જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


18 July 2017

ખેતી ને નફાકારક બનાનવા માટે જમીનની ફળદ્રુપતા સચવાઈ તે ખુબજ જરૂરી છે

જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે અને ખેતી નફાકારક બની રહે તે માટે જમીનના ગૌણ અને સૂક્ષ્મ તત્ત્વો પરનું સંશોધન ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે

ખેડૂતોએ જમીનની ચકાસણી કરી તેની ફળદ્રુપતા જાળવી રાખવી જરુરી છે, પરંતુ ઘણાં ખેડૂતો તેની ઉપેક્ષા સેવે છે. તેઓ ફક્ત વધુ ઉત્પાદન મળે તે માટે બીટી બિયારણો અને વધુ ઉત્પાદન આપતી જાતો વધુ પ્રમાણમાં વાવે છે. આવી જાતો જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં પોષક તત્ત્વોનું શોષણ કરી લે છે. આથી જમીનમાંથી પોષકતત્ત્વોનો ઉપાડ વધી જવાથી તત્ત્વોની ઉણપ વર્તાય છે. આથી ખેડૂતોએ જમીનમાં રહેલાં પોષકતત્ત્વો વિશે પણ જાણવું જરૃરી છે.
વનસ્પતિને તેના બંધારણ અને વૃદ્ધિ માટે કુલ 17 તત્ત્વો જરુરી છે.આ ઉપરાંત બીજાં ઘણાં તત્ત્વો જમીનમાં આવેલ છે. પણ તે બધાં વનસ્પતિને ઉપયોગી તત્ત્વો નથી. છોડને જરૃરી એવાં પોષક તત્ત્વો સપ્રમાણ તે જમીનમાં સહેલાઈથી મૂળ વાટે મેળવી લે છે. આમ છોડ દ્વારા ચુસાઈ ગયેલાં પોષકતત્ત્વો જમીનમાંથી ઓછાં થાય છે. આથી જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે જેટલાં પોષકતત્ત્વો જમીનમાંથી ઓછાં થાય છે તેટલાં પાછાં તેમાં ઉમેરવાં જોઈએ. એટલે વનસ્પતિને કયાં કયાં પોષકતત્ત્વો કેટલા પ્રમાણમાં જરુરી છે અને તે કેવી રીતે મળે છે તે જાણવું ખેડૂતો માટે ખૂબ જરુરી છે.
પૃથ્વી ઉપર અત્યાર સુધી લગભગ 103 જેટલાં તત્ત્વોનું સંશોધન થયું છે તે બધાંની છોડને જરુરિયાત હોતી નથી. છોડનું વૈજ્ઞાાનિક પૃથક્કરણ કરતાં તેમાં ઘણાં તત્ત્વો જણાયાં છે, પરંતુ તેમાંથી ફક્ત 17 તત્ત્વોને જ છોડ માટે આવશ્યક પોષકતત્ત્વોમાં ગણવામાં આવ્યાં છે.
કોઈ પણ તત્ત્વને આવશ્યક પોષકતત્ત્વ કહી શકાય નહીં. જે તત્ત્વ બધા જ સિદ્ધાંતોને અનુરૃપ હોય તેને પોષકતત્ત્વ કહી શકાય. જેમાં છોડની વૃદ્ધિ, પ્રજનન, જીવનચક્ર પૂરું કરવા માટે તે આવશ્યક સાબિત થવુ જોઈએ. એટલે કે જે તે તત્ત્વની ગેરહાજરીમાં કોઈ પણ છોડ પોતાનું જીવનચક્ર પૂરું કરી શકતો ન હોય. છોડમાં તે તત્ત્વનાં ચોક્કસ કાર્યો હોવાં જોઈએ અને આ કાર્યો બીજાં તત્ત્વોથી ન થઈ શકતાં હોય તેમજ આ તત્ત્વની ખામીથી છોડમાં તેની ઉણપ સ્પષ્ટ વર્તાતી હોય અને આ ઊણપ તે તત્ત્વ આપવાથી અટકાવી શકાય અથવા દૂર કરી શકાય છે એવું સાબિત થવું જોઈએ. તેમજ તે તત્ત્વ છોડની ચયાપચયની ક્રિયાઓમાં સીધો ભાગ ભજવતું હોવું જોઈએ. આવાં લક્ષણો ધરાવતાં તત્ત્વોને પોષકતત્ત્વો કહેવાય છે. જેને મુખ્ય, ગૌણ  અને સૂક્ષ્મ પોષકતત્ત્વો એમ ત્રણ ભાગમાં વહેંચી શકાય. છોડનો મુખ્ય પોષકતત્ત્વો જે છોડને વધુ જથ્થામાં જરુરિયાત હોય અને જે પોષકતત્ત્વો છોડને ઘણા જ ઓછા જથ્થામાં જોઈતાં હોય તેને ગૌણ પોષક તત્ત્વો અને જે અલ્પ માત્રામાં જોઈતાં હોય તેને સૂક્ષ્મ પોષકતત્ત્વો કહે છે.

