જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


29 May 2018

હવે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રિમોન્સૂન એકટીવીટીની શરૂઆત કોઈ-કોઈ દિવસે કોઈ-કોઈ જગ્યાએ છાંટાછૂટી - ઝાપટા પડશે : અશોકભાઈ પટેલ

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રૂમઝૂમ કરતુ આગળ વધી રહ્યુ છે. હવે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં કોઈ-કોઈ દિવસે કોઈ-કોઈ જગ્યાએ પ્રિમોન્સૂનરૂપી છાંટાછુટી - ઝાપટાની શરૂઆત થશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલએ ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે સમગ્ર દક્ષિણ અરબી સમુદ્ર, ઓમરેન, માલદીવ, સમગ્ર લક્ષદ્વીપ, કેરળના લગભગ ભાગો, તામિલનાડુના થોડા ભાગો અને બંગાળની ખાડીના ઘણા ભાગોમાં ચોમાસાએ વિધિવત રીતે એન્ટ્રી કરી દીધી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હજુ પણ એકાદ બે દિવસમાં આગળ ચાલે તેવા સંજોગો છે.
એક વેલમાર્ક લો પ્રેશર કેરળના કર્ણાટકના દરિયાકિનારા નજીક હતુ જે હજુ તે જ વિસ્તારમાં જ છે અને તેને આનુસાંગિક સાયકલોનીક સરકયુલેશન ૭.૬ કિ.મી.ની ઉંચાઈ સુધી છવાયેલ છે.
બીજુ એક વેલમાર્ક લોપ્રેસર મધ્ય - પૂર્વ બંગાળની ખાડીમાં ગઈકાલે હતુ જે આજે મજબૂત બની ડીપ્રેશનની માત્રાએ પહોંચ્યુ છે. જેની પુષ્ટિ હવામાન ખાતાની બાકી છે અને હાલમાં મધ્યપૂર્વ અને લાગુ ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં છે.
એક ઈસ્ટ - વેસ્ટ સીયરઝોન (સામસામા પવનો) ૧૨ ડિગ્રી નોર્થ, ૩.૧ કિ.મી.થી ૫.૮ કિ.મી.ની ઉંચાઈએ છે.
હવે સૌરાષ્ટ્ર કરતા ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. જો કે સૌરાષ્ટ્રમાં બફારાનો અનુભવ થશે. પ્રિમોન્સૂન એકટીવીટી પણજોવા મળશે. કોઈ - કોઈ દિવસે છૂટાછવાયા સ્થળોએ છાંટાછૂટી ઝાપટા પડશે.

28 May 2018

આજ ના બજાર ભાવ તારીખ: 28/05/2018 સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ રાજકોટ

 કપાસ બીટી - 955.00 , 1108.00
ઘઉં લોકવન - 324.00 , 372.00
ઘઉં ટુકડા - 329.00 , 407.00
જુવાર - સફેદ - 485.00 , 620.00
જુવાર - પીળી - 280.00 , 340.00
બાજરી - 190.00 , 275.00
મકાઇ - 240.00 , 310.00
તુવેર - 750.00 , 850.00
ચણા - પીળા - 641.00 , 709.00
અળદ - 472.00 , 840.00
મગ - 900.00 , 1040.00
વાલ - દેશી - 450.00 , 660.00
વાલ - પાપળી - 475.00 , 750.00
ચોળી - 905.00 , 1340.00
મઠ - 550.00 , 780.00
કડથી - 545.00 , 750.00
મગફળી - જીણી - 630.00 , 695.00
મગફળી જાડી - 591.00 , 785.00
તલી - 1575.00 , 1640.00
એરન્ડા - 705.00 , 745.00
અજમો - 850.00 , 1560.00
સુવા - 650.00 , 875.00
સીંગફાડા - 650.00 , 860.00
તલ કાળા - 1415.00 , 1667.00
લસણ - 90.00 , 305.00
ધાણા - 740.00 , 1021.00
વરીયાળી - 1150.00 , 1440.00
જીરૂ - 2460.00 , 2920.00
રાય - 700.00 , 830.00
મેથી - 406.00 , 606.00
ઇસબગુલ - 1055.00 , 1310.00
રાયડો - 600.00 , 708.00
રજકાનું - બી - 2200.00 , 2800.00
ગુવારનું - બી - 710.00 , 720.00

