જય જવાન જય કિસાન જય હિન્દ -------- (આ પ્રકારની જાહેરાત આપવા કૉલ કરો - 9228452666)


30 October 2016

ખેડૂતો માટે નવા વર્ષના સંકલ્પ - દિનેશ ટીલવા

પીપળાના પાને, દિનેશ ટીલવા-રાજકોટ થી
 ખેડૂત મિત્રો, તમારા ઉત્સાહને નવા વર્ષે અભિનંદન... તમારા ખેતર, ગામ કે સીમ શેઢે જ કુદરતે આપને તેમજ અન્યને ખુશી થવા માટે સમૃદ્ધી હજારો વર્ષોથી આપેલ છે. આજથી શરુ થતા નવા વર્ષના સંકલ્પ તરીકે વિચારો કે શેઢા બહાર કશું લેવા જવું નથી અથવા વેચવા જવું નથી (કૈક એવું કરવું કે જરૂરિયાતવાળા તમારા ખેતરના શેઢા સુધી પધારે..) બીજાની પંચાયતમાં કે બીજાના નળિયા ગણવામાં મારો કીમતી સમય વેડફીશ નહિ અને હું ખુદ જ નવું કશું કરીશ કે લોકો મને મારી પ્રગતી બાબતે પૂછવા આવે... ખેતર-શેઢે કે પડતર જમીનમાં ઊગેલ કોઈ ઘાસ, વનસ્પતિ, વેલા કે વનરયમાં હું સુખી થાવ તેવું કશુક તો છે જ કે જેને મેં ઉગાડ્યું નથી, ખાતર પાણી કે કોઈ કાળજી મેં લીધી નથી છતાં કુદરતે મારા ઢોર-ઢાંખર કે મારા કુટુંબ માટે આપેલ / ઉગાડેલ છે તેને સમજવા પ્રયત્ન કરી તેમાંથી પૈસા પેદા કરવાનું હુન્નર હું જાતે જ વિકાસવિશ અને લોકોને પ્રેરણા મળે તેવું કશું નક્કર કરીશ... માનવ જીવન છે ત્યારથી ઓછા ભણેલા અથવા ગામડિયા લોકોને બીજા કોઈ ઉલ્લુ બનાવી સરપચ, ધારાસભ્ય, સંસદ કે પછી મારી જ્ઞાતિના વડા બની બેઠા છે તેની કોઈ ફાલતું વાતમાં ફસાઈશ નહિ હું મારો સુખી થવાનો માર્ગ જાતે જ કંડારીશ આ મારું નવા વર્ષનું પ્રણ અને પ્રાણ છે... હા, તમે કોઈ આવી વાતે મુંજાવ તો લોકો તમારી મદદ કરવા હમેશા તૈયાર જ છે, આવી કોઈ વાતના જાણકારને પૂછતાં શરમાવું નહિ... આ સોશિયલ મીડિયા, ફેસબુક,વોટ્સ અપ અને મોબાઈલનો ઉપયોગ આવા જ કામ માટે હું કરીશ... ટીખળી અને ટાઈમપાસ લોકો ખુદ તો હેરાન હોય છે એ બીજાને હેરાન કરવા પણ હરહમેશ નવા નવા ગતકડા રેકોર્ડ કરી ફોરવર્ડ કરતા રહે છે તેમાં મારો કીમતી સમય નહિ વેડફુ... ભાવ વધારો, સબસીડી, લોન કે બીજી વિરોધ કરવાની પ્રવુંર્તીમાં પડવા કરતા હું જ એવું કશું કરીશ કે બીજા ખેડૂતો મારા ખેતરે મારી પ્રગતી જોવા પધારે... હું હવે ગાડરિયા પ્રવાહમાં તણાયા વગર કોઈ સામા પૂરે તરવા સમર્થ છું જ એવું આજના દિવસે પ્રણ લઉં છું.. મારામાં જિંદગી જીવવાની તાકાત છે અને હું કૈક કરી બતાવીશ એમાં મીનમેખ નથી... હું ઉત્સાહી છું તો હું મારી મંજિલે જરૂર પહોચીશ એમાં મીનમેખ નથી... (મિત્રો, આજના આ સંકલ્પ માત્ર વાંચી ડીલીટ ના કરશો બીજાને પણ તમારા ઉત્સાહમાં ભાગીદાર બનાવશો... "સીમ-શેઢા વગરનો એવો હું" પીપળાના પાને, દિનેશ ટીલવા-રાજકોટ તા. ૩૦-૧૦-૨૦૧૬)

જીરૂ ની ખેતી પધ્ધતી વીશે માહીતી

જીરૂ ની ખેતી પધ્ધતી વીશે માહીતી

★ *પાક માટે અનુકૂળ જમીન અને જમીન ની તૈયારી* :

※ સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ થી મઘ્યમકાળી અને પુરતા પ્રમાણમાં સેન્દ્રીય ત્તવ ધરાવતી જમીન વધારે માફક આવે છે. વધુ પિયતવાળી જમીનમાં નિંદામણ વધુ થતાં વારંવાર તેને દૂર કરવાનો ખર્ચ વધી જાય છે.