સંપૂર્ણ વિકાસ નીચેનાં તત્વોથી થાય છે.
(1) બંધારણીય તત્વો: કાર્બન, હાઈડ્રોજન, ઓકિસજન
(2) મુખ્ય પોષક તત્વો: નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ
(3) ગૌણ તત્વો: કેલશ્યમ, મેગ્નેશ્યમ, સ્લ્ફર
(4) સુક્ષ્મ પોષક તત્વો: લોહ, જસત, તાંબુ, મેંગેનીઝ, બોરોન, મોલીબ્લેડમ, કલોરીન,
કોબાલ્ટ)
દરેક આવશ્યક પોષકતત્ત્વોના છોડમાં અલગ અલગ અને વિશિષ્ટ કાર્યો હોય છે. કોઈ પણ આવશ્યક પોષકતત્ત્વની ઊણપથી છોડની દેહર્ધાિમક ક્રિયાઓમાં વિક્ષેપ પડે છે. પરિણામે છોડની વૃદ્ધિ અટકી જાય છે અને છોડ ઉપર ઊણપનાં ચિહ્નો જોવા મળે છે અને પાક ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. આથી દરેક તત્ત્વોના છોડમાં કાર્યો, તેની ઉણપથી  છોડ ઉપર થતી વિપરીત અસરો અને આ ઊણપ દૂર કરવાની રીતોની જાણકારી ખેડૂતોને હોવી જરુરી છે. આ ઉપરાંત કોઈ પણ પોષકતત્ત્વ પાકની જરુરિયાત કરતાં વધારે જથ્થામાં આપવામાં આવે તો તે પણ પાકને નુકસાનકર્તા છે. તેથી જે તે પાકને જે તે તત્ત્વની જેટલી જરૃરિયાત હોય તે ખાતર દ્વારા પૂરી પાડવી જોઈએ. આમ ખેડૂત પોતાના ખેતરમાં પાકને કેટલા પ્રમાણમાં કયાં પોષકતત્ત્વોની જરુરિયાત રહેશે તેનાથી માહિતગાર હોય તો તે સચોટ પગલાં લઈ પોતાની જમીનની ફળદ્રુપતા ટકાવી શકશે. ઘણાં ખેડૂતો ખૂટતાં પોષકતત્ત્વોની ર્પૂિત માટે આડેધડ ખાતરનો ઉપયોગ કરે છે, પરંતુ ખાતરના બેફામ ઉપયોગથી ઉત્પાદન પર વિપરીત અસર પડે છે અને જમીનની ફળદ્રુપતા પર પણ માઠી અસર પડે છે.

9 July 2017

સજીવ ખેતી (Organic Farming) કેવી રીતે કરવી ?

સજીવ ખેતી (Organic Farming) એટલે શું

સજીવ ખેતી (Organic Farming) એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.

સજીવ ખેતીની પેદાશો પોશાન્યુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. દા.ત. સજીવ ખેતીની પેદાશોમાં રસાયણિક ખેતીની પેદાશોની સરખામણીમાં ૬૩% વધુ કેલ્શિયમ, ૭૩% વધુ લોહતત્વ, ૧૧૮% વધુ મોલીબ્ડેનમ, ૯૧% વધુ ફોસ્ફરસ, ૧૨૫% વધુ પોટેશિયમ અને ૬૦% વધુ જસત હોય છે.

વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન, જમીનની સાથે પાકનીગુણવત્તા પણ જળવાઇ રહે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી: સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ આજે દેશમાં અને તેમાયં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો સજીવ ખેતીનો ઉપયોગ કરવા જ હજુ પણ ટાળે છે. જૉ કે તેના પાછળ સૌથી મોટું કારણ સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભની યોગ્ય માહિતીના અભાવ છે. આપણે ત્યાં વર્ષોથી વધારે ખાતર અને પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપતી અને ટુંકા ગાળામાં પાકતી વિવિધ પાકની જાતો એ હરીયાળી ક્રાંતિના પાયામાં કરેલું અગત્યનું પરીબળ હતું.

