જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


31 October 2017

વાંકાનેર યાર્ડમાં મગફળીના ટેકાના ભાવ ન મળતા ખેડૂતોએ ૧ દિ'હરરાજી અટકાવી

વાંકાનેર તા.૩૧ : માર્કેટીંગ યાર્ડમાં પણ ખેડુતોને સરકારે જાહેર કરેલ મગફળીના ટેકાના ભાવ નહી મળતા બપોરે ચાલુ હરરાજી અટકાવી દેવાતા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ રસુલભાઇ કડીવાર, ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણી, મહાવીરસિંહ ઝાલા, યાર્ડના સેક્રેટરી એ.એ.ચૌધરી વિગેરે ખેડુતો પાસે દોડી ગયા હતા. ત્યારબાદ આજે સવારથી હરરાજી શરૂ કરવામાં આવી છે.


   રાજય સરકારે મગફળીના ટેકાના ભાવ રૂ.૯૦૦ જાહેર કર્યો છે પરંતુ માર્કેટીંગ યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવતા ખેડુતોને આ ટેકાના ભાવ નહી મળતા સૌરાષ્ટ્રના જુદા-જુદા યાર્ડમાં દેકારો બોલી ગયો છે. તેવી જ રીતે કાલે સવારે વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં પણ હરરાજી શરૂ થઇ હતી પ થી ૬ હજાર મણ મગફળીના ઢગલાઓ યાર્ડમાં જોવા મળેલ. સવારે હરરાજી શરૂ થતા ૧પ૦૦ થી ર૦૦૦ મણ મગફળીની હરરાજી થઇ ગઇ હતી.

   તેમાં જાડી મગફળી રૂ.૬રપ થી ૭૭પ સુધી અને જીણી સારી મગફળી રૂ.૭૭પ થી ૮૭પના ભાવે વેચાણ થઇ હોવાનું જાણવા મળેલ છે. આ ચાલુ હરરાજી દરમ્યાન કોઇએ સરકારના ટેકાના ભાવ રૂ.૯૦૦ જાહેર કર્યા હોવાનું ખેડુતને કહેવાતા ખેડુતોએ માર્કેટીંગ યાર્ડની મગફળી ઉપરાંત કપાસ, ઘઉં, તલ વિગેરે જણસીની હરરાજી પણ બંધ કરાવી રાજય સરકારે જાહેર કરેલ ટેકાનો ભાવ રૂ.૯૦૦/- મગફળીનો આપવા સુત્રોચ્ચાર કર્યા હતા.

   એકાએક હરરાજી બંધ થતા યાર્ડના ચેરમેન રસુલભાઇ કડીવાર અને સેક્રેટરી ચૌધરીભાઇ ખેડુતો પાસે દોડી ગયા હતા અને મગફળીના ભાવ સરકારે જાહેર કર્યા છે માટે તેનો વિરોધ ખેડુતો દ્વારા કરવામાં આવે કે મગફળીની હરરાજી બંધ રખાવે તેમાં યાર્ડને વાંધો નો હોય પરંતુ તમામ જણસીની હરરાજી બંધ કરાવવામાં આવે તે બરોબર ન કહેવાય તે બાબતે ખેડુતો સાથે ચર્ચા કરેલ.

   વાંકાનેર યાર્ડમાં ખેડુતોને મગફળીના સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ નહી મળતા હરરાજી બંધ કરવામાં આવી હોવાનુ વેપારી-દલાલોએ ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીનું ધ્યાન દોરવામાં આવતો તેઓ પણ તુરંત માર્કેટીંગ યાર્ડ દોડ આવ્યા હતા અને ખેડુતો સાથે ચર્ચા કરી, પાંચ દિવસમાં મગફળી ટેકાના ભાવે ખરીદ થાય તે માટે ભાજપ અને વેપારીઓ ભાઇઓનુ પ્રતિનિધિ મંડળને રજુઆત અર્થે રવાના કરેલ અને પાંચ દિવસમાં પ્રશ્નનો હલ થઇ જશે તેવી ખાતરી આપેલ અને ત્યાં સુધી મગફળી નહી વેચવા ખેડુતો પણ તૈયાર થઇ ગયા હતા.