※ આ પાકને ઠંડુ, સુકુ તથા સ્વચ્છ હવામાન વધારે માફક આવે છે. હળથી ઉંડી ખેડ કરી ર થી ૩ વાર કરબની ખેડ કરી જમીન પોચી અને ભરભરી બનાવવી.

※ ત્યારબાદ સમાર મારી સમતળ કરવી. જમીનના ઢોળાવ પ્રમાણે કયારા સાંકડા અને નાના એટલે કે ૬ મી. × ર મી. મા૫ના બનાવવાથી ઉત્પાદન, નફો તથા પિયતની કાર્યસમતામાં વધારો થાય છે.

★ *વીવેતર સમય* :
※ નવેમ્બર માસના પ્રથમ અઠવાડિયામાં જયારે મહત્તમ ઉષ્ણતામાન ૩૦ સે.ગ્રે. આજુબાજુ થાય ત્યારે કરેલ વાવણી વધારે લાભદાયી પુરવાર થયેલી છે.

※ મોડી વાવણીમાં રોગ-જીવાતનો વધારે ઉ૫દ્રવ જોવા મળે છે

★ *વાવેતર નું અતર અને બીજનો દર*

※ વાવણી ૫ઘ્ધતિ, જમીનની પ્રત અને ક્ષારના પ્રમાણના આધારે પ્રતિ હેકટરે ૧ર થી ૧૬ કિલોગ્રામ બિયારણ પુરતું છે.

※ ૩૦ સે.મી. ના અંતરે વાવણી કરવાથી બિયારણનો દર અને રોગનું પ્રમાણ ઘટાડી શકાય તથા નિંદણ નિયંત્રણમાં ૫ણ વધારે અનુકુળતા રહે છે.

※ વાવણીની ઉંડાઈ ૧.૫ થી ર સે.મી. સુધી રાખવી.

★ *રાસાયણિક ખાતર અને દેશી ખાતર જથો  કિલો - હેકટર*

★ *રાસાયણિક ખાતર*

૩૦+૧૫ કિલોગ્રામ ના.ફો. પ્રતિ હેકટરે​.

★ *દેશી ખાતર*
 વધારે રેતાળ જમીન કે જયાં ફળદ્રુ૫તા ઓછી હોય ત્યાં પ્રતિ હેકટરે ૧૦ થી ૧ર ટ્રેકટર ટ્રોલી સારું કહોવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરવાના સમયે  જમીન સાથે ભેળવી દેવું જોઈએ.

★ *નિંદામણ અને આંતરખેડ*

જીરૂના પાકને ૪૫ દિવસ સુધી નિંદણમુકત રાખવો ખાસ જરૂરી છે.
જયાં ખેત મજૂરો સહેલાઈથી, સસ્તા દરે મળતા હોય ત્યાં વાવણી બાદ ર૫-૩૦ દિવસે અને બીજુ નિંદામણ જરૂરીયાત મુજબ ૪૦ દિવસે કરવું.પેન્ડીમીથેલીન ૧.૦ કિ.ગ્રા. સક્રિયતત્વ  પ્રમાણે પ્રતિ હેકટરે જીરૂની વાવણી ૫છી પ્રથમ પિયત ૫હેલાં અથવા પિયત ૫છી ભેજયુકત જમીનમાં બે થી ત્રણ દિવસે એકસરખો છંટકાવ કરવો.

★ *પાક ની મુખ્ય જીવાત અને નિયંત્રણ*

※ *મોલો* :
દિવેલીનો ખોળ અથવા લીમડાનો ખોળ ર ટન પ્રતિ હેકટરે  વા૫રવો.

ગુજરાત જીરૂ-૪ જેવી જીવાત પ્રતિકારક જાત વાવવી.

સેન્ફિય ખાતર તેમજ ભલામણ અનુસાર નાઈટ્રોજનયુકત ખાતરોનો ઉ૫યોગ કરવો.

ઓકટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બરના પ્રથમ  ૫ખવાડિયા સુધીમાં મસાલા પાકોની  વાવણી કરવી.

મોલોના ૫રીક્ષણ માટે પીળા ચીકણા પિંજર હેકટરે ૧૦ પ્રમાણે ગોઠવવા.