જેના કારણે આ નવીન જાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યા. પરીણામ સ્વરૂપે ઉભા થાય જેમાં ખાસ કરીને વધુ પડતાં કષિ રસાયણોનો ઉપયોગ કરવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું તથા જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગ્યાં, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઇ.

આમ અંતે તો જમીનના નુકશાન સાથે સાથે ખેડૂતને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે જમીનની સાથે સાથે પાકની પણ ગુણવત્તા જળવાઇ રહે તેવી પઘ્ધતિની આવશ્યકતા ઉભી થઇ. જેના ફળ સ્વરૂપે સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ થયો.

પાક પઘ્ધતિ :

આંતર પાક- મીશ્ર પાક પઘ્ધતિ હેઠળ કઠોળ પાકોનો સમાવેશ કરવાથી હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે. જે પાકને ઉપયોગી બનેછે.દર વર્ષે એક જ વર્ગનો પાક ન લેતા પાકની ફેર બદલી કરવી, જેમાં કઠોળવર્ગના પાકનો સમાવેશ કરવો.

પાકપોષણ વ્યવસ્થાપન :

સારૂ કહોવાયેલું નિદણના બીજયુક્ત છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.છાણીયું ખાતર, ગળતીયું ખાતર વાવેતર માટે જમિન તૈયાર કરતી વખતે આપવું.છાણીયા ખાતરની અવેજીમાં પાકની પોષકતત્વોની જરૂરિયાતને ઘ્યાનમાં લઇ જુદાજુદા ખોળ, વર્ષિક પોસ્ટ, પ્રેસમડ, કહોવાયેલો કચરો વગેરેનો ઉપયોગ કરવો.જીવાણુઓ દ્વારા હવામાનો નાઇટ્રોજન જમિનમાં ઉમેરાય તે હેતુસર કઠોળ વર્ગના પાકોને જે તે પાક અનુરૂપ જીવાણુંઓનો પટ આપવો.પાક આયોજનમાં લીલા પડવારા ધારા સેન્દ્રિય પદાર્થ જમીનમાં ઉમેરાય તે મુજબ તેનો સમાવેશ કરવો.પહોળા ગાળે વવાતા પાકોમાં શકય બને તો માસમાં જ ખાતર આપવું.પાકના અવશેષો, ખેતરના ખળાના નકામો કચરો વગેરે બાળી ન નાખતાં જે તે ખેતરમાં જ દબાવી દેવાં અથવા એકત્રિત કરી કહોવાવ્યા બાદ જ ખેતરમાં નાખવો.

રોગ-જીવાત વ્યવસ્થાપન

રોગ-જીવાત પ્રચકારક જાતોની પસંદગી કરવી ઉનાળામાં ઉડી પેડ કરવી.વાવણી સમય જાળવી-ગોઠવી પાકને રોગ જીવાતથી બચાવી શકાય.મોટી ઇયળો હાથથી વીણી નાશ કરવો.બીજનો દર પ્રમાણમાં વધારે રાખવો, જેથી રોગ જીવાતથી નુકશાન થાય, ઉગાવો ઓછો થાય તો પણ એકમ વિસ્તારદીઠ છોડની સંખ્યા જળવાઇ રહે.પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો.વનસ્પતિ આધારિત દવાઓ જેવી કે લીમડામાંથી, આંકડામાંથી બનાવેલ દવાઓનો ઉપયોગ કરવો.

નિંદણ નિયંત્રણ

ઓછામાં ઓછી ખેડ કરવી જેથી નિચલા સ્તરમાં રહેલાં નિદાણના બીજ ઉપર આવે નહીં.