બટાટા - 220.00 , 310.00
ડુંગળી સુકી - 60.00 , 111.00
ટમેટા - 150.00 , 300.00
સુરણ - 200.00 , 300.00
કોથમરી - 300.00 , 500.00
મુળા - 250.00 , 400.00
રીંગણા - 80.00 , 120.00
કોબીજ - 50.00 , 90.00
ફુલાવર - 300.00 , 400.00
ભીંડો - 200.00 , 300.00
ગુવાર - 400.00 , 500.00
ચોળા સીંગ - 350.00 , 550.00
વાલોળ - 800.00 , 1000.00
ગીલોડા - 150.00 , 250.00
દૂધી - 120.00 , 200.00
કારેલા - 260.00 , 400.00
સરગવો - 300.00 , 450.00
તુરીયા - 360.00 , 500.00
પરવર - 250.00 , 400.00
કાકડી - 260.00 , 350.00
ગાજર - 160.00 , 250.00
વટાણા - 800.00 , 1000.00
બીટ - 110.00 , 160.00
ગલકા - 150.00 , 250.00
મેથી - 300.00 , 500.00
વાલ - 1200.00 , 1500.00
ડુંગળી લીલી - 200.00 , 400.00
આદુ - 1000.00 , 1200.00
મરચા - લીલા - 220.00 , 330.00
મકાઇ - લીલી - 120.00 , 200.00
ગુંદા - 450.00 , 600.00
લીંબુ - 500.00 , 850.00
સાકરટેટી - 200.00 , 350.00
તરબુચ - 250.00 , 400

26 May 2018

ખાવુ છે પણ વાવુ નથી

ખાવુ છે પણ વાવુ નથી
અરે વાલજીભાઈ, આવી ગરમીમાં ખેતરમાં કામ કરો છો… તમારા બંને છોકરા સુરેશ અને રમેશ ક્યાં ગયા ?

“અરે ના હોં… છોકરાઓને તે કાંઈ ખેતરમાં કામ કરાવાતું હશે કાંઈ ? એ તો ભણીગણીને દાક્તર અને એન્જિનીયર બનશે.. મારી જેમ ઘઉં ઉગાડવા, વાવવા, લણવાની કાળી મજૂરી નહીં કરે… ઠંડાગાર એ.સી.વાળા મોલમાંથી જઈને લઈ આવશે…”

તદ્‍ન સામાન્ય વર્તાઈ રહેલો આ વાર્તાલાપ આવનારા સમયમાં ભારતભરમાં અન્નસંકટ અને મહામારી લાવવાનો છે.. અને તેના પરિણામો કેવા આવે છે તેની ભયાવહતા જોવી હોય તો હાલના સોમાલિયા દેશની હાલત જોઈ લો…

વર્તમાન સમયમાં કૃષિપ્રધાન દેશ ભારતની દુર્દશા એવી છે કે…

ડૉક્ટરનો છોકરો ડૉક્ટર, સી.એ.નો છોકરો સી.એ. અથવા વકીલનો છોકરો વકીલ બને છે. પણ કોઈ ખેડૂતનો છોકરો ખેડૂત બનવાના વિચારથી પણ દૂર ભાગે છે..

ભારત દેશમાં ૬૫ ટકા વસ્તી આજે પણ ગામડાંઓમાં વસે છે. તે ગામડાંઓ શહેરોના પાકા મકાનો, પહોળા રસ્તા, ભવ્ય ઈમારતો, મોલ, સિનેમાઘરો અને હૉટલોની ચમક-દમકમાં અંજાઈને તૂટી રહ્યા છે. શહેરમાં રહેતો હોય કે ગામડાંમાં કે જંગલમાં.. બે વાર જમવાનું તો દરેકને જોઈએ જ ને !

પણ દરેક વ્યક્તિ એમ જ વિચારે કે અનાજ તો દુકાનમાંથી મળી જશે. પાણી તો નગરપાલિકાના નળમાંથી આવે. દૂધ તો ડેરીમાંથી આવી જ જાય ને. પણ શું આ વાસ્તવિકતા છે ?