ખેતરમાં મોલોના કુદરતી દુશ્મનો જેવાકે કોકસીનેલા સેપ્ટમપંકટાટા, બ્રુમોઈડસ સુચુરેલીસ,મીનોચીલસ સેકસમેકયુલેટસ અને હીપોડામીયા વેરાઈગેટા, સીરફીડ માખીના કીડા (એપીસીરફસ બલ્ટેટસ, ઈસ્ચીડોન સ્કુટેલારીસ) અને ક્રાયસો૫ર્લા કાર્નીયા કુદરતી રીતે મોલોને નિયંત્રણમાં રાખતા હોય છે.આ ૫રભક્ષીઓની વસ્તી વધારે હોય ત્યારે ઝેરી દવાઓના  છંટકાવ ટાળવા.

લીંબોળીના મીંજનું ૫ ટકાનું મિશ્રણ (૫૦૦ગ્રામ/૧૦ લિ.પાણી) અથવા લીંબોળીનું તેલ (૩૦મીલી/૧૦લિ. પાણી)ના ૫દર  દિવસના અંતરે  બે  છંટકાવ કરવા.

ને૫સેક સ્પ્રેયર કરતાં કન્ટ્રોલ્ડ ડ્રોપ્લેટ એપ્લીકેટરથી મિથાઈલ- ઓ -ડિમેટોન ૦.૦ર૫ ટકા દવાનો છંટકાવ કરવાથી જીરૂની મોલોનું  અસરકારક નિયંત્રણ  થાય છે.

જીરૂની મોલોના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ ૦.૦૪ ટકા દવા (૧૦મીલી/૧૦લિ. પાણી) અથવા  કાર્બાસલ્ફાન ૦.૦૫  ટકા (ર૦મીલી/૧૦લિ. પાણી) ના બે છંટકાવ ૫દર દિવસના અંતરે કરવા ભલામણ છે.

★ *થ્રિપ્સ*  :
થાયામેથોકઝામ ૭૦ડબલ્યુએસ દવા ૪.ર ગ્રામ/કિગ્રા બીજ અથવા ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૧૦ ગ્રામ/કિગ્રા બીજને ૫ટ   આપીને વાવણી કરવાથી જીરૂની થ્રીપ્સનું નિયંત્રણ મળે છે.

થ્રીપ્સના નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડીમેટોન  ૦.૦૫% (ર૦મીલી/૧૦લિ. પાણી)અથવા ટ્રાયજોફોસ ૦.૦૫% (૧ર.૫મીલી/૧૦લિ. પાણી)અથવા  એસીફેટ ૦.૦૭૫% (૧૦ગ્રામ/૧૦લિ. પાણી)પૈકી કોઈ૫ણ  એક દવાના ૧૫ દિવસના અંતરે  બે છંટકાવ કરવા.

★ *તડતડીયા* :
થાયામેથોકઝામ ૭૦ ડબલ્યુએસ ર.૮ ગ્રામ પ્રતિ કિેગ્રા બીજ દીઠ ૫ટ આપીને વાવવાથી મેથીમાં  તડતડિયાનું અસરકારક નિયંત્રણ મળે છે

જીઓકોરીસ   નામના ૫રભક્ષી ચૂસીયા તડતડિયાનું નિયંત્રણ કરે છે.

★ *સફેદમાખી*  :
સફેદમાખીના ૫રી૧ાણ માટે પીળા ચીકણા પિંજર હેકટરે ૧૦ પ્રમાણે ગોઠવવા.

લીંબોળીના મીંજનું ૫ ટકાનું મિશ્રણ(૫૦૦ગ્રામ/૧૦લિ. પાણી)અથવા લીંબોળીનું તેલ (૩૦મીલી/૧૦લિ.પાણી)ના પંદર  દિવસના અંતરે  બે  છંટકાવ કરવા.

★ *પાક ના મુખ્ય રોગ અને નિયત્રણ*  :

※ *જીરા નો કાળિયો અને ચરમી*  :
એક જ ખેતરમાં સતત વાવણી ન કરતાં પાક તેમજ ખેતરની ફેરબદલી કરવી.

ભેજવાળું વાતાવરણ રોગ માટે ખૂબજ સાનુકૂળ હોવાથી રાઈ, ઘઉં અને રજકા વિગેરે પાણીની વધુ જરૂરિયાતવાળા  પાકોની બાજુમાં જીરૂનું વાવેતર કરવાનું ટાળવું અથવા યોગ્ય અંતર રાખીને વાવેતર કરવું.

વાવણી ૫હેલાં બીજને મેન્કોઝેબ અથવા થાયરમ પૈકી એક ફૂગનાશક દવાનો એક કિલો બીયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે ૫ટ આ૫વો.

પુંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સેમીના ગાળે ચાસમાં વાવણી કરવી અને પિયત બાદ આંતર ખેડ કરવી.