સજીવ ખેતીના ફાયદા

પાક ઉત્પાદનની ગુણવત્તા અને ઉત્પાદકતા જળવાઇ રહેવાની સાથે ખાતરનો ખર્ચ ઘટતો હોવાથી ખેડૂત માટે અત્યંત ફાયદાકારક

જમીન, પાણી અને પર્યાવરણને નુકશાન થતું નથી.પાક ઉત્પાદનની ગુણવત્તા વધુ હોય છે.જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઇ રહે છે અને તેમાં વધારો થાય છે.જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જળવાઇ રહે છે.ઉત્પાદન ગુણવત્તાયુકત હોઇ બજાર ભાવ વધારે મળે છે.લાંબા ગાળે ઉત્પાદનયુકત હોઇ બજારભાવ વધારે મળે છે.ખેતરમાં જ ઉત્પન્ના થયેલા ઘાસ કચરો વગેરેને કહોડાવી તેનાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોઇ ખાતર ખર્ચ ઓછો થાય છે.રોગ-જીવાતના નિયંત્રણ માટે કષિ રસાયણનો ઉપયોગ ન કરવાથી પાક ઉત્પાદન ગુણવત્તા સભર હોઇ મનુષ્યની તંદુરસ્તીને નુકશાન કરતું નથી.

નિંદામણ દૂર કરવી જરૂરી

વાવેતર અગાઉ પિયત આપી નિંદણ ઉગી ગયા બાદ તેનો છીછરી પેડ દ્વારા નાશ કરવો.પાક ઉગ્યા બાદ ઊભા પાકમાં આંતરજૉડ કરી નિંદણ દૂર કરવું.લાઇનમાં રહેલ નિંદણ ખુરપીનો ઉપયોગ કરી દૂર કરવું.ઉનાળામાં ઉડી ખેડ કરી ચીઢો, ઘરો જેવા હડીલા નિંદણનો નાશ કરવો.સારૂ કોહવાયેલું નિંદણના બીજયુકત છાણિયા ખાતરનો ઉપયોગ કરવો.

પિયત વ્યવસ્થા

પાકને જરૂરીયાત મુજબ જ પિયત આપવું.પાકની પાણીની કટોકટી અવસ્થાઓની જાણકારીમેળવી આ અવસ્થાયે જ પાણી આપવું.વધારે પિયત પાણી આપવાથી, વધારે ઉત્પાદન મળે તે ખ્યાલ દૂર કરવો.વધારે પિયત આપવાથી રોગ-જીવાત વધે છે.કાર્યથીમ પિયત પઘ્ધતિનો ઉપયોગ કરવો.

આમ, ઉપરના મુદ્દા ઘ્યાનમાં રાખીને સફળતાપૂર્વક સજીવખેતી હેઠળ વધારે અને લાંબા સમય સુધી ઉત્પાદન મેળવી શકાય છે.

વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન, જમીનની સાથે પાકનીગુણવત્તા પણ જળવાઇ રહે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી: સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ

આજે દેશમાં અને તેમાયં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો સજીવ ખેતીનો ઉપયોગ કરવા જ હજુ પણ ટાળે છે. જૉ કે તેના પાછળ સૌથી મોટું કારણ સજીવ ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભની યોગ્ય માહિતીના અભાવ છે. આપણે ત્યાં વર્ષોથી વધારે ખાતર અને પાણીના ઉપયોગથી વધુ ઉત્પાદન આપતી અને ટુંકા ગાળામાં પાકતી વિવિધ પાકની જાતો એ હરીયાળી ક્રાંતિના પાયામાં કરેલું અગત્યનું પરીબળ હતું.

જેના કારણે આ નવીન જાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યા. પરીણામ સ્વરૂપે ઉભા થાય જેમાં ખાસ કરીને વધુ પડતાં કષિ રસાયણોનો ઉપયોગ કરવાથી જમીનનું આરોગ્ય બગડવા લાગ્યું તથા જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટવા લાગ્યાં, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઇ.

આમ અંતે તો જમીનના નુકશાન સાથે સાથે ખેડૂતને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો. ત્યારે જમીનની સાથે સાથે પાકની પણ ગુણવત્તા જળવાઇ રહે તેવી પઘ્ધતિની આવશ્યકતા ઉભી થઇ. જેના ફળ સ્વરૂપે સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ થયો.

પાક પઘ્ધતિ

આંતર પાક- મીશ્ર પાક પઘ્ધતિ હેઠળ કઠોળ પાકોનો સમાવેશ કરવાથી હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં ઉમેરાય છે. જે પાકને ઉપયોગી બનેછે.દર વર્ષે એક જ વર્ગનો પાક ન લેતા પાકની ફેર બદલી કરવી, જેમાં કઠોળવર્ગના પાકનો સમાવેશ કરવો.

સ્ત્રોત: કૃષિ ગુરુ બ્લોગ સ્પોટ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...