અનાજ પેદા કરવાવાળો કારમી ગરીબીનો સામનો ન કરી શકતા આત્મહત્યા કરી રહ્યો છે. ખેડૂતોના છોકરાઓ ખેતી છોડી રહ્યા છે. તો અનાજ વાવશે અને લણશે કોણ ?


તળાવો પૂરીને માનવવસ્તીઓ વિકસાવવામાં આવી રહી છે. નવા કૂવા ખોદવામાં સરકારી તંત્રને કે નગરજનોને રસ નથી. શહેરોમાં શેરીએ શેરીએ આરસીસી રોડ થઈ ગયા છે. જેના લીધે વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી, પણ આપણે તો સમગ્ર પૃથ્વીના અધિપતિ હોય તેવા અહમભેર બોલીએ છીએ કે, ‘ટૅક્સ શેનો આપીએ છીએ? પાણી આપવાનું કામ નગરપાલિકાનું છે ને..’ પણ નળમાં પાણી આવે ક્યાંથી ?

જે ગાયને હજારો વર્ષોથી માનો દરજ્જો આપવામાં આવ્યો છે અને વાસ્તવિકતામાં પણ જે પશુપાલન વ્યવસાય ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે તે ગાયની, અરે તેના વાછરડાંની નિર્મમ હત્યા કરીને; તેનું માંસ ખાતા અને નિર્લજ્જતાથી ‘આ તો અમારો ખાવાનો અધિકાર છે’ કહેતા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે..

પણ દૂધ, દહીં, પનીર, ચીઝ તો ડેરીમાંથી મળી જશે નહીં !? ગાયો, ભેંસો નહીં હોય તો પણ મળી જશે નહીં !? પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ ? આ અજ્ઞાનતા અને અણસમજ માટે જવાબદાર કોણ ?

ખેતીપ્રધાન દેશમાં સરકાર દાળ આયાત કરી રહી છે અને શાકાહારની છાપ ધરાવતો દેશ માંસ નિર્યાત કરી રહ્યો છે.

ખેડૂત પોતાનું લોહી અને પરસેવો સીંચીને ખેતી કરે, તેણે ઉગાડેલી ડુંગળી બજારમાં 25 રૂપિયે કિલો વેચાય પણ તેને 2 રૂપિયા કિલો પર મળે !

કોંગ્રેસ હોય કે ભાજપની સરકાર, ખેડૂતના પાક નાશ થવાના વળતર પેટે 3 રૂપિયા અને 5 રૂપિયાના ચેક બેશરમીથી આપી ગરીબની આંતરડી કકડાવવાનું પાપ દરેક સરકારે કર્યું છે.

સમય પાકી ગયો છે, કદાચ થોડું મોડું થઈ ગયું છે કે સરકાર અને સમાજનો જાગૃત નાગરિક ખેડૂતની વ્યથાને સમજે અને તેના પડખે ઊભો રહે. મંગળ ગ્રહ પર જવા કરોડો રૂપિયા વાપરતા પહેલા આ દેશના ગરીબ ખેડૂતના ઘરમાં થોડી મંગળવેળાઓ આવે તે સુનિશ્ચિત કરે. સરકાર ગામનો માણસ ગામમાં જ કમાય તેવો માહોલ તૈયાર કરે અને વિકાસલક્ષી પગલાં લે. નહીં તો આજે જે કારમી અને કફોડી સ્થિતિ ખેડૂતનો ભોગ લઈ રહી છે તે આપણો અને આપણી આવનારી પેઢીનો કાળ બનશે.

અને જયાંરે દેશ નો ખેડુત પોતા ના માલ નો યોગ્ય ભાવ માંગે ને ન મળે ત્યારે તે સરકાર નો વિરોધ કરવા રોડ પર ઉતરે ત્યારે ભણેલા લોકો કહે કે આભણ અને ગામડાં ના લોકો ને શું ખબર પડે શહેર માં કેટલો વિકાસ થયો છે