પિયત માટે કયારા  ખૂબ જ નાના અને સમતલ બનાવવા જોઈએ જેથી એક સરખું અને હલકું ૫િયત આપી શકાય. વાદળછાયા અને ધુમ્મસ વાળા  વાતાવરણમાં પિયત આ૫વાનું ટાળવું.

વધુ ૫ડતા નાઈટ્રોજનયુકત ખાતરોથી છોડની વાનસ્૫તિક વૃઘ્ધિ વધારે થતાં રોગ ઝડ૫થી  ફેલાય છે. આ માટે છાણિયા ખાતરનો વધુ ઉ૫યોગ કરવો જોઈએ.

પાક ૩૫-૪૦ દિવસનો થાય એટલે મેન્કોઝેબ (૩૫ ગ્રામ/૧૦ લીટર) અથવા ડાયફેનકોનાઝોલ ૦.૦ર૫ ટકા (૧૦ મીલી/૧૦ લીટર)  તેમજ ર૫ મીલી સાબુનું સંતૃપ્ત દ્રાવણ મિશ્ર કરી દવાનું દ્રાવણ છોડ ઉ૫ર ધૂમાડા સ્વરૂપે ૫ડે અને બધાજ છોડ પૂરેપૂરા ભીંજાય એ રીતે છાંટવું જોઈએ. આમ, ૧૦ દિવસના અંતરે વધુ ત્રણ છંટકાવ કરવાથી રોગનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે.

જીરૂના પાકને ૫ સેમી ઉંડાઈના ફકત બે-ત્રણ પિયત આ૫વાથી પાકમાં ચરમી રોગની   તીવ્રતા ઓછી રહે છે

※ *જીરાનો સુકારો* :
છાણીયું ખાતર ૧૦ ટન/હે. અથવા દિવેલીનો ખોળ અથવા રાયડાનો ખોળ અથવા પોલ્ટ્રી ખાતર ર.૫ ટન/હે. આ૫વાથી રોગના પ્રમાણમાં ઘટાડો થાય છે.

ગુવાર કે જુવારના પાક ૫છી જીરૂનું વાવેતર કરવાથી રોગનું પ્રમાણ ઘટે છે. ઉનાળામાં ર-૩ વખત  ઉંડી ખેડ કરવી.

સુકારા પ્રતિકારક જાતો જેવીકે ગુ.જીરૂ-૩ અને ગુ.જીરૂ-૪ નું વાવેતર કરવું.

કાળી ચરમી કે કાળીયા રોગમાં જણાવ્યા પ્રમાણે બીજને દવાનો ૫ટ આ૫વો.

※ *જીરાનો ભુકી છારો*  :
સંરક્ષણાત્મક ૫ગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકીનો ર૫કિગ્રા/હે. પ્રમાણે સવારમાં છોડ ઉ૫ર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો.

રોગ  દેખાય કે તરતજ ઉ૫ર જણાવ્યા પ્રમાણે ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.

ભૂકી સ્વરૂપે ગંધકને બદલે દ્રાવ્ય રૂ૫માં છંટકાવ કરવા માટે ર૫ ગ્રામ દ્રાવ્ય ગંધક અથવા કેલીકઝીન  ૭મીલી દવા  ૧૦ લીટર પાણીમાં ઓગાળી ર-૩ છંટકાવ કરવા.

ભૂકી રૂપેગંધકનો છંટકાવ  સવારે છોડ ઉ૫ર ઝાકળ હોય ત્યારે જ કરવો જેથી ઝાકળના કારણે  ભૂકી છોડ ઉ૫ર ચોંટી રહે. ૫રંતુ દ્રાવ્ય ગંધક કે  કેલીકઝીનનો છંટકાવ દિવસે છોડ ઉ૫રથી ઝાકળ ઉડી ગયા ૫છી જ કરવો જેથી સુકા છોડ ઉ૫ર દ્રાવણ ચોંટી રહે.

જીરૂના પાકને ૫ સેમી ઉંડાઈના ફકત બે-ત્રણ પિયત આ૫વાથી પાકમાં ભૂકી છારા રોગની તીવ્રતા ઓછી રહે છે.

★ *પીયત ની સંખ્યા*  :
પ્રથમ પિયત વાવણી બાદ તુર્તજ, બીજુ હલકું પિયત જમીનની પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસે ( સારા અને ઝડપી ઉગાવા માટે),  ત્રીજુ પિયત ૩૦ દિવસે અને ચોથુ પિયત ૬૦ દિવસે આ૫વાની ભલામણ છે.

★ *કાપણી*  :
છોડ પુરેપુરા પીળા થાય ત્યારે કા૫ણી કરવાથી ગુણવત્તામાં સુધારો થાય છે.

