વાંકાનેર તા.૩૧ : માર્કેટીંગ યાર્ડમાં પણ ખેડુતોને સરકારે જાહેર કરેલ મગફળીના ટેકાના ભાવ નહી મળતા બપોરે ચાલુ હરરાજી અટકાવી દેવાતા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ રસુલભાઇ કડીવાર, ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણી, મહાવીરસિંહ ઝાલા, યાર્ડના સેક્રેટરી એ.એ.ચૌધરી વિગેરે ખેડુતો પાસે દોડી ગયા હતા. ત્યારબાદ આજે સવારથી હરરાજી શરૂ કરવામાં આવી છે.
રાજય સરકારે મગફળીના ટેકાના ભાવ રૂ.૯૦૦ જાહેર કર્યો છે પરંતુ માર્કેટીંગ યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવતા ખેડુતોને આ ટેકાના ભાવ નહી મળતા સૌરાષ્ટ્રના જુદા-જુદા યાર્ડમાં દેકારો બોલી ગયો છે. તેવી જ રીતે કાલે સવારે વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં પણ હરરાજી શરૂ થઇ હતી પ થી ૬ હજાર મણ મગફળીના ઢગલાઓ યાર્ડમાં જોવા મળેલ. સવારે હરરાજી શરૂ થતા ૧પ૦૦ થી ર૦૦૦ મણ મગફળીની હરરાજી થઇ ગઇ હતી.
તેમાં જાડી મગફળી રૂ.૬રપ થી ૭૭પ સુધી અને જીણી સારી મગફળી રૂ.૭૭પ થી ૮૭પના ભાવે વેચાણ થઇ હોવાનું જાણવા મળેલ છે. આ ચાલુ હરરાજી દરમ્યાન કોઇએ સરકારના ટેકાના ભાવ રૂ.૯૦૦ જાહેર કર્યા હોવાનું ખેડુતને કહેવાતા ખેડુતોએ માર્કેટીંગ યાર્ડની મગફળી ઉપરાંત કપાસ, ઘઉં, તલ વિગેરે જણસીની હરરાજી પણ બંધ કરાવી રાજય સરકારે જાહેર કરેલ ટેકાનો ભાવ રૂ.૯૦૦/- મગફળીનો આપવા સુત્રોચ્ચાર કર્યા હતા.
એકાએક હરરાજી બંધ થતા યાર્ડના ચેરમેન રસુલભાઇ કડીવાર અને સેક્રેટરી ચૌધરીભાઇ ખેડુતો પાસે દોડી ગયા હતા અને મગફળીના ભાવ સરકારે જાહેર કર્યા છે માટે તેનો વિરોધ ખેડુતો દ્વારા કરવામાં આવે કે મગફળીની હરરાજી બંધ રખાવે તેમાં યાર્ડને વાંધો નો હોય પરંતુ તમામ જણસીની હરરાજી બંધ કરાવવામાં આવે તે બરોબર ન કહેવાય તે બાબતે ખેડુતો સાથે ચર્ચા કરેલ.
વાંકાનેર યાર્ડમાં ખેડુતોને મગફળીના સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ નહી મળતા હરરાજી બંધ કરવામાં આવી હોવાનુ વેપારી-દલાલોએ ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીનું ધ્યાન દોરવામાં આવતો તેઓ પણ તુરંત માર્કેટીંગ યાર્ડ દોડ આવ્યા હતા અને ખેડુતો સાથે ચર્ચા કરી, પાંચ દિવસમાં મગફળી ટેકાના ભાવે ખરીદ થાય તે માટે ભાજપ અને વેપારીઓ ભાઇઓનુ પ્રતિનિધિ મંડળને રજુઆત અર્થે રવાના કરેલ અને પાંચ દિવસમાં પ્રશ્નનો હલ થઇ જશે તેવી ખાતરી આપેલ અને ત્યાં સુધી મગફળી નહી વેચવા ખેડુતો પણ તૈયાર થઇ ગયા હતા.