અરેે ભાઈ તુ જે વિકાસ ની વાત કરે છે તે વિકાસ ખેડૂત ને પુછ કેટલો થયો છે અને તુ જે અનાજ ખાછો ને તે પણ આજ ખેડૂત નુ છે જો ખેડૂત અભણ અને કાય ખબર ના પડે તેવું માનતા હોય ને તો જાતે વાવી ને ખા
તમે કેમ તમારા ધંધામાં કે નોકરી માં યોગ્ય વેતન કે ભાવ ના મળેતો વિરોધ કરો છો ત્યારે તો કોય ખેડૂત નથી કે તું કે આ શહેર ના અભણ લોકો ખોટો વિરોધ કરે છે

મહેરબાની કરી ને ખેડૂતો નો સાથ ના આપી શકોતો કાય નય પણ વિરોધ ના કરો

ખેડૂતના દીકરા હોય તો જરૂર #share કરજો

25 May 2018

મગફળી વાવેતર સમય : ચોમાસુ વાવેતર માટે વાવેતર સમયના ત્રણ તબક્કામાં વાવેતર થાય છે

મગફળી વાવેતર સમય :
ચોમાસુ વાવેતર માટે વાવેતર સમયના ત્રણ તબક્કામાં વાવેતર થાય છે

(1) ખૂબ સારું ઉત્પાદન મેળવવા ચોમાસામાં વરસાદ થાય તે પહેલા એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડીયાથી જૂન મહિનાના પ્રથમ અઠવાડીયા સુધીમાં પિયત આપીને મગફળીનું આગોતરું વાવેતર કરવું હોય તો જીએયુ જી-10 અથવા જીજી-11 અથવા જીજી-13 અથવા જીજેજી – 17 જેવી મોડી પાકતી વેલડી મગફળીનું વાવેતર કરવું.

(2) 15 જૂનથી 30 જૂન સુધીમાં વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભડી અથવા અર્ધવેલડી અથવા વેલડી એમ કોઈ પણ પ્રકારની મગફળીની જાતનું વાવેતર કરી શકાય. જેમાં અર્ધવેલડી, જીજી-20 અને જીજેજી- 22 ને પ્રાધાન્ય આપવું.

(3) જુલાઇ માસમાં મોડો વરસાદ થાય તો વહેલી પાકતી જીજી-2 અથવા જીજી-5 અથવા જીજી-7 અથવા જીજેજી-9 જેવી ફકત ઉભડી જાતોનું વાવેતર કરી શકાય છે. ચોમાસા માટે ભારે વરસાદવાળા વિસ્તારમા વેલડી,મધ્યમ વરસાદવાળા વિસ્તારમા અર્ધવેલડી અને ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ઉભડી જાતો પસંદ કરવી. ચોમાસા માટે ભારે કાળી જમીનમાં વેલડી,મધ્યમ કાળી જમીનમા અર્ધ વેલડી અને ગોરાડુંથી રેતાળ જમીનમાં ઉભડી મગફળી વાવેતર માટે પસંદ કરવી.

22 May 2018

વૃક્ષોના સંરક્ષણ માટે ગફારભાઇને મળ્યો 378મો એવોર્ડ, વિશ્વસ્તરે ગીરનું નામ કર્યું રોશન

ગીર સોમનાથઃ તાલાલાના રમરેચી ગામમાં આવેલા કુરેશી બાગમા 30 વીઘા જમીનમાં પથરાયેલો છે. આ બાગમાં 1 લાખથી વધુ ઔષધીઓ અને 1300થી વધુ આંબાના વૃક્ષો લગાવવામાં આવેલા છે. આ વિસ્તારની લોકો મુલાકાત લેવા પણ આવતા હોય છે. જેના કારણે હવે કુરેશી બાગના ગફારભાઈ કુરેશની વૃક્ષોના સંવર્ધન માટે 378મો એવોર્ડ આપવામાં આવ્યો છે.