મોડી  કા૫ણી થી જીરૂના દાણા ખરી ૫ડે, રંગ ઝાંખો થાય અને તેલના ટકા ૫ણ ઓછા થાય છે.

દાણા ખરી ન જાય તે માટે કા૫ણી ઝાકળ ઉડી જાય તે ૫હેલાં અથવા સવારના અગિયાર વાગ્યા સુધી કરવી.

પાકવાના દિવસ :: ૧૦૫ -૧૧૦

ઉત્‍પાદન કિલો / હેકટર ૯૫૦-૧૧૦૦

સંદર્ભ - *આણંદ કૃષિ યુનિવર્સિટી*

27 October 2016

લસણ ની ખેતી પદ્ધતિ વિશે માહીતી

લસણ ખેતી પદ્ધતિ વિશે માહીતી : 

★ લસણ ની જોતો : 
ગુજરાત લસણ-3, ગુજરાત લસણ-૪, યમુના સફેદ(જી-૨૮૨), યમુના સફેદ-૨ તથા 3

★ પાક માટે અનુકુળ જમીન:  
સારા નિતારવાળી, ફળદ્રુપ અને સેન્‍દિય પદાર્થો સારા પ્રમાણમાં હોય તેવી જમીન વધુ અનુકુળ આવે છે.ગોરાડુ, બેસર તેમજ મઘ્‍યમ કાળી જમીનમાં લસણનો પાક સારો થાય છે 

★ વાવેતર નો સમય:  
ઓકટોબર-નવેમ્‍બર૧  થી ર૧ ઓકટોબર દરમ્‍યાન વાવેતર કરવાથી વધુ ઉત્પાદન મળે છે.

★ વાવેતર નુ અંતર : 
૧0 થી ૧પ x  ૧૦ સે.મી

★ બીજ દર:  
પ૦૦ થી ૭૦૦ કિ, ગ્રા. કળીઓ પ્રતિ હેકટર 

★ રાસાણિક ખાતર:  
રપ કિ.ગ્રા. નાઈટ્રોજન, પ0 કિ.ગ્રા. ફોસ્‍ફરસ તથા ૫0 કિ.ગ્રા. પોટાશ તત્‍વના રૂપમાં પાયાના ખાતર તરીકે આપવું. એટલે કે  ૧0૯ કિ.ગ્રા. ડીએપી, ૮૬ કિ.ગ્રા. મ્‍યુરેટ ઓફ પોટાશ અને ૧૧ કિ.ગ્રા. યુરિયા આપવું. ત્‍યારબાદ 30 દિવસે પૂર્તિખાતર તરીકે હેકટરે રપ કિલો નાઈટ્રોજન આપવો એટલે કે પ૪ કિ.ગ્રા. યુરિયા આપવું.

★ દેશી ખાતર:  
જમીન તૈયાર કરતી વખતે ર0 થી રપ ટન/હે કોહવાયેલું છાંણીયુ ખાતર જમીનમાં ભેળવવું

★ પાક ની મુખ્ય જીવાત અને નિયંત્રણ : 
થ્રીપ્‍સનાં નિયંત્રણ માટે ડાયમીથોએટ (0.03 ટકા)  ૧0 મી.લી. દવા અથવા પ્રોફેનોફોસ (0.0પ ટકા) ૧0 મી.લી. અથવા પોલીટ્રીનસી (0.0૪ ટકા) ૧0 મી.લી. ૧0  લીટર પાણીમા ઓગાળીને ૧0 થી ૧ર દિવસના અંતરે વારાફરતી  છંટકાવ કરવો.

※ ભૂકીછારાના નિયંત્રણ માટે થાયોફેનેટ મિથાઈલ (0.0પ ટકા) ૭ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ (0.00૮ ટકા) ૧૬ મી.લી. દવા ૧0 લીટર પાણીમાં ભેળવી ૧0 દિવસનાં અંતરે ત્રણ છંટકાવ  કરવા.

સુકારાના નિયંત્રણ માટે કાર્બાન્‍ડેઝીમ (0.પ ટકા)  પ ગ્રામ દવા નો પ્રથમ છંટકાવ અને ત્‍યાર બાદ ત્રણ છંટકાવ થાયોફેનેટ મિથાઈલ (0.0પ ટકા) ૭ ગ્રામ અથવા મેન્‍કોઝેબ (0.ર ટકા) ર૭ ગ્રામ દવા ૧0 લીટર પાણીમાં નાખી રોગની શરૂઆત થયે ૧0 દિવસના અંતરે  છંટકાવ કરવા.

★ પિયત ની સંખ્યા:  
૧0 થી ૧ર દિવસના અંતરે આપવા. લસણના ગાંઠીયા બંધાયા બાદ વધારે પડતા પિયતથી  કળીઓનું ઉગી જવાનું પ્રમાણ વધે છે. કાપણી પહેલા ૧પ થી ર0 દિવસ અગાઉ પિયત બંધ કરવું.