હરરાજી સ્થળે એવી પણ ચર્ચા શરૂ થઇ હતી કે અમુક વેપારીઓને ચેકની બદલે કેશથી ખરીદી કરવી હોય તો તે માટે અમુક દલાલો અને યાર્ડ દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો હતો.
રાજય સરકારે મગફળીના ટેકાના ભાવ રૂ.૯૦૦ જાહેર કર્યો છે પરંતુ માર્કેટીંગ યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવતા ખેડુતોને આ ટેકાના ભાવ નહી મળતા સૌરાષ્ટ્રના જુદા-જુદા યાર્ડમાં દેકારો બોલી ગયો છે. તેવી જ રીતે કાલે સવારે વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં પણ હરરાજી શરૂ થઇ હતી પ થી ૬ હજાર મણ મગફળીના ઢગલાઓ યાર્ડમાં જોવા મળેલ. સવારે હરરાજી શરૂ થતા ૧પ૦૦ થી ર૦૦૦ મણ મગફળીની હરરાજી થઇ ગઇ હતી.
તેમાં જાડી મગફળી રૂ.૬રપ થી ૭૭પ સુધી અને જીણી સારી મગફળી રૂ.૭૭પ થી ૮૭પના ભાવે વેચાણ થઇ હોવાનું જાણવા મળેલ છે. આ ચાલુ હરરાજી દરમ્યાન કોઇએ સરકારના ટેકાના ભાવ રૂ.૯૦૦ જાહેર કર્યા હોવાનું ખેડુતને કહેવાતા ખેડુતોએ માર્કેટીંગ યાર્ડની મગફળી ઉપરાંત કપાસ, ઘઉં, તલ વિગેરે જણસીની હરરાજી પણ બંધ કરાવી રાજય સરકારે જાહેર કરેલ ટેકાનો ભાવ રૂ.૯૦૦/- મગફળીનો આપવા સુત્રોચ્ચાર કર્યા હતા.
એકાએક હરરાજી બંધ થતા યાર્ડના ચેરમેન રસુલભાઇ કડીવાર અને સેક્રેટરી ચૌધરીભાઇ ખેડુતો પાસે દોડી ગયા હતા અને મગફળીના ભાવ સરકારે જાહેર કર્યા છે માટે તેનો વિરોધ ખેડુતો દ્વારા કરવામાં આવે કે મગફળીની હરરાજી બંધ રખાવે તેમાં યાર્ડને વાંધો નો હોય પરંતુ તમામ જણસીની હરરાજી બંધ કરાવવામાં આવે તે બરોબર ન કહેવાય તે બાબતે ખેડુતો સાથે ચર્ચા કરેલ.
વાંકાનેર યાર્ડમાં ખેડુતોને મગફળીના સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ નહી મળતા હરરાજી બંધ કરવામાં આવી હોવાનુ વેપારી-દલાલોએ ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીનું ધ્યાન દોરવામાં આવતો તેઓ પણ તુરંત માર્કેટીંગ યાર્ડ દોડ આવ્યા હતા અને ખેડુતો સાથે ચર્ચા કરી, પાંચ દિવસમાં મગફળી ટેકાના ભાવે ખરીદ થાય તે માટે ભાજપ અને વેપારીઓ ભાઇઓનુ પ્રતિનિધિ મંડળને રજુઆત અર્થે રવાના કરેલ અને પાંચ દિવસમાં પ્રશ્નનો હલ થઇ જશે તેવી ખાતરી આપેલ અને ત્યાં સુધી મગફળી નહી વેચવા ખેડુતો પણ તૈયાર થઇ ગયા હતા.
હરરાજી સ્થળે એવી પણ ચર્ચા શરૂ થઇ હતી કે અમુક વેપારીઓને ચેકની બદલે કેશથી ખરીદી કરવી હોય તો તે માટે અમુક દલાલો અને યાર્ડ દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો હતો.