ગફારભાઈને રાજસ્થાનમા યોજવામાં આવેલા મેવાડ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. મહારાજા અરવલ્લસિંહના હસ્તે વિશ્વના 20 જેટલાના લોકોની પસંદગી કરવામાં આવી હતી. જેમા વૃક્ષોના સંવર્ધન માટે ગફારભાઈ કુરેશને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

કુરેશી બાગના ગફારભાઇ કુરેશીને વૃક્ષોના સંવર્ધન માટે અત્યાર સુધીમા 377 એવોર્ડ દેશભરમાંથી મળી ચુક્યા છે. તાજેતરમા જ રાજસ્થાનમાં યોજાયેલ મેવાડ ફાઉન્ડેશન એવોર્ડમાં મહારાજા અરવલ્લસિંહના હસ્તે વિશ્ર્વના 20 વ્યકિતની પસંદગીમાં ગીર સોમનાથ જીલ્લાના નાના એવા રમરેચી ગામના ગફાર કુરેશીને ઔષધી તથા વનસ્પતિ સંવર્ધન તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવતા 378મો એવોર્ડ પ્રાપ્ત કરી નવો ઇતિહાસ સર્જ્યો છે

પયાઁવરણ, વનસ્પતિ સંવર્ધન, હર્બલ પર જાતે જ સર્વે કરી અને 30 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ઉછેર કરેલ છે. ત્યારે અત્યાર સુધીમા 6 કરોડ વૃક્ષો ઘરે ઘરે સુધી પહોચાડવાની સફળતા મળી છે. અને હજુ પણ 4 કરોડ વૃક્ષો આપી 10 કરોડ વૃક્ષો આપવાનો સંકલ્પ પુરો કરવાનો છે.

1 May 2018

આજ ના બજાર ભાવ તારીખ: 02/05/2018 સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ રાજકોટ


કપાસ બીટી - 950.00 , 1079.00 
ઘઉં લોકવન - 315.00 , 360.00
ઘઉં ટુકડા - 316.00 , 405.00
જુવાર - સફેદ - 530.00 , 595.00
જુવાર - પીળી - 210.00 , 305.00
બાજરી - 235.00 , 270.00
મકાઇ - 240.00 , 303.00
તુવેર - 705.00 , 820.00
ચણા - પીળા - 653.00 , 733.00
અળદ - 550.00 , 790.00 

 મગ - 900.00 , 1100.00
વાલ - દેશી - 395.00 , 697.00
વાલ - પાપળી - 491.00 , 789.00
ચોળી - 778.00 , 1313.00
 મઠ - 521.00 , 750.00
કડથી - 522.00 , 748.00
મગફળી - જીણી - 628.00 , 722.00
 મગફળી જાડી - 621.00 , 750.00
 તલી - 1400.00 , 1680.00
સુરજમુખી - બી - 524.00 , 633.00
એરન્ડા - 711.00 , 739.00
અજમો - 1005.00 , 1375.00
 સુવા - 675.00 , 760.00
સીંગફાડા - 650.00 , 870.00
તલ કાળા - 1460.00 , 1695.00
લસણ - 102.00 , 375.00
ધાણા - 640.00 , 940.00
મરચા - 300.00 , 2300.00
વરીયાળી - 1125.00 , 1330.00
 જીરૂ - 2560.00 , 3000.00
રાય - 800.00 , 900.00
મેથી - 350.00 , 630.00
ઇસબગુલ - 1028.00 , 1220.00
રાયડો - 580.00 , 680.00
ગુવારનું - બી - 625.00 , 723.00 
બટાટા - 200.00 , 300.00
ડુંગળી સુકી - 55.00 , 125.00
ટમેટા - 90.00 , 120.00
સુરણ - 180.00 , 240.00
કોથમરી - 150.00 , 220.00
મુળા - 200.00 , 300.00
 રીંગણા - 40.00 , 70.00
કોબીજ - 30.00 , 60.00
 ફુલાવર - 120.00 , 200.00
ભીંડો - 100.00 , 160.00
ગુવાર - 200.00 , 350.00
ચોળા સીંગ - 210.00 , 320.00
વાલોળ - 400.00 , 500.00
ગીલોડા - 100.00 , 150.00
દૂધી - 120.00 , 200.00
કારેલા - 260.00 , 350.00
સરગવો - 200.00 , 300.00
તુરીયા - 260.00 , 350.00
પરવર - 250.00 , 500.00
 કાકડી - 120.00 , 300.00
 ગાજર - 100.00 , 200.00
 વટાણા - 800.00 , 1000.00
તુવેર સીંગ - 300.00 , 400.00
બીટ - 100.00 , 150.00
ગલકા - 100.00 , 200.00
મેથી - 150.00 , 300.00
વાલ - 550.00 , 750.00
ડુંગળી લીલી - 100.00 , 140.00
આદુ - 900.00 , 1200.00
મરચા - લીલા - 100.00 , 200.00
લસણ - લીલુ - 400.00 , 600.00
મકાઇ - લીલી - 100.00 , 150.00
લીંબુ - 900.00 , 1400.00
સાકરટેટી - 160.00 , 350.00
તરબુચ - 150.00 , 250.00 
ખેતી સમ્રુદ્ધ તો ગામડા સમ્રુદ્ધ
ગામડા સમ્રુદ્ધ તો  દેશ સમ્રુદ્ધ
તો અને તોજ ભારત નો સાચો વીકાસ થયો કહેવાય