★ પાક ના દિવસો:  
૧૩0 થી ૧૩૫ 

★ ઉત્પાદન  : 
સરેરાશ ૭ થી ૮ હજાર કિલો/હેક્ટર

સંદર્ભ:  આણંદ કૃષિ યુનિવર્સિટી 

25 October 2016

ચણા ની વૈજ્ઞાનિક ખેતી વીશે માહીતી

ચણા ની વૈજ્ઞાનિક ખેતી વીશે માહીતી:  
ચણા એ ઠંડી અને સૂકી પરિસ્થિતિમાં થતો પાક છે, જે પાણીની ખેંચ અને ઓછી માવજત સામે ટકી શકે છે. ગુજરાત જેવા પ્રદેશો કે જયાં ઠંડીનુ પ્રમાણ અને ઠંડીના દિવસો ઓછા છે, ત્યાં સાડા ત્રણથી ચાર મહિનામાં પાકી જતો આ પાક ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજયોમાં વધારે સમય લે છે. પાકની ઉત્પાદકતાનો આધાર પાકવાના દિવસો અને જાત પર અવલંબે છે.

ચણા ની જાતો:  
ભારતમાં ચણાના મુખ્ય બે પ્રકારો છે કાબુલી અને દેશી. કાબુલી જાતો મોટા દાણાવાળી અને સફેદ હોય છે જેને લાંબા શિયાળા અને તીવ્ર ઠંડીની જરૂર પડતી હોવાથી ગુજરાતમાં તેનુ ધાર્યુ ઉત્પાદન મળતુ નથી. ઉત્તર ભારતમાં ચણા પકવતા રાજયોમાં તે વધુ અનુકૂળ આવે છે. આપણા રાજયમાં ટૂકો અને હળવો શિયાળો હોવાથી દેશી ચણાની જાતો વધુ અનુકૂળ આવે છે.

દેશી ચણા પીળા હોય છે જેનો દાણો કાબુલીની સરખામણીએ નાનો હોય છે. દેશી ચણાની ગુજરાત માટે બે જાતો બહાર પાડવામાં આવી છે. ગુજરાત ચણા-૧ જાત, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ માટે છે. આ જાત પિયત અને બિનપિયત બન્ને વિસ્તારો માટે છે. જૂની  જાતો દાહોદ પીળા અને આઇ.સી.સી.સી. ૪ કરતાં તેનો ઉતારો ૨૫ ટકા વધુ આવે છે. પિયતમાં આ જાતનો ઉતારો ૨૦૦૦ થી ૨૨૦૦ કિલોગ્રામ પ્રતિ હેકટરે મળે છે જયારે બિનપિયતમાં હેકટરે ૧૦૦૦ થી ૧૨૦૦ કિલોગ્રામ ઉતારો મળે છે.  

        ગુજરાત ચણા-૨ બિન પિયત જાત હોવાથી ભાલ અને ઘેડ વિસ્તાર માટે અનુકૂળ છે. લગભગ ૯૦ થી ૯૫ દિવસમાં પાકતી આ જાતનો ચણા ચાફા જાતના ચણા કરતા અઢીથી ત્રણ ગણા મોટા હોવાથી બજારભાવ વધારે મળે છે. આ જાતનો ઉતારો બિન પિયતમાં હેકટરે ૧૦૦૦ થી ૧૨૦૦ કિલોગ્રામ આવે છે. આ જાત સુકારાના રોગ સામે સારી એવી પ્રતિકારક શક્તિ ધરાવે છે. આ જાત ભાલમાં ખૂબ જ લોકપ્રિય થયેલ છે. ભાલ અને ઘેડ ઉપરાંત ગોધરા, દાહોદ, ભરૂચ, નવસારી, ખેડા, વડોદરામાં પત તેનુ વાવેતર કરવામાં આવે છે. ખેડામાં ગુજરાત ચણા-૨ જાત ડોલરચણા અને ભાલમાં બુટ ભવાની તરીકે જાણીતી થયેલ છે. આ જાતના દાણા મોટા હોવાથી કાચા જીજરા માટે વધારે અનુકૂળ માલૂમ પડેલ છે. પંચમહાલ જીલ્લામાં પણ તાજેતરમાં આ જાતના બીજની માંગ ઉભી થયેલ છે.

ચણા ની વૌજ્ઞાનિક ખેતી પધ્ધતી 
- આબોહવા:  સુકી અને ઠંડી આબોહવામાં થતાં ચણા હિમ સહન કરી શકતા નથી. વાવણી વખતે ૨૦ થી ૩૦ ડીગ્રી સે.ગ્રે. ઉષ્ણતામાન અનુકૂળ છે. જો માવઠું કે વાદળવાળું હવામાન હોય તો નુકશાન થાય છે. પાકની અવસ્થા દરમ્યાન પૂરતી ઠંડી ન પડે કે ગરમી વધી જાય તો ઉત્પાદન પર માઠી અસર થાય છે.