   હરરાજી સ્થળે એવી પણ ચર્ચા શરૂ થઇ હતી કે અમુક વેપારીઓને ચેકની બદલે કેશથી ખરીદી કરવી હોય તો તે માટે અમુક દલાલો અને યાર્ડ દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો હતો.

25 October 2017

રાજકોટ યાર્ડમાં લાભપાંચમે મગફળીની ૭૦,૦૦૦ ગુણી-કપાસની ર૦,૦૦૦ મણની આવક : સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મગફળીની કુલ ૩ લાખ ગુણીની આવકોઃ મગફળીના ૭પ૦ થી ૯૦૦ અને કપાસના ૯૦૦ થી ૧૦૦૦ રૂ.ના ભાવ બોલાયા

સરકાર દ્વારા ટેકાનો ભાવ રૂ.૯૦૦: ગુજરાતમાં ૧૧૪ ખરીદ કેન્દ્રોઃ પ્રથમ દિવસે પ્રતીકાત્મક ખરીદી


રાજકોટ  દિપાવલીની રજા બાદ લાભપાંચમના શુભમુહુર્તે રાજકોટ યાર્ડમાં મગફળી અને કપાસની પુષ્કળ આવકો થઇ હતી. ખેડુતોને તેની જણસોના સારા ભાવો મળ્યા હતા.  રાજકોટ યાર્ડમાં લાભપાંચમના શુભમુહુર્તે ૭૦,૦૦૦ મગફળીની ગુણીની આવક થઇ હતી. ખેડુતોને જીણી મગફળીના ભાવ ૮૪૦ થી ૯૦૦રૂ. અને જાડી મગફળીના ૭પ૦ થી ૮૦૦ રૂ. મળ્યા હતા. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મગફળીની ૩ લાખ ગુણીની આવકો થઇ હતી તેમજ કપાસની ર૦,૦૦૦ મણની આવકો થઇ હતી અને કપાસના એક મણના ભાવ ૯૦૦ થી ૧૦૦૦ રૂ. ઉપજયા હતા. તસ્વીરમાં બેડી યાર્ડમાં આવેલ મગફળીનો પુષ્કળ જથ્થો નજરે પડે છે. 

ગુજરત સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજયમાં ૧૧૪ જેટલા કેન્દ્રો મગફળી ખરીદી  માટે નકકી કરવામાં આવ્યા છે આજે લાભ પાંચમથી ખરીદીના શ્રીગણેશ કરવામાં આવ્યા છ. રાજકોટ જિલ્લામાં જામકંડોરણા, ગોંડલ, પડધરી, વીંછીયા, જસદણ, ધોરાજી, ઉપલેટા વગેરે ખરીદ કેન્દ્રો છે. પાસવર્ડન મળે  ત્યાં મેન્યુઅલી ખરીદ કાર્યવાહી કરવાની સુચના છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને કૃષિ મંત્રીશ્રી ચીમનભાઇ સાપરિયાએ જેટલી જરૂર પડે એટલી મગફળી ખરીદવાની જાહેરાત કરી છે.
   રાજયમાં મગફળીની ખરીદ કરવા માટે સરકાર દ્વારા ૧૧૪ કેન્દ્રો ફાઇનલ કરવામાં આવ્ય છે જયાંથી કુલ ૩ લાખ ર૦ હજાર ટન મગફળી ખરીદવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છ.ે રાજકોટ જીલ્લામાં રાજકોટ ઉપરાંત પડધરી,વીંછીયા, ગોંડલ, જસદણ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, જામકંડોરણા કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે સહકારી સંસ્થાઓ મારફતે ખરીદી કરવાની હોવાથી ગુજકોટને ૪૭ જયારે બનાસ ડેરીને ૩૩, ગુજકોટમાસોલને ૧૭, સાબર ડેરીને ૧૭ તથા ગુજપ્રોને પ કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ ખરીદી કેન્દ્ર ઉપર સહકારી સંસ્થાના અધિકારીઓની ટીમ રહેશે.
   સરકારને ટેકાના ભાવથી મગફળી વેચવાની પ્રક્રિયા લાંબી હોવાથી ઘણા ખેડુતોએ ટેકાના ભાવની નજીકના ભાવથી કે ઓછા ભાવથી ખુલ્લ બજારમાં મગફળી વેચી રોકડા રૂપિયા હાથવગા કરવાનું પસંદ કર્યુ છે.

અકીલા સમાચાર

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...