ગામડા ના ખેડુતો ના છોકરા ઓ નુ વેકેશન આમજ ખેતર ના ખુણા મા બળદ હાંકી ને પસાર થતુ હોય છે

વેકેશન નુ નામ પડતા જ બાળકો નાચી ઉઠે છે ઝુમી ઉઠે છે કારણ કે વેકેશન ના દિવસો મા મામા ના ઘરે કે માસી ના ઘરે કે પછી પથ્થરો હારે માથા પછાડતા સાગર ના રળીયામણા કિનારે આવેલા મજા ના કોઇ દેવસ્થાન કે જોવાલાયક સ્થળે જઇ ને દેવ દર્શન કરી ને કે પછી આખ્યે જોઇ ને હૈંયુ હરખાય એવા સ્થળો ની મુલાકાત લઇ ને ધન્યતા અનુભવતા હોય છે કોઇ બાળકો ને માતા પિતા સાથે કે પછી સાથીદારો સાથે હિમાલય જેવા બરફ ના ખડકેલા પાળા મા ફરવા નો મોકો મળતો હોય છે કુદરતે માનવી ના મન ની શાન્તિ માટે સર્જેલી ધરોહર ને નિહાળવા નો માણવા નો મોકો મળતો હોય છે કે પછી કચ્છ ના નયન રમ્ય રેતી ના રણ મા રખડવા નો કે પછી હરીયાળી ગીર ના જંગલો મા આવેલા પર્વતો ની માનવ સર્જીક કે કુદરતી રીતે નિર્માણ પામેલી ગુફા ઓખળખળ વહેતી નદી ઓ ના કાઠે જાત જાત ના ગીર ના જંગલના મુક્તપણે વિહરતા આપણા મોઘા મુલા પસુડા જેવા કે સરસ મજા ના સસલા ઓ હરણફાળે દોડતા હરણીયા ઘટાટોપ વડલા ની વડવાયે ટીંગાતા વાંદરા ઓ અને મધુર કંઠ થી ગીર ને મિઠીમધ જેવી કરી દેતા મોરલા એને કોટલ ના ટહુકાં અને જેની ત્રાડ થી ગીર આખી ભયભિત થઇ ને થરથરવા મંડે એવા સાવજ ને નિહાળી ને મન ને મોજીલુ બનાવતા હોય છે... અને હા ખાસ કહી દઉ કે યાત્રા કે પ્રવાસ માત્ર માનવી જ નહી પણ દરેક સજીવ સૃષ્ટી માટે બહુ જ મહત્વ ધરાવે છે પણ અમારા ગામડા ના ગરીબ ખેડુતો ના બાળકો માટે એ મુશ્કેલી ભર્યુ કામ છે (જો કે આજે ટ્રેકટર જેવા સાધન આવી ગયા ને ગામડા બાળકો માટે થોડુ બળદ પાછળ હાલવા નુ ઓછુ થયુ છે સતા પણ આવા દ્રષ્યો આજે પણ જોવા મળી જાય છે)