- જમીન ની તૈયારી:  
સારી ભેજસંગ્રહ શકિત ધરાવતી, કાળી અથવા મધ્યમ કાળી કાંપવાળી જમીનમાં ચણા ખૂબ જ સારા થાય છે. આમ છતાં ગોરાડું તેમજ રેતાળ જમીનમાં પણ વાવેતર કરી શકાય છે. જયાં ખારા ભૂગર્ભજળનું સ્તર બહુ ઉંચું ન હોય અને જમીન ખારી ન હોય ત્યાં ચણા થાય છે. બિનપિયત વિસ્તારોમાં ચોમાસા પછી જેમ જેમ પાણી સુકાતું જાય તેમ તેમ ચણાની વાવણી કરવામાં આવે છે. આવા વિસ્તારોમાં વાવણી વખતે બીજ ૧૦ થી ૧૫ સે.મી. ઉંડે ભેજમાં પડે એ ખૂબ જ જરુરી છે. ડાંગરની કયારીવાળા વિસ્તારોમાં ડાંગર લીધા પછી જે ભેજ સંગ્રહાયેલ હોય, તેનાથી ચણા પકવવામાં આવે છે. પિયત વિસ્તારોમાં હેકટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખીને દાંતી, રાંપ, સમારથી જમીન તૈયાર કરવી.

- વાવણી સમય:  
પિયત ચણા ગુજરાત-૧, ૧૫ મી ઓકટોબર થી ૧૫ મી નવેમ્બર દરમ્યાન ઠંડીની શરુઆાત થયે વાવવા. જયારે બિનપિયત વિસ્તારમાં ગુજરાત ચણા-૨ ની વાવણી જમીનમાં ભેજની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને કરવી.

- બીજ નો દર અને અંતર:  
બે ચાસ વચ્ચે ૩૦ થી ૪૫ સે.મી. ના અંતરે હેકટરે ૬૦ કિલોગ્રામ પ્રમાણે બીજનું પ્રમાણ રાખી ચણા વાવવા. જો મોટા દાણાવાળી જાત ગુજરાત ચણા-૨ વાવવી હોય તો હેકટરે ૭૫ થી ૮૦ કિલોગ્રામનું પ્રમાણ રાખવું. 

- રાસાણિક ખાતર:  
ચણાને વાવતી વખતે એક જ હપ્તો ખાતરનો આપવો. પાયાના ખાતર તરીકે  હેકટરે ૨૦ કિલો નાઇટ્રોજન અને ૪૦ કિલોગ્રામ ફોસ્ફરસ વાવણી પહેલા ચાસમાં આપવો. આ માટે પાયામાં હેકટરે ૮૭ કિલોગ્રામ ડીએપી સાથે ૧૦ કિલોગ્રામ યુરિયા ખાતર આપવું.

        ચણાના મૂળમાં રાઇઝોબિયમ જીવાણુંની પ્રવૃતિ ૨૧ દિવસમાં શરુ થાય છે, તેથી છોડ પોતે જ હવાનો નાઇટ્રોજન વાપરવાની શકિત મેળવી લે છે. આ કારણથી ચણાને પૂર્તિ ખાતરની જરુર નથી. ઘણા ખેડૂતો પિયત ચણામાં પૂર્તિ ખાતર તરીકે આપે છે. જેથી ખોટો ખર્ચ થાય છે. આ વધારાનો નાઇટ્રોજન આપવાથી છોડની વધુ પડતી વાનસ્પતિક વૃધ્ધિ થાય છે. આવા છોડમાં ફૂલો પણ મોડાં બેસે છે.

- પિયત:  
પિયત વિસ્તારમાં ઓરવણ કરીને ચણાનું વાવેતર કર્યા પછી પહેલું પાણી આપવું. આ પછી ડાળી ફૂટવાના સમયે એટલે કે ૨૦ દિવસ પછી બીજુ પાણી આપવું. ત્રીજુ પાણી ૪૦ થી ૪૫ દિવસે ફૂલ બેસતી વખતે અને ચોથું પાણી ૬૦ થી ૭૦ દિવસે પોપટા બેસતી વખતે આપવું. આમ ચણામાં ડાળી ફૂટતી વખતે, ફૂલ અને પોપટા બેસતી વખતે એમ ત્રણ કટોકટીની અવસ્થાને પિયતની ખાસ જરૂરિયાત રહે છે. આ સમયે પાણીનો યોગ્ય ઉપયોગ અને આર્થિક ફાયદો થાય છે.

