમાં કઠોળની ખેતી પાછળ ખર્ચ કરનાર સરકાર આ વર્ષે ખેડૂતોને કઠોળના ટેકાના ભાવથી વધુ ભાવ અપાવે તે તાતી જરૂરિયાત છે. મગનો ભાવ ટેકાથી પણ નીચો ગયો છે. કઠોળના ભાવ વધે તુરંત જ સરકારનું ટેન્ડર તૈયાર થઈ જાય છે. મકાઈની આયાત માટે ત્રણ ત્રણ વાર ટેન્ડરો ભરવા કંપનીઓ આગળ આવી નથી. ગત વર્ષે ડુંગળીની આયાત બાદ કોઇ ખરીદદારો મળ્યા ન હતા. આ વર્ષે ડુંગળીના ભાવ ધડામ દઈને નીચે પટકાતાં સરકારે નિકાસશુલ્કમાં રાહત આપવાની સાથે ૫ ટકાની છૂટછાટ પણ આપી છે.
વિશ્વભરમાં ઘઉંના ભાવ છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી નીચા છે પણ ભારતમાં સૌથી ઊંચા હોવાનું મુખ્ય કારણ ઘઉંની આયાત પર ૨૫ ટકા ડયૂટી છે. વિશ્વબજારમાંથી સસ્તા ઘઉં ભારત આવી શકે તેવી સ્થિતિ નથી, સરકાર ઘઉંનું ઉત્પાદન ૯૪૦ લાખ ટન થયું હોવાનું અશક્ય રટણ લગાવી રહી છે. સરકાર હાલમાં છૂટછાટ આપે તો ઘઉંના ઊંચા ઉત્પાદનનો પરપોટો ફૂટવાનો ડર છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ડયૂટી છતાં ટ્રેડરોએ ૮.૫ લાખ ટન ઘઉંની આયાત માટે બીડ કરી છે. જે નવ વર્ષમાં સૌથી વધુ છે. દેશમાં હાલમાં ઘઉંના પુરવઠાની સ્થિતિ તંગ હોવા છતાં પણ સરકાર આયાત ડયૂટી જાળવી રાખવાના મૂડમાં છે. દેશનાં ગોડાઉનોમાં ૨૭૦ લાખ ટન ઘઉંનો સ્ટોક પડયો છે. આ વર્ષે ઘઉંની આયાત રેકોર્ડબ્રેક થાય તેવી સંભાવના છે, છેલ્લે વર્ષ ૨૦૦૬માં ૬૦ લાખ ટન ઘઉંની આયાત કરતાં વૈશ્વિક ભાવમાં ૫૦ ટકાનો વધારો થયો હતો.
મગફળી અને તેલીબિયાં પાકોની સિઝન નજીક આવી રહી છે ત્યારે આયાતમિલો ખાદ્યતેલની આયાતડયૂટી વધારવા માટે બુમરાણ પાડી રહી છે. મર્યાદિત માત્રમાં ખાદ્યતેલની આયાત કરવાની માગ કરાઈ રહી છે. ભારતમાં આ વર્ષે પણ ૧૫૦ લાખ ટન ખાદ્યતેલની આયાત થાય તેવી સંભાવના છે. ખેડૂતોને બોનસ આપી કઠોળનું વાવેતર વધારવા પ્રોત્સાહન આપતાં વાવેતર વિસ્તાર ૧૪૨ લાખ હેક્ટરે પહોંચી ગયો છે. હવે કઠોળના ભાવ ખેડૂતોને ટેકાથી પણ ઊંચા મળે તે જોવાની જવાબદારી સરકારની છે. સરકારે ગત વર્ષે કઠોળની ખરીદી પાછળ ૨૫ હજાર કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચી કાઢયું છે. તેલીબિયાં પાછળ પણ રૂ. ૭૦ હજાર કરોડથી વધુનો ભારત ખર્ચ કરે છે. કૃષિક્ષેત્રના નિકાસ આંકમાં સતત ઘટાડો અને આયાત આંક વધી રહ્યો છે. નિકાસઆંકમાં વધારો થશે તો જ કૃષિક્ષેત્રની પ્રગતિ શક્ય છે. આ વર્ષે આશા રાખીએ કે તેલીબિયાં, કઠોળના ઊંચા ઉત્પાદન બાદ સરકારની આયાત-નિકાસ નીતિમાં સુધારો નહીં થાય તો ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવશે.
Via - એગ્રો વર્લ્ડ : – કરણ રાજપૂત સંદેશ 06/09/16 http://www.readwhere.com/read/c/13009797