યાત્રા કોણ નથી કરતુ જડ ને ચેતન સૌ પોતપોતાની રીતે પ્રવાસ કરે જ છે આપણે માનવિયો તો વાહન મા બેસી ને ધરતી પર ના સ્થળો નો પ્રવાસ કરીયે છીયે બલમ મા બેસી ને અંતરીક્ષ ની યાત્રા કરીયે છીયે અને હોડી મા બેસી ને દરીયા નો પ્રવાસ કરીયે છીયે આ વાત થઇ માનવી ની પણ ઝાડ પાન....પાણી...અરે ધરતી પર ની રજે રજ પ્રવાસ કરે છે પણ કેવી રીતે પ્રવાસ કરે છે તે શોધવુ એ મહત્વ નુ છે તો ચાલો જરા શોધખોળ કરીયે કે માનવ સિવાય ના તત્વો કેવી રીતે પ્રવાસ કરે તો કુંજ નીમ ના પક્ષિ ઓ હજારો જોજન નુ રણ કાપી ને મિઠા મહેરામણ થી આપણા મલક મા આવે છે અને અમુક સમય રોકાઇ ને વળી પાછા જતા પણ રહે છે...આપણે ઝાડ ની વાત કરીયે પ્રથમ લાગશે ભૈઇ ઝાડ તે કઇ પ્રવાસ કરતુ હશે પણ મને માળુ એવુ લાગ્યુ કે ઝાડ પણ પ્રવાસ કરે છે જુવો ને ઝાડ ના મુળીયા પૃથ્વી ના પેટાળ ની યાત્રા એ નિકળે છે ને કુંપળો આંભ ની યાત્રા એ નિકળી પડે છે આંભ ને આંબવા ની મથામણ કરતી હોય એવુ લાગ્યા જ કરે....બરાબર વૈશાખ ના વાયરા મા તમે નજર કરશો તો જાણવા મળશે કે ઝાડ ના ખરી ને સુકાય ગયેલા પાન કે બિજા તણખલા વા'ના વિટોળા મા ઉડી ને જાણે કે પ્રવાસ કરતા હોય એવુ લાગ્યા વિના ન રહે અને અહી થી ઉડી ને દુર દુર જતા જણાય છે ઉચેરા આભા મંડળ મા ગોળ ગોળ ફરતા વા'વિટોળીયા રુપી વિમાન મા બેસી ને આંભ મા વિહાર કરવા નિકળી પડે છે એ તત્વો કયા જઇ ને અટકે એ કહેવુ મુશ્કેલ છે...આ જુવો ને નદીયુ ના નિર ઉતાવળા થઇ ને નદી વહેણ ના વહાણ મા બેસી ને ગાઉ ના ગાઉ નુ અંતર કાપી ને દરીયા ની યાત્રા એ નથી નિકળતા...?એ નદી ના નિર ના પ્રવાસ મા આપણે ડેમો બાંધી ને ધરતી ને લિલી કરવા ખાતર થોડી અડચણ ઉભી કરી ને નદી ઓ ના નિર ને પ્રવાસ કરતુ અટકાવ્યુ છે...નદી ઓ ના નિર ની માફક જ દરીયા નુ ખારુ પાણી પણ મિઠ્ઠુ થઇ ને વાદળા ના વહાણ મા બેસી ને આકાશ મા વિહરતુ જોવા મળે છે બરાબર જેઠ મહીનો બેસે ને આભ મા વાદળા ના થર ના થર ખડકાઇ જાય છે ઇ ધુમાડા નો ગોટા મા ખારા દરીયા ના પાણી પોતાની તમામ ખારાશ છોડી ને યાત્રા એ નિકળી પડે છે ને તે ધરતી ને ઠંડક આપવા માટે છાંટો છાંટો થઇ ને વરસી જાય છે અને જે ધરતી પર ના તમામ જીવાત્મા ની જીવાદોરી બની જાય છે
એટલા માટે કહેવુ પડે છે જડ કે ચેતન દરેક ને માટે પ્રવાસ અગત્ય નુ અંગ છે એમા બે મત નથી પ્રવાસ માનવી માટે યાધી વ્યાધી ને ઉપાધી ભુલવા માટે ની અક્ષર ઔષધી છે પ્રવાસ થી માનવી નુ મન પ્રફુલિત બને છે પ્રવાસ થી માનવી દરેક પ્રાત ની જાણકારી મેળવે છે સ્થળે સ્થળ નુ મહત્વ સમજાય છે અને પરિભ્રમણ થાય છે અને માનવ સાચા અર્થ મા માનવ બનવા પ્રેરાય છે એટલા માટે જે ફરશે તે જાણશે બાકી તો અનંત ની યાત્રા આપણા માટે નક્કી જ છે

લેખક...... રામ આહીર

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...