- નિંદામણ અને આંતરખેડ
જરૂર મુજબ આંતરખેડ અને નીંદામણથી ખેતર ચોખ્ખું રાખવું. આ રીત સૌથી ફાયદાકારક માલૂમ પડેલ છે. જો હાથથી નીંદામણ પહોંચી શકાય તેમ ન હોય તો વાવેતર બાદ તરત એટલે કે ચણા ઉગતા પહેલાં પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ દવા ૧૦ લીટર પાણીમાં ૫૫ મિ.લિ.) હેકટરે એક કિલો (સક્રિય તત્વ) મુજબ ૫૦૦ થી ૬૦૦ લિટર પાણીમાં ભેળવી છાંટવાથી સારુ નિયંત્રણ થાય છે.

* ચણા મા આવતા રોગો 
(1) સુકારો:  
બીજ અને જમીન મારફતે ફેલાતો આ રોગ પાકની કોઇપણ અવસ્થાએ જોવા મળે છે. પાકની શરુઆતમાં કે પાછલી અવસ્થાએ છોડ ઉભા સુકાય છે. થડ ચીરતા ઉભી કાળી-કથ્થાઇ લીટીઓ જોવા મળે છે. રોગ આવતો અટકાવવા માટે રોગ સામે પ્રતિકારકતા ધરાવતી જાતનું રોગમુકત બિયારણ વાપરવું. વાવતા પહેલાં બીજને ફૂગનાશક દવાનો પટ આપવો. ચણા પછી બાજરી કે જુવારના પાકની ફેરબદલી અને દિવેલાનો ખોળ હેકટરે એક ટન આપવાથી આ રોગની તીવ્રતા ઘટે છે. જમીનમાં રહેલી ફૂગનો નાશ ન થાય ત્યાં સુધી આ રોગ નાબૂદ કરવો મુશ્કેલ હોવાથી એક ને એક ખેતરમાં દર વર્ષે ચણા ન લેતાં જમીન ફેરબદલી કરવી હિતાવહ છે.

(2) વાયરસ રોગ:  
આ રોગ વિષાણુથી થાય છે. જેનો ફેલાવો મોલો નામની જીવાતથી થાય છે. ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધતું જાય છે. ઠંડી ઓછી પડે તો આ રોગ જોર પકડે છે. પાન તાંબાવરણા અને જાડા થઇ જાય છે. ફાલ બેસતો નથી કે ઓછો બેસે છે. છોડ નબળો પડવાથી સુકારા રોગનો ભોગ બની જાય છે.  આ રોગને કાબૂમાં રાખવા માટે તેનો ફેલાવો કરતા વાહક મોલોનું નિયંત્રણ કરવું જરુરી છે. આ માટે શોષક પ્રકારની દવા ફાસ્ફોમીડોન ૦.૦૩ ટકા અથવા ડાયમીથોએટ ૦.૦૩ ટકા નો છંટકાવ કરવો.     

(3) ચણા ની જીવાતો:  
ચણામાં મુખ્યત્વે પોપટા કોરી ખાનારી લીલી ઇયળનો ઉપદ્રવ વધુ જોવા મળે છે જે પાન, કુમળી કૂંપણો અને પોપટા કોરી ખાય છે. તેના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ ૧૨ મિ.લિ. અથવા ફેનવાલરેટ ૧૦ મિ.લિ. અથવા આલ્ફામેથ્રિન ૫ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ફૂલ બેસે ત્યારે અને પછી ૧૫ દિવસ બાદ ફરીથી છંટકાવ કરવો. ઇયળો મોટી થઇ ગઇ હોય તો  મોનોક્રોટોફોસ ૧૨ મિ.લિ. દવા સાથે ડાયકલોરોવોસ ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારુ નિયંત્રણ મળે છે. અથવા કલોરોપાયરીફોસ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારુ નિયંત્રણ મળે છે. આ ઉપરાંત એન.પી.વી. ૨૫૦ એલ.ઇ./હે. ફૂલ બેસે ત્યારે ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવાથી સારુ  નિયંત્રણ મળે છે. 

20 October 2016

કૃષિ જીવન સપ્ટેમ્બર 2016 નો અંક વાચો

કૃષિ જીવન સપ્ટેમ્બર 2016 નો અંક વાચવા માટે અહિ અંગ્રેજી મા ક્લિક લખેલ પર ક્લિક કરો
Click & Download

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ

બુધથી શનિ મેઘરાજા 'હેત' વરસાવશે : આવતીકાલ સુધી ગરમીનો દોર બાદ તાપમાન ઘટશે, વાદળો બનવા લાગશે : અશોકભાઈ પટેલનો નિર્દેશ રાજકોટ...